ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ ભારતની જીતના જશ્ન દરમિયાન હિંસા, લોકો પર થયો પથ્થરમારો અને વાહનો તથા દુકાનોને લગાવી આગ; જુઓ

ઇન્દોરમાં રવિવારે રાતે તે સમયે તાણવીની સ્થિતિ બની ગઈ જાયે ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીતના જશ્ન દરમિયાન બે જૂથો સેમ-સામે આવી ગયા. આ ઘટના જમા મસ્જિદ જોડે થઇ, જ્યાં રેલી નીકાળી રહેલા લોકો અને એક અન્ય જૂથ વચ્ચે વિવાદ વધી ગયો. જોત જોતામાં બોલા ચાલી પથ્થર મારામાં ફેરવાઈ ગઈ. જેનાથી વિસ્તારમાં અરાજકતા ફેલાઈ ગઈ.પ્રત્યક્ષ સાક્ષીઓ અનુસાર, જ્યારે રેલી ભારતના વિજયની ઉજવણી માટે બહાર નીકળી હતી, ત્યારે બંને જૂથો વચ્ચે બોલા ચાલી શરૂ થઈ હતી, જેણે જોત જોતામાં હિંસક સ્વરૂપ લીધું હતું.

અસામાજિક તત્વોએ જશ્ન કરી રહેલા લોકો પર પથ્થર મારો શરુ કરી દીધો હતો જેનાથી ઘણા લોકો ઘાયલ થયા હતા. પરિસ્થિતિ બેકાબૂ થતા અસામાજિક તત્વોએ વાહનોમાં તોડફોડ કરવાનું શરૂ કર્યું. રિપોર્ટ મુજબ, બે વાહનો અને બે દુકાનોને આગ લાગી હતી.બીજી તરફ, માહિતી પ્રાપ્ત થતાંની સાથે જ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. ઇન્દોર ગ્રામીણ અને ઇન્દોર શહેરની પોલીસ પરિસ્થિતિને નિયંત્રિત કરવા સ્થળ પર તૈનાત કરવામાં આવી હતી. પોલીસે ઝડપી કાર્યવાહી કરી, ભીડને વિખેરી નાખી અને આ વિસ્તારમાં શાંતિ પુન સ્થાપિત કરી. આ સિવાય સૈન્યના જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે અને આર્મીની યુનિટ હંમેશા અહીં તૈનાત રહે છે, તેથી આ વિસ્તારમાં અલગ સૈન્ય બોલાવવાની જરૂર નથી.

મોહુ પોલીસ વહીવટીતંત્રે જણાવ્યું હતું કે હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ વધારાના પોલીસ દળ સાવચેતી વિસ્તારમાં પોસ્ટ કરવામાં આવશે. આ ઘટનામાં સામેલ લોકોની ઓળખ કરવામાં આવી રહી છે અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વહીવટીતંત્રે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને શાંતિ જાળવવાની અપીલ કરી છે.ઇન્દોર કલેક્ટર આશિષસિંહે પીટીઆઈને જણાવ્યું હતું કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને આ વિસ્તારમાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. આ કેવી રીતે થયું, તેની તાપસ પછીથી કરવામાં આવશે. પરિસ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે.

તે જ સમયે, સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ ઘટનાને કારણે શહેરના ઘણા વિસ્તારોમાં ગભરાટ મચી ગઈ હતી અને ઘણા વાહનોને આગ લાગી હતી. ક્રિકેટ પ્રેમીઓના જૂથે ન્યુઝીલેન્ડ સામે ભારતની અંતિમ જીતની ઉજવણી માટે રેલીનું આયોજન કર્યું હતું. જો કે, તે જામા મસ્જિદ વિસ્તારની નજીક આવતાની સાથે જ, લોકોના મોટા જૂથે તેમના પર પત્થરો ફેંકવાનું શરૂ કર્યું, જેનાથી અંધાધૂંધી પડી અને તેમની મોટરસાયકલો છોડી દેવા માટે દબાણ કર્યું. આ પછી, કેટલાક લોકોએ વાહનોને આગ લગાવી, જેણે તણાવમાં વધુ વધારો કર્યો.

Previous Article

અરે બાપ રે, 3 લાખ વાળો શેર 1 લાખ 41 હજાર આવી ગયો, શેરબજારમાં મચી ગઈ મોટી બબાલ, જુઓ નામ

Next Article

‘જન્નત’ ફેમ સોનલ ચૌહાણે શેર કરી ગોર્જિયસ અને બોલ્ડ તસવીરો, ક્રેઝી થયા ફેન્સ- કરી રહ્યા છે કોમેપ્લિમેન્ટ્સનો વરસાદ

error: Protected Content!
Exit mobile version