પ્રખ્યાત પ્રોડ્યૂસર સલીમ અખ્તરના નિધનથી ફિલ્મ જગતમાં શોકની લહેર, રાની મુખર્જી અને તમન્ના ભાટિયા જેવી અભિનેત્રીઓને કરી હતી લોન્ચ

દુઃખદ સમાચાર: દિગજ્જ પ્રોડ્યૂસરના અચાનક નિધનથી ફિલ્મ જગતમાં શોકની લહેર, રાની મુખર્જી અને તમન્ના ભાટિયા જેવી અભિનેત્રીઓને …

ફિલ્મ જગતમાંથી એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. પ્રખ્યાત નિર્માતા સલીમ અખ્તરનું નિધન થયું છે. તેમણે 8 એપ્રિલ 2025 ની સાંજે અંતિમ શ્વાસ લીધા. સલીમે ફિલ્મ જગતને ઘણી શ્રેષ્ઠ અભિનેત્રીઓ આપી છે. તેમનું આ પ્રકારે દુનિયાને અલવિદા કઈ જવું એક મોટી ક્ષતિ છે.

અહેવાલ છે કે તેમને કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.અહેવાલ છે કે છેલ્લા કેટલાક દિવસોથી સલીમ અખ્તર વેન્ટિલેટર પર હતા. તે જીવન અને મૃત્યુ સાથે સંઘર્ષ કરી રહ્યા હતા. મંગળવારે, તેમનું મૃત્યુ કોકિલાબેન ધિરૂભાઇ અંબાણી હોસ્પિટલમાં થયું હતું. સલીમ અખ્તર તેમના સરળ વર્તન માટે જાણીતા અને એક મહાન ફિલ્મ નિર્માતા હતા. તે 1980 અને 1990 ના દાયકામાં ખૂબ જ સક્રિય હતા.સલીમ ‘ચોર કી બારાત’, ‘ક્યામાત’, ‘લોહા’, ‘બટવારા’, ‘ફૂલ ઓર અંગારે’, ‘બાજી’, ‘ઈજ્જત’ અને ‘બાદલ’ જેવી ફિલ્મો માટે જાણીતા છે.

તેમણે આમિર ખાન અને બોબી દેઓલ સાથે પણ કામ કર્યું હતું. તેમણે ઉદ્યોગને રાણી મુખર્જી અને તમન્ના ભાટિયા જેવી બે શ્રેષ્ઠ અભિનેત્રીઓ આપી. સલીમની ફિલ્મમાંથી જ આ બંનેનું ફિલ્મ જગતમાં ડેબ્યુ થયું છે.રાણી મુખર્જીએ 1997 માં નિર્માતા સલીમના ‘રાજા કી આયી બારાત’ સાથે ફિલ્મ જગતમાં ડેબ્યુ કર્યું, જ્યારે તમન્ના ભટિયાએ 2005 માં ફિલ્મ ‘ચાંદ સા રોશન ચેહરા’થી ફિલ્મ જગતમાં પગ મુક્યો.

સલીમ અખ્તરના લગ્ન શમા અખ્તર સાથે થયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે સલીમની અંતિમ વિદાય બુધવારે 09 એપ્રિલના રોજ કરવામાં આવશે. બપોરે 1.30 વાગ્યે, જોહરની નમાજ પછી, તેઓ ઇલા મસ્જિદ નજીક કબ્રસ્તાનમાં લઇ જવામાં આવશે.

Previous Article

સુખી સમૃદ્ધ અમેરિકામાં ભારતીય મહિલા સાથે ગેરવર્તન, કપડાં ઉતારી પુરુષ અધિકારીએ કરી તપાસ, 8 કલાક સુધી ટોઇલેટ પણ ન જવા દેવામાં આવી

Next Article

હાઇવે પર 8 વખત પલટાઈ ગાડી, 5 લોકો હતા સવાર, બહાર નીકળીને કીધું ચા મળશે? વાયરલ થયો વીડિયો

error: Protected Content!
Exit mobile version