અમદાવાદ : છેલ્લા શ્વાસ સુધી વૃદ્ધાની સેવા કરનાર પાડોશીઓને મળી વૃદ્ધાના જીવનની બચત, અધધધ લાખ રૂપિયા કર્યા બે બહેનોના નામે

છેલ્લા શ્વાસ સુધી એક પણ સગાસંબંધીએ પૂછ્યું નહીં, પાડોશી ધ્યાન રાખતા હતા, તો મહિલાએ આ ઉપકારનો બદલો અધધધધધ લાખ રૂપિયા આપીને કર્યો…

અમદાવાદમાંથી હાલ એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. એક પાડોશીએ પોતાના જીવનની બચત બે બહેનોના નામે કરી દીધી, જેમણે તેમની નિસ્વાર્થ ભાવે સેવા કરી હતી અને છેલ્લા દિવસ સુધી તેમની દેખરેખ રાખી હતી. કોકિલાબેન તો ચાલ્યા ગયા પણ સોહિની પટેલ અને હેમાંગિની શાહના પોસ્ટ બચત ખાતામાં 19 લાખ રૂપિયા મૂકતા ગયા. જો કે, મૃતક મહિલાના ભત્રીજાએ તેમના દાવાને પડકાર્યા બાદ બહેનોએ પૈસાનો દાવો કરવા માટે કોર્ટમાં લડત આપવી પડી હતી, પરિણામે પોસ્ટ ઓફિસે તેમને પૈસા મેળવવામાં રોક્યા હતા. બે બહેનોનો પરિવાર અને કોકિલાબેન પડોશી હતા.

representative image

લાંબા સમયથી અમદાવાદના કૃષ્ણનગર ખાતે આવેલા અભિનવ એપાર્ટમેન્ટમાં તેઓ રહેતા હતા. ભટ્ટ એક નિવૃત્ત સરકારી શિક્ષક અને અપરિણીત હતા પરંતુ સોહિની અને હેમાંગીની સાથે તેમનો અત્યંત ગાઢ સંબંધ હતો. બંને બહેનોના લગ્ન થયા પછી પણ પરિવારો નજીક રહેતા હતા. બહેનો અને તેમના પરિવારજનોએ કોકિલાબેનની કાળજી લેવાનું ચાલુ રાખ્યું અને તેમને જરૂરી તમામ મદદ પૂરી પાડી. જ્યારે તેમની તબિયત બગડવા લાગી, ત્યારે કોકિલાબેને સોહિની પટેલ અને હેમાગીની શાહના પતિ શૈલેષ શાહનું નામ 2018માં સૈજપુર બોઘા પોસ્ટ ઓફિસમાં તેમના સેવિંગ બેંક એકાઉન્ટમાં નોમિની તરીકે રાખ્યું.

મૃતક

ભટ્ટનું 23 મે 2020ના રોજ 83 વર્ષની વયે કોરોના રોગચાળા દરમિયાન અવસાન થયું હતુ અને બંને બહેનોએ 6 જુલાઈ, 2020ના રોજ બચત ખાતામાં નાણાંનો દાવો કર્યો. જો કે, કોકિલાબેનના ભત્રીજાએ રકમ પર દાવો કર્યો હોવાથી તેમને ફંડ મેળવવાની મંજૂરી પોસ્ટઓફિસે આપી ન હતી. સોહિની અને શૈલેષે શરૂઆતમાં વિભાગ સાથે આ બાબતનો પીછો કર્યો હતો, પરંતુ બાદમાં એડવોકેટ નિશિત ગાંધી અને કેવિન વીરવડિયા મારફત હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે વિભાગે બહેનોને રકમ ચૂકવવી જ જોઈએ કારણ કે તેઓ ખાતાધારકના નોમિની છે.

representative image

તેમણે કહ્યુ- હાઈકોર્ટે અમારી તરફેણમાં ચુકાદો આપ્યા પછી મને ટપાલ વિભાગ તરફથી રૂ. 19 લાખનો ચેક મળ્યો. અમે બચત ખાતામાં નોમિની હોવા છતાં નાણાં મેળવવા માટે બે વર્ષ સુધી વિભાગ સામે લડવું પડ્યું,” BSNLમાંથી નિવૃત્ત થયેલા 63 વર્ષીય સોહિની પટેલે જણાવ્યું હતું. તેઓ 1967થી કોકિલા ફોઇની સંભાળ રાખી રહ્યા છે કારણ કે તેમના કોઈ નજીકના સંબંધીઓ નથી. “તેમના મૃત્યુના ત્રણથી ચાર વર્ષ પહેલાં, તેમની તબિયત બગડી હતી પરંતુ કોઈ તેમની સંભાળ લેવા આગળ આવ્યું ન હતું. મારી બહેન લગ્ન પછી પણ તેમની નજીક રહી, જેથી તે અને તેનો પતિ નિયમિતપણે તેની સંભાળ રાખી શકે,”

સોહિનીબેન

સોહિનીબેને કહ્યું. કોકિલાબેને સ્વેચ્છાએ પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટમાં તેમને નોમિનેટ કર્યા હતા. “મારી બહેન અને તેના પતિને પણ કોકિલા ફોઇનું ઘર વારસામાં મળ્યું હતું. અમે તેમના અંતિમ સંસ્કાર કર્યા. અમે તેમને પોસ્ટલ વિભાગ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આખરે, હાઈકોર્ટે અમારી તરફેણમાં ચુકાદો આપ્યો,” બહેનોના જે વકીલ હતા તેમણે કહ્યુ- પોસ્ટ ઓફિસ સેવિંગ્સ બેંક મેન્યુઅલના નિયમો મુજબ, નોમિનીને દાવાઓ કરતા અન્ય તમામ લોકો પર અગ્રતા છે અને નોમિનીને ચૂકવણી પોસ્ટ ઓફિસને અન્ય તમામ ભવિષ્યની જવાબદારીમાંથી મુક્ત કરે છે. “અમારી અરજી સાંભળ્યા પછી, હાઇકોર્ટે વિભાગને દાવાની પતાવટ કરવા કહ્યું, નહીં તો તે 10,000 રૂપિયાનો દંડ લાદશે,”

Shah Jina