સાઉથના ફેમસ ડાયરેક્ટરે કરી અચાનક આત્મહત્યા, અહિયાંથી સડેલી હાલતમાં લાશ મળી, જાણો સમગ્ર વિગત

બેંગલુરુમાં કન્નડ ફિલ્મ ઉદ્યોગને એક મોટો આઘાત લાગ્યો છે. જાણીતા ફિલ્મ દિગ્દર્શક ગુરુપ્રસાદનું દુःખદ અવસાન થયું છે. તેમના બેંગલુરુ સ્થિત નિવાસસ્થાનમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આર્થિક મુશ્કેલીઓના કારણે આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે.

સ્થાનિક નિવાસીઓએ ઘરમાંથી આવતી અસહ્ય દુર્ગંધની ફરિયાદ બાદ પોલીસને જાણ કરી હતી. પોલીસ તપાસમાં ગુરુપ્રસાદનો મૃતદેહ સીલિંગ ફેન સાથે લટકતી હાલતમાં મળ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આર્થિક સંકટ અને તાજેતરની ફિલ્મ ‘રંગનાયકા’ની નિષ્ફળતાએ તેમને ડિપ્રેશનમાં ધકેલ્યા હતા.

52 વર્ષીય દિગ્દર્શક પર નોંધપાત્ર દેવું હતું અને અનેક કાનૂની કેસોનો સામનો કરી રહ્યા હતા. તાજેતરમાં જ તેમણે બીજા લગ્ન કર્યા હતા અને તેમની ગર્ભવતી પત્ની ઘટના સમયે તેના મામાના ઘરે હતી.

2 નવેમ્બર 1972ના રોજ બેંગલુરુમાં જન્મેલા ગુરુપ્રસાદે 2006માં ‘માતા’ ફિલ્મથી દિગ્દર્શન ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. તેમની પ્રથમ ફિલ્મની સફળતા બાદ ‘અદેલુ મંજુનાથ’ જેવી હિટ ફિલ્મો આપી હતી. તેઓ અભિનય અને રિયાલિટી શો જજિંગમાં પણ સક્રિય હતા. ‘બિગ બોસ કન્નડ’ની બીજી સીઝનમાં વાઈલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ તરીકે પણ જોડાયા હતા.

તેમની અંતિમ ફિલ્મ ‘અડેમી’નું શૂટિંગ ચાલી રહ્યું હતું, જે હવે અધૂરું રહી જશે. કન્નડ ફિલ્મ ઉદ્યોગે એક પ્રતિભાશાળી કલાકાર ગુમાવ્યો છે.

Previous Article

ભારતીય ટ્રેનના ટોઇલેટમાં વિદેશી મહિલા વ્લોગરે વીડિયો બનાવી કર્યો વાયરલ, સોશિયલ મીડિયા પર ભારે આક્રોશ

Next Article

આ દેશી ભોજપુરી અભિનેત્રીનું બ્લેક ડ્રેસમાં હોટ ફોટોશૂટ, તસવીરો જોશો તો પોતાનાં પર કન્ટ્રોલ નહીં રાખી શકો……

error: Protected Content!
Exit mobile version