ટ્રાફિકની હવાથી વિજળી ! આ આઇડિયાએ મનીષ સિસોદિયાને કર્યા ઇમ્પ્રેસ, બોલ્યા- દિલ્હીમાં પણ કરશે ટ્રાય

તમે ટ્રાફિક જામનો સામનો કર્યો હશે, પરંતુ શું તમે ક્યારેય કલ્પના કરી શકો છો કે આ ટ્રાફિકમાંથી વીજળી ઉત્પન્ન થઈ શકે ? આ વાત અજીબ લાગી શકે છે, પરંતુ આ માત્ર કાલ્પનિક નથી, વાસ્તવિકતા છે. આ ઈનોવેશન એ માત્ર દુનિયાભરના લોકોનું જ ધ્યાન નથી ખેંચ્યું, પરંતુ દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ તેના ફેન બની ગયા છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં રસ્તા વચ્ચે આ ડિવાઈસ ઈન્સ્ટોલ કરેલ જોવા મળી રહ્યા છે.

આ વર્ટિકલ ટર્બાઇન ટ્રાફિકની હવાથી વીજળી ઉત્પન્ન કરીને બધાને હેરાન કરી રહ્યા છે. આ શક્તિઓમાંથી ઉત્પન્ન થતી ઉર્જા સ્ટ્રીટ લાઇટ અને અન્ય સાધનોને શક્તિ આપે છે. તેમની સાથે સોલાર પેનલ્સ જોડવાથી આ ટેક્નોલોજી વધુ પર્યાવરણને અનુકૂળ બની જાય છે. એક ENLIL ટર્બાઇન આખા દિવસ માટે બે ઘરોને વીજળી પૂરી પાડી શકે છે.

ENLIL ટર્બાઈન્સમાં બિલ્ટ-ઈન સેન્સર હોય છે, જે તાપમાન, ભેજ, ભૂકંપની પ્રવૃત્તિ અને કાર્બન ફૂટપ્રિન્ટનો રેકોર્ડ રાખે છે. ENLIL નો આઇડિયા કેરેમ દેવસી નામના બિઝનેસમેનનો છે. ઇસ્તાંબુલમાં બસ યાત્રા દરમિયાન તેમને આ વિચાર આવ્યો. સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી વખતે તેમણે તેમના બેડરૂમમાં તેનો પ્રોટોટાઇપ તૈયાર કર્યો. થોડા વર્ષો પહેલા તેમણે ઈન્સ્ટાગ્રામ પેજ પર વીડિયો પણ શેર કર્યો હતો.

આ ટેક્નોલોજી ભારતમાં પણ ચર્ચાનો વિષય બની હતી. દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પોતાના સોશિયલ મીડિયા પર આ વિચાર શેર કરતા લખ્યું, ‘ખૂબ સારો વિચાર… ટ્રાફિકમાંથી ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે. દિલ્હીમાં પણ અજમાવીશું.

Previous Article

યે કમ્બક્ત ઈશ્ક! એક મહિલા પોલીસ અધિકારીને કેદી સાથે થયો પ્રેમ, જેલમાં જ કરી નાખ્યો કાંડ! પછી.. જાણો સમગ્ર મામલો

Next Article

PM મોદીએ રાજસ્થાનના કરણી માતા મંદિરમાં કર્યા દર્શન, જાણો શું છે ઇતિહાસ- સફેદ ઉંદર જોવા મળી જાય તો મનોકામના થાય છે પુરી

error: Protected Content!
Exit mobile version