સોશિયલ મીડિયાની દુનિયામાં ક્યારે શું વાયરલ થઇ જાય તે કહેવું મુશ્કેલ છે. અહીં દરરોજ કંઈક ને કંઈક એવું જોવા મળે છે, જે લોકોને વિચારવા મજબૂર કરે છે. આ દરમિયાન ઇન્ટરનેટ પર આવો જ એક વીડિયો લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. આ વીડિયો એક મહાદેવ મંદિરનો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં, પૂજા દરમિયાન શિવલિંગની નજીક જે કંઈ થઈ રહ્યું છે, લોકો તેને ચમત્કાર ગણાવી રહ્યા છે, તમે જોઈ શકો છો કે કેટલાક લોકો ભોલેનાથ મંદિરમાં જમીન પર બેસીને સતત ઓમ નમઃ શિવાયનો જાપ કરી રહ્યા છે.
પરંતુ પછી મંદિરની અંદર કંઈક એવું થાય છે, જેને જોઈને શિવભક્તો પણ ચોંકી જાય છે. તેઓ કહી રહ્યા છે કે આ કોઈ ચમત્કારથી ઓછું નથી. વીડિયોમાં તમે જોશો કે શિવલિંગ પાસે એક ત્રિશૂળ જમીનમાં દટાયેલું છે. શિવભક્ત ઓમ નમઃ શિવાયનો જાપ કરતાની સાથે જ ત્રિશૂળ આપમેળે હલવા લાગે છે. ત્રિશૂળ પોતાની મેળે હલતું હોય છે અને આવું એક-બે વાર નહીં પણ ઘણી વાર થાય છે. સ્વાભાવિક છે કે આવું દ્રશ્ય જોઈને કોઈને પણ આઘાત લાગશે.
જોકે, ગુજ્જુરોક્સ આ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી. આ સમાચાર એક વાયરલ ક્લિપ પર આધારિત છે. આ વીડિયો @ankit.ay924 નામના યુઝરે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેના કેપ્શનમાં લખ્યું છે- આજે જબરદીમાં નર્મદેશ્વર મહાદેવ મંદિરમાં મહાકાલના સાક્ષાત દર્શન થયા. 26મી ફેબ્રુઆરી એટલે કે મહાશિવરાત્રીના પવિત્ર અવસર પર પોસ્ટ કરાયેલો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેને લાખો લોકોએ જોયો છે.
