ખુશખબરી: આજે 14 જૂનથી 29 જૂન સુધી મિથુન રાશિમાં ગોચર કરશે બુધ, આ ત્રણ રાશિના લોકોની કિસ્મતનું ખુલશે તાળુ

બુધને ગ્રહોનો રાજકુમાર કહેવામાં આવે છે. બુધને બુદ્ધિ, તર્ક, સંવાદ, ગણિત, અર્થવ્યવસ્થા અને વેપારનો કારક માનવામાં આવે છે, આવી સ્થિતિમાં જો બુધ કોઈની કુંડળીમાં શુભ સ્થાનમાં સ્થિત હોય તો તેને આ તમામ કારકોની પ્રાપ્તિ થાય છે. બુધની મહાદશાની અસર 17 વર્ષ સુધી રહે છે. બુધનું સંક્રમણ વિવિધ રાશિના લોકોને અસર કરે છે. હાલમાં બુધ વૃષભ રાશિમાં સ્થિત છે અને હવે થોડા દિવસોમાં તે મિથુન રાશિમાં સંક્રમણ કરશે. આ સંક્રમણ ત્રણ રાશિના લોકો માટે શુભ સાબિત થશે. બુધ 14 જૂને રાત્રે 11:05 કલાકે વૃષભથી મિથુન રાશિમાં સંક્રમણ કરશે અને 29 જૂન સુધી આ રાશિમાં રહેશે.

વૃષભ રાશિ : બુધના સંક્રમણને કારણે વૃષભ રાશિના જાતકોની સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. નોકરી કરતા લોકો માટે પ્રમોશનની સંભાવના છે અને તમને કોઈ મોટી જવાબદારી પણ મળી શકે છે. જો તમે આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો આ સમસ્યા પણ ખતમ થવા જઈ રહી છે. આવકના નવા સ્ત્રોત ખુલશે. આ ઉપરાંત વિવાહિત જીવન પણ સુખી રહેશે.

કન્યા રાશિ : કન્યા રાશિના જાતકોને બુધ ગોચરના સકારાત્મક પરિણામ મળશે. અટકેલા કામ પૂરા થશે અને નવી સફળતા મળશે. જે લોકો વ્યવસાયના ક્ષેત્રમાં છે તેમના માટે આ સમય અનુકૂળ છે, કોઈ મોટી વાત થઈ શકે છે. નોકરી શોધી રહેલા લોકોને સફળતા મળશે.

તુલા રાશિ : આ સંક્રમણથી તુલા રાશિના લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. કરિયરના ક્ષેત્રમાં તમને સફળતા મળશે. પરિવાર તરફથી સહયોગ મળશે.

(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)

Shah Jina
Exit mobile version