ગુજરાતના અમદાવાદમાં આજે બપોરના સમયે બનેલી એર ઈન્ડિયાની ભયંકર વિમાન દુર્ઘટનાએ આખા ગુજરાત સહિત દેશને મોટા આઘાતમાં મૂકી દીધું છે. અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ AI171 નો અકસ્માત થયો, જેમાં 10 ક્રૂ સભ્યો સહિત 242 વ્યક્તિઓ હાજર હતા. આ વિમાનમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના સિનિયર નેતા એવા વિજય રૂપાણી પણ હાજર હતા.
અકસ્માત પૂર્વે વિમાનમાં તેમની ઉપસ્થિતિ બતાવતી એક તસવીર સામે આવી છે, જે સોશિયલ મીડિયામાં ઝડપથી ફેલાઈ રહી છે. પ્લેનમાં 242 પેસેન્જર સવાર હતા જેમાં હાલ એવી ખબર સામે આવી રહી છે કે 150થી વધુના મોત થયા છે. વાયરલ તસવીરમાં વિજય રૂપાણી વિમાનની અંદર બેઠેલા દેખાઈ રહ્યા છે, જે સાબિત કરે છે કે તેઓ ચોક્કસ આ ફ્લાઈટમાં પ્રવાસ કરી રહ્યા હતા. આ વિમાનમાં 169 ભારતીય લોકો સહિત અલગ અલગ દેશોના લોકો પણ હાજર હતા.
આ ઘટના બાદ વિજય રૂપાણીના નિવાસસ્થાને ભાજપના અધિકારીઓ અને સંસ્થાકીય કર્મચારીઓની ભીડ જોવા મળી રહી છે. હાલમાં બચાવ અને રાહત કામકાજ જોરશોરથી ચાલુ છે, પરંતુ વિશાળ જાનહાનિની શંકા પ્રગટ કરવામાં આવી રહી છે.
This is said to be the Last Picture of Ex Gujarat CM Vijay Rupani onboard Air India Flight that crashed. pic.twitter.com/kbWLboXmwZ
— BRADDY (@braddy_Codie05) June 12, 2025
નોંધ: ગુજ્જુરોકસ આ તસ્વીરની પુષ્ટિ કરતુ નથી.