‘વિચાર્યુ હતુ સુસાઇડ કરી લઉં પણ ..’ વિવેક ઓબરોયે વ્યક્ત કર્યુ દર્દ, એશ્વર્યા રાય સાથેના બ્રેકઅપ પર કહી આ વાત

એક્સ ગર્લફ્રેન્ડ એશ્વર્યા રાય સાથેના રિલેશન પર સવાલ સાંભળી ચુપ થયો વિવેક ઓબરોય, કહ્યુ- આ ખત્મ થઇ ચૂક્યુ છે પણ…

એક સમય હતો જ્યારે વિવેક ઓબરોય અને એશ્વર્યા રાય એકબીજાના પ્રેમમાં હતા. પરંતુ તેમનું રિલેશન લાંબુ ચાલી શક્યુ નહિ અને બંનેનું બ્રેકઅપ થઇ ગયુ. વિવેકના જીવનનો એ ફેઝ ઘણો મુશ્કેલીભર્યો રહ્યો. એશ્વર્યા સાથે લવ લાઇફની કંટ્રોવર્સીની વિવેકના ફિલ્મી કરિયર પર ઘણી અસર પડી હતી.

કદાચ એટલે જ વિવેક વર્ષો પછી પણ એ દિવસોની વાત કરવા નથી માંગતો. એક ઈન્ટરવ્યુમાં વિવેક ઓબેરોયે પોતાની ફિલ્મી કરિયરની સાથે સાથે પોતાના અંગત જીવનના રહસ્યો પણ ખોલ્યા હતા. વિવેકને પૂછવામાં આવ્યું- જો કરિયરની શરૂઆતમાં એક્સ ગર્લફ્રેન્ડ ઐશ્વર્યા રાય સાથેના સંબંધો સાર્વજનિક ન થયા હોત તો ? અભિનેતાએ આ પ્રશ્ન પર કંઈપણ કહેવાનો ઇનકાર કર્યો હતો.

કારણ કે વિવેક માટે જીવનનો આ અધ્યાય પૂરો થઈ ગયો છે. તે કહે છે- એવું નથી કે હું આ પ્રશ્નનો જવાબ આપીશ, કારણ કે તે થઈ ગયું છે અને સમાપ્ત થઈ ગયું છે. વિવેક ઓબેરોયે તેના જવાબમાં યુવાનોને મહત્વની સલાહ પણ આપી હતી. બોલિવૂડ બબલ સાથે વાતચીતમાં વિવેકે કહ્યું કે, કોઇ પણ ગ્રુપ, જે પણ યંગ ટેલેન્ટ છે, જે આને જોઇ રહ્યા છે, જીવનમાં એક વાત હંમેશા યાદ રાખો,

જો તમે જીવનમાં કામને લઇને કમિટેડ અને ફોકસ છે અને પોતાનું સો ટકા આપી રહ્યા છો તે આ બધી જગ્યાએ મેં થતુ જોયુ છે, મારી બસ એ સલાહ છે કે જો તમારા પ્રોફેશનલિજ્મ પર અટ્ક નથી કરી શકતા, તમારા ટેલેન્ટ પર અટેક નથી કરી શકતા, તમારા કામ પર અટેક નથી કરી શકતા, તેને કોઇ મોચો ન આપો કે કોઇ બીજી વસ્તુ પર અટેક કરે અને તમારો ફોકસ શિફ્ટ કરે.આવું ન કરો,

તે તમારી અને તમારી કારકિર્દી પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતાનું અપમાન થશે. આ ઈન્ટરવ્યુમાં વિવેકને પૂછવામાં આવ્યું કે ઐશ્વર્યા રાય સાથેના સંબંધો ખતમ થયા પછી તેણે ક્યારેય પોતાના અંગત જીવન વિશે કેમ વાત નથી કરી ? જવાબમાં વિવેકે કહ્યું- મને લાગ્યું છે કે જો તમે નથી ઈચ્છતા કે લોકો તમારી પર્સનલ લાઈફ વિશે વાત કરે, જો તમે તેના વિશે સેન્સિટિવ હોવ તો તમારે તેને જાહેરમાં રજૂ પણ ન કરવી જોઈએ.

જણાવી દઇએ કે, વિવેક અને ઐશ્વર્યા રાયનું 2003માં બ્રેકઅપ થયું હતું. વિવેકે આરોપ લગાવ્યો હતો કે એક્ટ્રેસના એક્સ બોયફ્રેન્ડ સલમાન ખાને તેને ઐશ્વર્યા સાથે ડેટ કરવા પર ધમકી આપી હતી. જેના કારણે વિવેકની કારકિર્દી પર પણ અસર પડી હતી. સલમાન-ઐશ્વર્યા અને વિવેકના આ વિવાદે ભારે હોબાળો મચાવ્યો હતો. સલમાન અને વિવેક સામસામે આવી ગયા હતા.આને કારણે વિવેકનું કરિયર બરબાદ થઈ ગયુ હતુ. જોકે, તે આગળ વધ્યો અને પછી તેણે વર્ષ 2010માં જીવરાજ અલ્વાની દીકરી પ્રિયંકા આલ્વા સાથે લગ્ન કર્યા.

વિવેક ઓબેરોય સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. બોલિવૂડમાં પણ તે પોતાના આગામી પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. વિવેક મોટાભાગે પોતાના અંગત જીવન વિશે ખુલીને વાત કરતા નથી અને પોતાની પર્સનલ લાઈફને પોતાના સુધી જ રાખવાનું પસંદ કરે છે. ઐશ્વર્યા રાય સાથેના બ્રેકઅપ બાદ વિવેક ઓબેરોય એકદમ તૂટી ગયો હતો. તે દરમિયાન તેને અચાનક ફિલ્મો મળવાનું બંધ થઈ ગયું. અભિનેતાએ હવે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે સમયે તે લગભગ 18 મહિના સુધી ઘરે ખાલી બેઠો હતો. પોતાનું દર્દ વ્યક્ત કરતાં વિવેકે કહ્યું કે તેની કારકિર્દીમાં આટલી બધી શાનદાર ફિલ્મો આપવા છતાં હું ઘરે ખાલી બેઠો હતો.

વિવેક ઓબેરોયે વધુમાં કહ્યું, ‘હું તે સમયે ફિલ્મોના ઓડિશનમાં જતો હતો. પરંતુ મેં કોઈને કહ્યું નથી કે હું સુરેશ ઓબેરોયનો દીકરો છું. પરંતુ કામ ન મળવાને કારણે મારા મનમાં ખરાબ વિચારો આવતા હતા. મેં આત્મહત્યા કરવાનો પણ નિર્ણય લીધો હતો. આગળ વિવેકે સુશાંત સિંહ રાજપૂતનો ઉલ્લેખ કરતા કહ્યું, ‘હું સમજી શકું છું કે સુશાંત સિંહ રાજપૂત બોલિવૂડમાં જે પીડામાંથી પસાર થયો હતો, બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનો એજન્ડા માણસને તોડે છે. આ સિવાય તેણે પત્ની પ્રિયંકા અને માતાના સમર્થનનો ઉલ્લેખ કર્યો. વિવેકે કહ્યું કે પ્રિયંકા અને માતાએ તેને દરેક રીતે સપોર્ટ કર્યો અને તેને જીવનમાં ફરીથી ઊભા રહેવાની હિંમત મળી.

Shah Jina