સાધારણ બેગ લઇને મહાકુંભમાં પહોંચી 775 કરોડની માલકીન, જરા પણ દેખાડો નહિ…નામ જાણી ચોંકી જશો

મહાકુંભ 2025માં દેશ-વિદેશના લોકો ભાગ લઈ રહ્યા છે. તેમાં સામાન્ય ભક્તો ઉપરાંત સેલેબ્સ, ઉદ્યોગપતિ પરિવારના લોકો અને નેતાઓનો સમાવેશ થાય છે. સૌથી ધનિક અને પ્રભાવશાળી લોકો પણ મહાકુંભ તરફ આકર્ષાઈ રહ્યા છે. આમાંનું એક નામ છે સુધા મૂર્તિ. ઈન્ફોસિસ ફાઉન્ડેશનના સ્થાપક નારાયણ મૂર્તિની પત્ની સુધા મૂર્તિ સંગમ સ્નાન માટે મહાકુંભમાં પહોંચી છે.

પોતાની સાદગી માટે પ્રખ્યાત કરોડોની સંપત્તિની માલિક સુધા મૂર્તિ સાધારણ બેગ લઈને મહાકુંભમાં પહોંચી હતી.સુધા મૂર્તિ પ્રખ્યાત સામાજિક કાર્યકર અને લેખિકા છે. સુધા મૂર્તિએ આઠ નવલકથાઓ લખી છે. તે ભારતની સૌથી મોટી ઓટો મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ અને લોકોમોટિવ કંપની ટેલકોમાં કામ કરનાર પ્રથમ મહિલા એન્જિનિયર પણ છે. સુધા મૂર્તિ તેમની સાદગી માટે જાણીતી છે. બેગ લઈને મહાકુંભમાં પહોંચીને તેણે ફરી એકવાર સાદી જીવનશૈલીનો દાખલો બેસાડ્યો.

સુધા મૂર્તિ પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહાકુંભમાં પહોંચી ગઈ છે. તે અહીં ત્રણ દિવસ રોકાશે. સુધા મૂર્તિએ પહેલા દિવસે સંગમમાં સ્નાન કર્યું અને મહાકુંભની વ્યવસ્થા જોઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વખાણ કર્યા. મીડિયા સાથે વાત કરતા સુધા મૂર્તિએ કહ્યું કે તેમના માટે આ ખૂબ જ ખાસ પ્રસંગ છે કે તે પ્રયાગરાજના પવિત્ર સ્થળ પર આવી રહી છે અને મહાકુંભનો ભાગ બની રહી છે. આ મહાકુંભનું આયોજન 144 વર્ષ પછી થઈ રહ્યું છે અને સુધા મૂર્તિ પોતે તેનાથી ખૂબ જ ઉત્સાહિત અને ખુશ છે.તેણીએ જણાવ્યું કે તે ત્રણ દિવસનું વ્રત પૂર્ણ કરવા મહાકુંભમાં આવી છે.

વાસ્તવમાં, સુધા મૂર્તિએ ત્રણ દિવસ સુધી સંગમમાં સ્નાન કરવાનો સંકલ્પ લીધો હતો, જેને પૂર્ણ કરવા માટે તે 20 જાન્યુઆરીએ મહાકુંભમાં પહોંચી હતી. 20મી જાન્યુઆરીએ તેમણે સંગમમાં સ્નાન કર્યું હતું. તે પછી, 21 જાન્યુઆરીએ બે વાર સંગમમાં ડૂબકી લગાવી. તે 22 જાન્યુઆરીએ પરત ફરતા પહેલા પણ સંગમમાં સ્નાન કરશે. સુધા મૂર્તિ 10 વર્ષથી સંગમ સ્નાન કરવા માગતી હતી અને હવે તેની રાહ પૂરી થઈ ગઈ છે.સુધા મૂર્તિ મહાકુંભમાં આવીને ઉત્સાહિત છે કારણ કે તેના દાદા-દાદી મહાકુંભમાં આવવા માંગતા હતા. જો કે તે સમયે અનેક સુવિધાઓના અભાવે તેઓ સંગમ સ્નાન કરી શક્યા ન હતા. સુધા મૂર્તિ તેના દાદા-દાદીનું અધૂરું સપનું પૂરું કરવા કુંભ પહોંચી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુધા મૂર્તિના પતિ નારાયણ મૂર્તિ લગભગ $4.4 બિલિયન એટલે કે 36,690 કરોડ રૂપિયાના માલિક છે. જ્યારે સુધા મૂર્તિની કુલ સંપત્તિ 775 કરોડ રૂપિયાની આસપાસ છે. તેમની આવકનો સ્ત્રોત સુધા મૂર્તિના પુસ્તકો અને અન્ય સ્ત્રોતોની રોયલ્ટી છે. સુધા મૂર્તિ પાસે બેંગલુરુમાં લક્ઝુરિયસ કિંગફિશર ટાવરના 23મા માળે રૂ. 29 કરોડનો ફ્લેટ છે, જે તેમણે લગભગ 4 વર્ષ પહેલાં ખરીદ્યો હતો. તાજેતરમાં જ તેમના પતિ નારાયણ મૂર્તિએ પણ આ જ બિલ્ડિંગના 16મા માળે ચાર બેડરૂમનો આલીશાન ફ્લેટ ખરીદ્યો હતો.જેની કિંમત લગભગ 50 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

Previous Article

મહાકુંભમાં વાયરલ ગર્લની બહેનને પણ 'મોનાલિસા' સમજી રહ્યા છે લોકો, છોકરીએ કેમેરા આગળ આવી જણાવી સંબંધની હકિકત !

Next Article

કુંભમેળાની મોનાલીસાને મળી હતી સારા અલી ખાન સાથે ફિલ્મની ઓફર, વીડિયોમાં ખુલી આખી સચ્ચાઈ, જુઓ વીડિયો

error: Protected Content!
Exit mobile version