દેશના સૌથી અમીર મંદિરમાં કેમ કરવામાં આવે છે વાળનું દાન, રસપ્રદ છે કારણ

તિરુપતિ મંદિર દેશભરમાં જ નહીં વિદેશોમાં પણ પ્રખ્યાત છે. તેનું કારણ આ મંદિર સાથે જોડાયેલી બાબત છે કે તેને દેશનું સૌથી અમીર મંદિર કહેવામાં આવે છે. તો તેની સાથે જોડાયેલી એક અન્ય માન્યતા છે જે તેને દેશભરના અન્ય મંદિરોથી વિશેષ બનાવે છે. હકીકતમાં, દેશના સૌથી ધનાઢ્ય મંદિર એટલે કે તિરુપતિમાં પ્રાચીન કાળથી વાળ દાન કરવાની પરંપરા છે. પરંતુ આ પરંપરા સાથે જોડાયેલી ધાર્મિક કથા કે વાર્તા શું છે તે વિશે બહુ ઓછા લોકો જાણે છે.

પ્રતિકાત્મક તસવીર

આજે આ લેખમાં અમે તમને આ પરંપરા સાથે જોડાયેલી દંતકથા જણાવીશું. તો ચાલો જરાય વિલંબ ન કરીએ, જાણીએ આ પૌરાણિક કથા વિશે જે ધનના દેવતા કુબેર દેવ સાથે જોડાયેલી છે. કહેવાય છે કે અહિંયા ભક્ત જેટલી કિંમતના વાળ દાનમાં કરે છે ભગવાન તેનાથી 10 ગણા વધુ કિમત તમને પૈસાના રૂપમાં આપે છે. તો ત્યાં એવું પણ કહેવાય છે કે જે પણ અહીં આવીને પોતાના વાળ દાન કરે છે તેના પર દેવી લક્ષ્મીની કૃપા જીવનભર બની રહે છે. આ પ્રખ્યાત મંદિરમાં માત્ર પુરૂષો જ નહીં પરંતુ મહિલાઓ પણ પોતાની મનોકામના પૂર્ણ થયા બાદ વાળ દાન કરે છે.

અહીં જાણો આ માન્યતા સાથે જોડાયેલી પૌરાણિક કથા- : એક સમયે પ્રાચીન સમયમાં બાલાજી વિગ્રહ પર કીડીઓનો પર્વત બની ગયો. પછી ત્યાં એક ગાય આવતી હતી, જે કીડીઓના પર્વતને દૂધ આપતી. જ્યારે તેના માલિકને આ વાતની ખબર પડી તો તેને તેની ગાય પર ખૂબ ગુસ્સો આવ્યો અને એક દિવસ તેણે ગાયના માથા પર કુહાડી મારી દીધી. આ ફટકાથી બાલાજીના ઘણા વાળ ખરી ગયા.

ત્યારબાદ માતા નીલા દેવીએ તેના વાળ કાપીને બાલાજીના ઘા પર મૂક્યા. પૌરાણિક કથાઓ અનુસાર, નીલા દેવીએ ઘા પર વાળ રાખ્યા કે તરત જ તેમનો ઘા રૂઝાઈ ગયો. આનાથી પ્રસન્ન થઈને નારાયણે કહ્યું કે વાળ એ શરીરની સુંદરતાનો સૌથી મહત્વનો ભાગ છે અને દેવી તમે તેને મારા માટે બલિદાન આપ્યું છે. તો હવેથી જે વ્યક્તિ મારા માટે પોતાના વાળ બલિદાન આપશે, હું તેની દરેક ઈચ્છા પૂરી કરીશ.

કહેવાય છે કે આ ઘટના બાદ બાલાજીના મંદિરમાં વાળ દાન કરવાની માન્યતા શરૂ થઈ ગઈ હતી. આ માન્યતા સાથે સંબંધિત અન્ય દંતકથાઓ અનુસાર, આ દાન દ્વારા ભગવાન વેંકટેશ્વર કુબેરજી પાસેથી લીધેલા ઋષનું વળતર ચૂકવે છે.

એવી માન્યતા છે કે આ મંદિરમાં આવીને જે વ્યક્તિ પોતાના જીવનની ખરાબીઓ છોડીને વાળનો ત્યાગ કરે છે, માતા લક્ષ્મી તેના જીવનમાંથી દરેક પ્રકારના દુ:ખ દૂર કરે છે, જણાવી દઈએ કે આ મંદિરમાં આ કામ કરવા લગભગ 6000 વાળંદની નિમણૂક કરવામાં આવી છે.

YC