જનેતા જ બની હત્યારી, જામનગરમાં પોતાની કુંખે જણેલા ત્રણ-ત્રણ ફૂલ જેવા બાળકોને માતાએ જ કુવામાં નાખી દીધા, પતિ બની ગયો હતો બાવો

કંપારી છૂટી જાય તેવી ઘટના ઘટી…ભગવાનના પ્રિય એવા ત્રણ-ત્રણ માસૂમ સંતાનોની માં એ હત્યા કરી, કારણ જાણીને મગજ કામ કરતુ બંધ થઇ જશે

કોરોના કાળની અંદર ઘણા  સંકળામણમાં આવીને આપઘાત જેવા પગલાં ભરી લે છે, તો આ સમય દરમિયાન ઘણી જગ્યાએથી સામુહિક આપઘાતના કિસ્સાઓ પણ સામે આવ્યા છે, આવો જ એક કિસ્સો હાલ જામનગરના ખંભાલિડામાંથી સામે આવી રહ્યો છે, જ્યાં એક માતાએ જ પોતાના ત્રણ ફૂલ જેવા બાળકોને કુવામાં નાખી દીધા અને પોતે પણ કુવામાં કૂદવા જતા મોતની બીકે તે બચી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ભે ગામના હોળી ફળિયામાં રહેતા નરેશ ભૂરિયાના લગ્ન ધાનપુર તાલુકાના નવાનગર ગામના ડોબેળ ફળિયામાં રહેતી મેસુડી સાથે થયા હતા. સુખી દાંમ્પત્ય જીવનના પરિપાક રૂપે મેસુડીબેને ચાર બાળકને જન્મ આપ્યો હતો.

પરંતુ નરેશનું મન એકાએક સંસારમાંથી ઉઠી જવાના કારણે તે સાધુ બની ગયો હતો. નરેશે પત્ની-બાળકોનો વિચાર કર્યા વગર જ ઘરેથી નીકળી ગયો હતો જેના કારણે મેસુડીબેને થોડો સમય તો સાસરીમાં ગાળ્યો હતો, પરંતુ એ પછીથી પિયર જતી રહી હતી. બે વર્ષ બાદ નરેશ એકાએક પાછો આવ્યો હતો અને મનામણા કરીને મેસુડી અને બાળકોને ભે ગામે લઇ આવ્યો હતો. થોડો સમય સાથે રહ્યા બાદ નરેશે ફરીથી ઘર છોડી દીધુ હતું.

પ્રારંભમાં તો તેની સાથે ફોન પર વાત પણ થતાં તે હરિદ્વાર તરફ હોવાનું જણાવતો હતો, પરંતુ આશરે છેલ્લા બે માસથી તો તેણે ફોન પણ બંધ કરી દીધો છે. બીજી વખત એકલી પડી ગયેલી મેસુડીબેન સાસરી પક્ષના લોકો સાથે બાળકોને લઇને જામનગરના ખંભાલિડા જતી રહી હતી. પતિની હયાતી છતાં વિધવાનું જીવન અને બાળકોની જવાબદારી નિભાવવા પાછી પડેલી મેસુડીએ અંતે 4 માસની દીકરી રિયા, અઢી વર્ષની માધુરી અને 8 માસના કનેશ સાથે દુનિયા છોડી દેવાનો નિર્ણય કરીને અવિચારી પગલું ભર્યું હતું.

જેના બાદ મસુડીએ ત્રણ બાળકને કૂવામાં ફેંકીને તેમની હત્યા કરી નાખી હતી. તેને પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મૃત્યુ મુખ સામે જોવાતાં કૂવાની પાઇપ પકડી લેતાં તે બચી ગઇ હતી. માતાના હાથે જ મોત પામનારાં ત્રણે બાળકોની ગુરુવારના રોજ ભે ગામમાં એક જ ચિતા ઉપર અંતિમ વિધિ કરવામાં આવી હતી.

મસુડી સામે હત્યા સંબંધી ગુનો દાખલ કરીને પોલીસે તેની અટકાયત કરી લીધી હતી. બીજી તરફ પોસ્ટમોર્ટમની વિધિ બાદ ત્રણે બાળકોની લાશ તેમના દાદા સેનિયાભાઇને સોંપી દેવાઇ હતી. ત્રણે બાળકોની ગુરુવારના રોજ ભે ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

Niraj Patel