કૂતરાના ભોંકવાને લઈને વૌજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો દાવો

જાણે શા માટે અડધી રાત્રે રડે છે કૂતરાઓ, કારણ જાણીને ચોંકી જશો

તમે હંમેશા એ નોંધ્યું હશે કે ક્યારેક રાત્રે તમારા ઘરની બહાર વિચિત્ર અને ડરામણા અવાજો કરીને કૂતરાઓ રડે છે. ઘણી વખત આ અવાજો સાંભળીને તમે ગભરાઈ જાવ છો. પરંતુ શું તમે જાણો છો કે આવો ડરામણો અવાજ કરીને રાત્રે કૂતરા કેમ રડે છે?

રાત્રે રડતા કૂતરાઓની ઘણી લોકપ્રિય વાર્તાઓ છે. ઘણી વાર્તાઓ એટલી ડરામણી હોય છે કે તે સાંભળીને તમારા રૂવાડા ઉભા થઈ જશે. આપણા સમાજમાં પ્રાચીન સમયથી અનેક માન્યતાઓ ચાલી આવે છે. એવી માન્યતા છે કે ઘરની બહાર કૂતરાનું રડવું ખરાબ છે. ઘરના વડીલો કહે છે કે ઘરની બહાર કૂતરાનું રડવું અશુભ છે.

માન્યતા છે ઘણી ડરામણી : વડીલો કહે છે કે કૂતરાના રડવાનો અર્થ એ છે કે આવનારા સમયમાં ઘરમાં કોઈનું મૃત્યુ થવાનું છે. એટલે કે, વડીલોનું માનવું છે કે કૂતરાઓને પહેલેથી જ આશંકા હોય છે કે ઘરમાં કોઈનું મૃત્યુ થવાનું છે. સ્વાભાવિક છે કે આવી વાત સાંભળીને કોઈ પણ ડરી જાય. તે જ સમયે, જ્યોતિષશાસ્ત્ર માને છે કે કૂતરાઓ સૌથી વધુ રડે છે જ્યારે તેમની આસપાસ કોઈ આત્મા હોય છે. જ્યોતિષશાસ્ત્ર કહે છે કે જે આત્માને સામાન્ય માણસ પોતાની આંખોથી જોઈ શકતો નથી, તેને કૂતરાં જોઈને ડરથી રડવા લાગે છે. આ જ કારણ છે કે પોતાની આસપાસ કૂતરાને રડતો જોઈને લોકો ભાગવા લાગે છે.

કૂતરા રડતા નથી : જ્યારે વિજ્ઞાન કંઈક બીજું માને છે. વિજ્ઞાન કહે છે કે કૂતરા ક્યારેય રડતા નથી. તેઓ કિકિયારી કરે છે. વિજ્ઞાન કહે છે કે વાસ્તવમાં કૂતરા રાત્રે આવો અવાજ કરે છે અને રસ્તા કે વિસ્તારથી દૂર તેમના અન્ય સાથીઓને સંદેશો મોકલે છે. કૂતરો આ અવાજ દ્વારા તેના સાથીઓને આ સંદેશ પહોંચાડે છે કે તે વર્તમાન સમયે ક્યાં છે.

આ સિવાય કૂતરા દર્દથી પણ રડે છે. કૂતરાઓમાં પણ જીવ છે અને તેમના હૃદયને પણ ઠેસ પહોંચે છે. જો તેમને કોઈ શારીરિક સમસ્યા હોય તો પણ કૂતરા કિકિયારી કરે છે. આ રીતે, તે તેના સાથીને ક્યાંક દૂર બોલાવવાનો પ્રયાસ કરે છે. આ ઉપરાંત, એકલતા અનુભવ્યા પછી પણ, તે કિકિયારી કરે છે અને તેના પાર્ટનરને તેની પાસે બોલાવે છે.

YC