કુંભ બાદ ક્યાં ગાયબ થઇ જાય છે નાગા સાધુ ? જાણો કેવી છે સંન્યાસીઓની રહસ્યમયી દુનિયા

મહાનિર્વાણી અખાડાના મહંત રવીંદ્ર પુરીએ જણાવ્યુ, કુંભ બાદ ક્યાં ચાલ્યા જાય છે નાગા સાધુ ?

કેવી રીતે બને છે નાગા સાધુ, કુંભ બાદ ક્યાં થઇ જાય છે ગાયબ ? જાણો તેમની રહસ્યમયી દુનિયા વિશે

જગદગુરુ શંકરાચાર્યએ સનાતનની સુરક્ષા માટે ઇસવી સદીથી લગભગ સાતસો વર્ષ પહેલાં બૌદ્ધ ધર્મમાં આવેલ બદલાવ અને અન્ય માન્યતાઓથી સનાતનને સુરક્ષિત કરવા માટે યુવા સંન્યાસીઓની સેના બનાવી. નામ આપવામાં આવ્યુ- ‘અખંડ.’ બસ આગળ જઇને તે જ અખાડા બન્યુ. ઉત્તમ પ્રબંધન માટે અખંડમાં પણ વિભાજન થયું અને સેના વધતી રહી. આજે શૈવ મતના સંન્યાસીઓના સાત મુખ્ય અખાડા છે. જુના, આવાહન, અગ્નિ, મહાનિર્વાણી, અટલ, નિરંજની અને આનંદ.

મહાનિર્વાણી અખાડાના શ્રી મહંત રવીન્દ્ર પુરીએ જણાવ્યું કે અખાડાના મુખ્ય દેવતા શિવ છે, પરંતુ પૂજનીય દેવતાઓ અલગ છે. ધર્મની રક્ષા માટે બનેલા અખાડાઓ હવે સમાજના વિકાસમાં ફાળો આપે છે. મહાકુંભ પહેલા તમામ અખાડાઓમાં ધાર્મિક ધ્વજ લગાવવામાં આવે છે. ધ્વજ સ્થાપિત કરવાનો અર્થ એ છે કે હવે અખાડા તમામ સાધુઓ અને ભક્તો માટે રહેવા અને ભોજનની વ્યવસ્થા માટે તૈયાર છે. અખાડાઓના ધાર્મિક ધ્વજનો રંગ ભગવો હોય છે પરંતુ તેને ફરકાવવાની રીત અલગ હોય છે.

સદીઓ પછી પણ આ નાગા સાધુઓ હજુ કમાન્ડોની ભૂમિકામાં છે. શાસ્ત્રોની સાથે તેઓ શસ્ત્રો પણ શીખે છે. પરંતુ હવે તેમની ભૂમિકા સમાજને શિક્ષિત કરવાની અને તેમની સનાતની પરંપરા વિશે જાગૃત કરવાની પણ છે. કારણ કે તેઓએ પોતાની જાતને પોતાનાથી મુક્ત કરી છે. બધા ચારેય કુંભમાં પહેલા અમૃતસ્નાન પછી અને બીજા પહેલા નવા નાગા સંન્યાસની દીક્ષિત કરવામાં આવે છે. તેની પણ પરંપરાગત વિધિ છે. નાગા સંન્યાસી બનવું સરળ નથી. હવે લોકોના મનમાં મોટો પ્રશ્ન ઊભો થાય છે કે કુંભમાં હજારોની સંખ્યામાં જોવા મળતા આ નાગા સંન્યાસીઓ કુંભ પછી ક્યાં ગાયબ થઈ જાય છે ?

નિરંજની અખાડાના મહંત રવિન્દ્ર પુરીએ કહ્યું કે એટલું જાણી લો કે સાધના અને સુઅવસરોમાં નાગા સંન્યાસી નગ્ન એટલે કે દિગંબર રહે છે. પરંતુ સમાજમાં આવતી-જતી વખતે અંડરગારમેન્ટ એટલે કે કૌપીન લંગોટ અથવા ગમછો ધારણ કરે છે. આ સાધુઓ પણ સમાજમાં રહે છે, ગામડાં, ખેતરો, નગરો અને શહેરોમાં સ્થિત મંદિરો, મઠો અને આશ્રમોનું સંચાલન કરે છે અને ઘણા લોકો ગુફાઓમાં તેમના ધ્યાન દ્વારા દેશ અને વિશ્વના કલ્યાણ માટે ધ્યાન અને તપસ્યામાં મગ્ન રહે છે.

Previous Article

ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી આવી ખૂબ જ દુખદ ખબર, 'ધરતીપુત્ર નંદિની' ફેમ એક્ટરનું રોડ અકસ્માતમાં મોત

Next Article

કોણ છે આ એલીયન જેવા દેખાતા લોકો? શું પૃથ્વીને છે આમનાથી ખતરો કે પછી કરે છે રક્ક્ષા , જુઓ વીડિયો

error: Protected Content!
Exit mobile version