પદ્મભૂષણથી સમ્માનિત દિગ્ગજ સિંગરની હાલત નાજુક, હોસ્પિટલમાં કરાયા દાખલ…હાલમાં જ થયુ હતુ પતિનું નિધન

પદ્મભૂષણથી સન્માનિત દિગ્ગજ ભોજપુરી સિંગર શારદા સિન્હાને કોઈ ઓળખની જરૂર નથી. સંગીતની દુનિયામાં તે એક મોટું નામ છે, પરંતુ હવે સિંગર વિશે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. શારદા સિન્હાની તબિયત અચાનક બગડતાં તેમને દિલ્હીની AIIMS હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.

હોસ્પિટલમાં દાખલ શારદા સિન્હા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લોક ગાયિકા શારદા સિન્હા છેલ્લા એક અઠવાડિયાથી દિલ્હીના એમ્સમાં દાખલ છે અને આજે સવારે તબિયત વધુ ખરાબ થવાને કારણે ઝડપી રિકવરી માટે ઈમરજન્સી વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. હાલમાં લોક ગાયક ICUમાં સારવાર હેઠળ છે. શારદા સિન્હાના સ્વાસ્થ્ય વિશે જાણ્યા બાદ તેમના ચાહકો ચિંતિત છે.

બ્રેઈન હેમરેજને કારણે પતિએ જીવ ગુમાવ્યો હતો
જણાવી દઈએ કે હાલમાં જ સિંગરના પતિનું નિધન થયું હતું. ત્યારથી તે પરેશાન રહે છે અને બીમાર પણ પડવા લાગ્યા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, શારદા સિન્હાને એક અઠવાડિયાથી ખાવા-પીવામાં સમસ્યા થઈ રહી હતી અને તે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

શારદા સિંહાની તાજેતરની પોસ્ટ
શારદા સિન્હા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પતિના અવસાન બાદ તે અવારનવાર કંઈકને કંઈક શેર કરતા રહે છે. ગાયિકાએ તાજેતરની ફેસબુક પોસ્ટ પર એક ફોટો શેર કર્યો હતો, જેની સાથે કેપ્શનમાં લખ્યું હતું, ‘લાલ સિંદૂર બિન મંગિયોં ન સોભે… પણ સિન્હા સાહેબની મીઠી યાદોના સહારે સંગીતની સફર ચાલુ રાખવાની કોશિશ કરવામાં આવશે. ખાસ કરીને આજના દિવસે સિન્હા સાહેબને મારુ પ્રણામ સમર્પિત.’

Shah Jina