વંદે ભારત ટ્રેનને લીધે 54 વર્ષીય અમદાવાદની મહિલાનું થયું મૃત્યુ, લોકોના ટોળે ટોળા ભેગા થયા
વંદે ભારત ટ્રેનને જ્યારથી પ્રધાનમંત્રી મોદીએ લીલી ઝંડી આપી છે, ત્યારથી ટ્રેનના અકસ્માતની ખબર સામે આવી રહી છે. એક મહિનામાં જ વંદે ભારત ટ્રેનના ગાય-ભેંસ સાથે અથડાતા ત્રણ અકસ્માત થયા હતા. ત્યારે હાલ ખબર આવી રહી છે કે, વંદે ભારત ટ્રેનની અડફેટે આવી એક મહિલાનું મોત થયુ છે. સવા મહિનામાં જ વંદે ભારત ટ્રેનનો આ ચોથો અકસ્માત છે. મંગળવારે મુંબઈ જતી સેમી હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ટક્કરથી ગુજરાતના આણંદ રેલ્વે સ્ટેશન પાસે એક 54 વર્ષીય મહિલાનું મોત થયું છે.
રેલવે પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકની ઓળખ બીટ્રાઈસ આર્ચીબાલ્ડ પીટર તરીકે થઈ છે. આ અકસ્માત સાંજે 4.37 વાગ્યે થયો હતો. અમદાવાદમાં રહેતી પીટર આણંદમાં એક સંબંધીને મળવા જતી હતી.મહિલા જ્યારે ટ્રેક ક્રોસ કરી રહી હતી ત્યારે જ આ દુર્ઘટના સર્જાઈ હતી. ટ્રેન ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી મુંબઈ સેન્ટ્રલ જઈ રહી હતી. રેલવે અધિકારીએ જણાવ્યું કે આણંદમાં ટ્રેનનું કોઈ સ્ટોપેજ નથી તેમજ વધુ તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક મહિનામાં ટ્રેનની અડફેટે ઢોર આવવાના ત્રણ બનાવો બન્યા છે.
ત્યાં હવે ટ્રેનનો ચોથો અકસ્માત થતા એક મહિલાનું મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. જણાવી દઇએ કે, હાલમાં જ્યારે AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને આ પથ્થરમારો વંદે ભારત ટ્રેન પર કરવામાં આવ્યો હોવાને કારણે બારીના કાચ તૂટ્યા હતા. 29 ઑક્ટોબરના રોજ વલસાડમાં સવારે 8.30 વાગ્યા આસપાસ મુંબઈ-ગાંધીનગર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન સાથે એક ગાય અથડાઈ, જે પહેલા 7 ઓક્ટોબરે આણંદ નજીક ટ્રેન મુંબઈ જઈ રહી હતી
ત્યારે એક ઢોરને ટક્કર મારી અને તેના એક દિવસ પહેલા પણ એટલે કે 6 ઓક્ટોબરના રોજ વટવા અને મણિનગર રેલ્વે સ્ટેશન વચ્ચે મુંબઈથી ગાંધીનગર જતી વખતે ટ્રેનની અડફેટે આવી જતાં ચાર ભેંસોના મોત થયા હતા. ત્યારે સવા મહિનામાં જ વંદે ભારત ટ્રેન સાથે આ ચોથા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે, જેમાં એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જણાવી દઇએ કે, ટ્રેનનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 સપ્ટેમ્બરે ધ્વજવંદન કરીને કર્યું હતું.
54-year-old woman run over by Vande Bharat Express train near Anand in Gujarat: Railway Police
— Press Trust of India (@PTI_News) November 8, 2022