આપનો ભારત દેશ પરંપરા અને કહાનીઓનો દેશ છે. અહીંની કોઈને કોઈ પરંપરા કોઈને કોઈ કહાની સાથે જોડાયેલી છે.કહેવામાં આવે છે કે, શ્રીફળ વગર કોઈ પણ પૂજાને અધૂરી માનવામાં આવે છે. કોઈ પણ પૂજા-અર્ચનામાં શ્રીફળનું આગવું મહત્વ છે. પરંતુ શું તમને ક્યારે ખબર છે કે વિચાર્યું છે કે, નારિયેળ હંમેશા પુરુષ જ કેમ ફોડે છે ?

નારિયેળ હંમેશા પુરુષ જ ફોડે છે, તેની પાછળનું એક કારણ છે. નારિયેક એક ફળ નહીં પરંતુ એક બીજ છે. બીજથી જ એક બાળકનો જન્મ થાય છે. મહિલાઓ પણ બાળકને જન્મ આપે છે, ત્યારે તે એક બીજને કેવી રીતે નુકસાન પહોંચાડી શકે છે.

તેથી મહિલાઓને નાળિયેલ ફોડવાથી રોકવામાં આવે છે. તેથી દેવી-દેવતાઓને શ્રી ફળ ચડાવ્યા બાદ પુરુષ જ નાળિયેર ફોડે છે. નાળિયેળમાંથી નીકળતા જળથી ભગવાનની પ્રતિમાનો અભિષેક કરવામાં આવે છે.

માન્યતા એ પણ છે કે, નારિયેળ ભગવાન વિષ્ણુ તરફથી મોક્લવામાં આવેલું પૃથ્વી પરનું પહેલું ફળ છે. આ ફળપર લક્ષ્મીજી સિવાય બીજી કોઈ સ્ત્રીનો અધિકાર નથી માટે મહિલાઓને નારિયેળ ફોડવાથી રોકવામાં આવે છે.

નારિયેળના વૃક્ષને કલ્પવૃક્ષ કહેવામાં આવે છે. નારિયેળને બ્રહ્મ,વિષ્ણુ, મહેશ ત્રણેય દેવતાઓનો વાસ માનવામાં આવે છે. આ પણ એક કારણ છે મહિલાઓને નારિયેળથી દૂર રાખવાનું.

ધાર્મિક ઉપયોગીતા સિવાય નારિયેળ સ્વાસ્થ્ય માટે પણ લાભકારી છે. તેની ભરપૂર માત્રામાં કેલેરી મળે છે. ગરમીઓમાં નારિયેળનું સેવન કરવાથી શરીરને ઠંડક મળે છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.