આજકાલ દેશની સૌથી સુંદર રાણી સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. અમે વાત કરી રહ્યા છીએ બરોડાના મહારાણી રાધિકારાજે ગાયકવાડની, જેઓ 25 હજાર કરોડના ‘લક્ષ્મી પેલેસ’માં રહે છે, જેમની સુંદરતા ઘણીવાર લોકોમાં ચર્ચાનો વિષય બની જાય છે. ભગવાને તેમને સુંદરતા અને સંપત્તિ બંનેના આશીર્વાદ આપ્યા છે, તેમ છતાં તે એક સરળ શૈલીની માલિક છે અને આ જ વસ્તુ તેમને સામાન્ય લોકોમાં ખાસ બનાવે છે. રાધિકારાજે સરળ સ્વભાવના હોવા પાછળનું કારણ તેમનો ઉછેર છે.
વાસ્તવમાં તે વાંકાનેરના મહારાજા કુમાર ડૉ. રણજીત સિંહની પુત્રી છે, પરંતુ તેમના પિતાએ રાજવી પરિવાર છોડીને IASની નોકરી પસંદ કરી, જેના કારણે રાધિકારાજેનો ઉછેર અન્ય બાળકોની જેમ થયો. તે DTDC બસમાં દિલ્હી કોલેજ જતા. લેડી શ્રીરામ કોલેજ અને દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કરનાર રાધિકારાજે ગાયકવાડના લગ્ન બરોડાના મહારાજા સમરજીત સિંહ ગાયકવાડ સાથે થયા છે, પરંતુ રસપ્રદ વાત એ છે કે તેમના લગ્ન તેમની સાથે નક્કી થયા તે પહેલાં તેમને તેમના રાજવી પરિવાર અને ‘લક્ષ્મી પેલેસ’ વિશે કંઈ ખબર નહોતી.
એક ઇન્ટરવ્યુમાં રાધિકારાજે એ પોતાના પ્રેમ જીવન વિશે ખુલ્લેઆમ વાત કરી હતી. 2002માં રાધિકારાજે ગાયકવાડે મહારાજા સમરજીત સિંહ સાથે લગ્ન કર્યા હતા. રાધિકારાજેએ કહ્યું, ‘જ્યારે હું મોટી થઈ, ત્યારે દરેક માતાપિતાની જેમ, મારા માતા અને પિતા બંને મારા લગ્ન વિશે ચિંતિત હતા.’ તે સમયે, મારો પરિચય બે-ત્રણ લોકો સાથે થયો હતો, પરંતુ તે સમયે હું લગ્ન પ્રત્યે ગંભીર નહોતી. પછી મહારાજા સમરજીત સિંહ ગાયકવાડના ફોઇએ મારા પિતાનો સંપર્ક કર્યો અને પછી મારી અને મહારાજા વચ્ચે મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું.
સમરજીત ખૂબ જ સરળ અને સીધા વ્યક્તિ છે. તેમને મળ્યા પછી મને લાગ્યું કે તે બીજા લોકો કરતા અલગ છે, તેમણે મને પૂછ્યું કે ‘મને શેમાં રસ છે?’ તેથી મેં તરત જ તેમને મારા અભ્યાસ વિશે કહ્યું. આ માટે તેમણે મારી પ્રશંસા કરી. જ્યારે હું તેમને મળી ત્યારે મને ખબર નહોતી કે તેઓ વડોદરાના લક્ષ્મી પેલેસમાં રહે છે. તેમણે હસતાં હસતાં કહ્યું કે- ‘તે સમયે ગૂગલ નહોતું.’ તેમણે એ પણ કહ્યુ કે તેમના પતિની ફોઇને તેમના વિશે તેમની નણંદ એટલે કે મહારાજાની બહેન અલોકિતા રાજેએ તેમના વિશે જણાવ્યું હતું, જેમણે રાધિકાને ફક્ત 12 વર્ષની ઉંમરે લગ્ન સમારંભમાં જોઈ હતી.
જ્યારે મહારાજા માટે જીવનસાથીની શોધ ચાલી રહી હતી, ત્યારે આલોકિતા રાજેના મનમાં રાધિકાનો વિચાર આવ્યો. મહારાજાને મળ્યા પછી સમરજીત સિંહ પણ ખૂબ પ્રભાવિત થયા અને તેમણે તરત જ લગ્ન માટે સંમતિ આપી. ભલે આ રજવાડા હવે અસ્તિત્વમાં નથી, પણ આ રાજવંશો હજુ પણ લોકોમાં જીવંત છે. સમરજીત અને રાધિકારાજેને બે પુત્રીઓ છે, ‘નારાયણી’ અને ‘પદ્મજા’ છે.
સમરજીત પોતે રાધિકારાજેની સુંદરતાથી મોહિત થયા હતા, તે હંમેશા તેમને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરતા. તમારામાંથી બહુ ઓછા લોકોને ખબર હશે કે ગ્રેજ્યુએશન પછી રાધિકારાજે એ બે વર્ષ સુધી ઇન્ડિયન એક્સપ્રેસમાં પત્રકાર તરીકે પણ કામ કર્યું. રાધિકા અને સમરજીતનો સંબંધ મરાઠા અને ક્ષત્રિય રાજવંશનો એક અનોખું મિલન છે. રાધિકારાજે વિન્ટેજ કારના ખૂબ શોખીન છે અને તેમણે ચંદેરી કલાને પુનર્જીવિત કરવા માટે વ્યાપકપણે કામ કર્યું છે.
તેમણે પ્રખ્યાત ચિત્રકાર રવિ વર્માના ચિત્રોને પુનઃસ્થાપિત કરવા માટે પણ વ્યાપકપણે કામ કર્યું છે, જે તેમને ભેટ તરીકે વારસામાં મળ્યા હતા. જણાવી દઈએ કે દેશના સૌથી ધનિક ક્રિકેટર મહારાજા સમરજીત સિંહ ગાયકવાડ પાસે વિશાળ લક્ષ્મી પેલેસ ઉપરાંત 600 એકર અચલ સંપત્તિ છે. મહારાણી રાધિકારાજે જે મહેલમાં રહે છે તે વિશ્વના સૌથી મોટા પ્રાઇવેટ આવાસમાંનુ એક છે. આ મહેલ 30 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલો છે, જે મુકેશ અંબાણીના એન્ટિલિયા કરતા 61 ગણો મોટો અને યુકેના બકિંગહામ પેલેસ કરતા પણ ભવ્ય છે.
