કરણ જોહરનો ટોક શો કોફી વિથ કરણ હાલમાં ચર્ચામાં છે. આ સીઝનમાં ઘણા જાણીતા સ્ટાર્સ પોતાની લવ લાઈફ વિશે ખુલાસો કરતા જોવા મળ્યા છે. ત્યારે હવે કોફી વિથ કરણના 10માં એપિસોડમાં બોલિવુડની ગોર્જિયસ અભિનેત્રી કેટરિના કૈફ કો-સ્ટાર ઇશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદી સાથે આવવાની છે. જ્યાં તેઓ ખૂબ જ મસ્તી કરતા જોવા મળવાના છે. સીઝનની આ પ્રથમ ત્રિપુટીએ બ્રોમાન્સ, લવ ઈન્ટરેસ્ટ અને સુહાગરાત જેવા ટોપિક્સ પર ખુલ્લેઆમ ચર્ચા કરતા જોવા મળશે.કોફી વિથ કરણના આ એપિસોડનો એક પ્રોમો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે, જેમાં કેટરીના સુહાગરાત પર વાત કરતી જોવા મળી.
કોફી વિથ કરણમાં અત્યાર સુધી માત્ર 2 સ્ટાર જ જોવા મળ્યા છે, પરંતુ શોના નેક્સ્ટ એપિસોડમાં ત્રણ સ્ટાર્સ પહેલીવાર જોવા મળશે. કેટરિનાનો પતિ વિક્કી કૌશલ આ શોમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળી ચૂક્યો છે અને તેઓએ તેમના લગ્નના ઘણા રહસ્યો અહીં જાહેર કર્યા હતા, પરંતુ હવે કેટરિના કૈફનો વારો છે. કેટરીના અહીં તેના સુહાગરાત પર વાત કરતી જોવા મળશે.કેટરીના સુહાગરાતને બદલે ‘સુહાગદિન’ વિશે વાત કરતી જોવા મળવાની છે. જણાવી દઇએ કે, તાજેતરમાં જ આલિયા-રણબીરએ એપ્રિલ મહિનામાં પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કર્યા હતા.
આવી સ્થિતિમાં કરણ જોહરના શોમાં લગ્નની ચર્ચાની સાથે સાથે ‘સુહાગરાત’ જેવા વિષય પર પણ ઘણી ચર્ચા થઈ રહી છે. જ્યારે આલિયા ભટ્ટે કરણના શોમાં ‘સુહાગરાત’ના કન્સેપ્ટને મિથ તરીકે ફગાવી દીધો હતો, ત્યારે કેટરીના કૈફે ‘સુહાગરાત’ને બદલે ‘સુહાગદિન’ની વાત કરી હતી. કેટરિના કહે છે, ‘હંમેશા સુહાગરાત હોય એ જરૂરી નથી. સુહાગદિન પણ હોઇ શકે છે. કેટરીના પહેલા આલિયા ભટ્ટ તેના કો-સ્ટાર રણવીર સિંહ સાથે શોમાં આવી હતી અને કરણ જોહરના સવાલ પર બોલતા તેણે કહ્યું હતું કે, ‘સુહાગરાત જૂઠ છે, આવું કંઈ થતું નથી.’
બીજી તરફ, રણવીર સિંહે આનાથી અલગ અભિપ્રાય રાખીને પોતાની વાત રાખી હતી. હવે કેટરિના કૈફ પણ તેના લગ્ન વિશે વાત કરતી જોવા મળશે. તમને જણાવી દઈએ કે સિદ્ધાંત, ઈશાન અને કેટરીના આ એપિસોડમાં ખૂબ જ મસ્તી કરતા જોવા મળવાના છે. સિદ્ધાંતે ઈશાનની રિલેશનશિપ સ્ટેટસ જણાવતા તેની મજાક ઉડાવી હતી. તેણે કહ્યું કે તે એટલો સિંગલ છે કે ઈશાન ખટ્ટર પણ તેની કંપનીમાં રહીને સિંગલ થઈ ગયો છે. પ્રોમો વીડિયોમાં ગેમ રાઉન્ડમાં પણ ત્રણેય સ્ટાર્સ ખૂબ જ મસ્તી કરતા જોવા મળ્યા હતા.
