અરજી લઇને છતરપુર બાગેશ્વર ધામમાં ગયેલી મહિલાનું મોત, એમ્બ્યુલન્સે કહ્યુ- મૃતદેહ જ્યાં લેવો હોય ત્યાં લઈ જાવ…

સારવાર માટે બાગેશ્વર ધામની પરિક્રમા, બાગેશ્વર ધામમાં અરજી લગાવ્યા પહેલા જ મહિલાનું મોત, પતિ બોલ્યો- ભભૂતિથી થઇ જતી હતી ઠીક

આ દિવસોમાં મધ્યપ્રદેશના બાગેશ્વર ધામમાં ધાર્મિક મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ મહાકુંભમાં પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પણ દિવ્ય ચમત્કારિક દરબારનું આયોજન કરી રહ્યા છે. આ દૈવી ચમત્કારિક દરબારમાં 15 ફેબ્રુઆરીના રોજ ભારે ભીડ વચ્ચે એક બીમાર મહિલા પોતાની પીડા સાથે અરજી કરવા પહોંચી હતી, તેની અરજીનો નંબર આવે તે પહેલા જ તેનું મોત થયું હતું. તે ખૂબ જ બીમાર હતી.મૃતક મહિલાનું નામ નીલમ દેવી છે, જે ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદની રહેવાસી છે.

મહિલાના પતિ દેવેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે તે બીમાર હતી અને હું તેની સાથે રોજ પરિક્રમા કરતો હતો, પરંતુ વચ્ચે-વચ્ચે તેની તબિયત ખરાબ થઇ જતી હતી. 14 ફેબ્રુઆરીએ પણ તેની તબિયત ખરાબ થઇ હતી, અને 15મીએ સવારે તેનું મોત થઇ ગયું. દેવેન્દ્ર સિંહે કહ્યું કે 15 ફેબ્રુઆરીના રોજ હું નીલમ દેવીને મારી સાથે બાગેશ્વર ધામની કોર્ટમાં અરજી કરવા માટે લઈ ગયો હતો, ત્યારબાદ નીલમ દેવીનું મોત થયું હતું.

પતિ દેવેન્દ્ર સિંહના કહેવા પ્રમાણે, નીલમ લાંબા સમયથી કિડનીની બિમારીથી પીડિત હતી. દેવેન્દ્ર સિંહે કહ્યું કે જ્યારે અમે બાગેશ્વર ધામ વિશે સાંભળ્યું ત્યારે અમે અહીં આવ્યા પછી દરરોજ પરિક્રમા કરતા હતા, જ્યારે પણ પત્નીની તબિયત બગડતી ત્યારે સન્યાસી બાબા તેને ભભૂતિ આપીને સાજા કરતા હતા. દિલ્હીના ડૉક્ટરો આશ્ચર્યમાં હતા કે તે કેવી રીતે થઈ રહ્યું છે. 8 મહિનાથી તે આરામથી જમતી હતી, હરતી-ફરતી હતી.

પરંતુ અચાનક તેની તબિયત લથડી અને તેનું મોત થઇ ગયુ. દેવેન્દ્ર સિંહે કહ્યું, ‘બાગેશ્વર ધામમાંથી મળેલી ભભૂતિ પત્નીને આપી જ હતી કે પોલીસવાળા આવ્યા અને કહ્યું- મહિલાને અહીંથી લઈ જાઓ. તેને કારમાં બેસાડી ખેતરની બાજુમાં બે કલાક સુધી ઉભો રાખી. ત્યારબાદ એમ્બ્યુલન્સ આવી અને હોસ્પિટલ લઈ ગઈ, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. તે પછી એમ્બ્યુલન્સ વાળા પર છોડી જતા રહ્યા અને કહ્યું કે- મૃતદેહ જ્યાં લેવો હોય ત્યાં લઈ જાવ.

જો કે, આ મામલે પોલિસ સ્ટેશનના ઇન્ચાર્જે કહ્યુ કે, મહિલાનું પોસ્ટમોર્ટમ જિલ્લા હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. રિપોર્ટ આવ્યા બાદ સ્થિતિ સ્પષ્ટ થશે. ઉલ્લેખનીય છે કે બાગેશ્વર ધામમાં 13 ફેબ્રુઆરીથી ધર્મ મહાકુંભનો ભવ્ય કાર્યક્રમ શરૂ થયો છે, જે 18 ફેબ્રુઆરી સુધી ચાલવાનો છે.

Shah Jina