BREAKING: 15 કરોડ માટે સતીશ કૌશિકને મારી નાખ્યા, અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, જાણો કોને આવો આરોપ લગાવ્યો

બોલીવુડના દિગ્ગજ સ્ટાર સતીશ કૌશિકના મૃત્યુ કેસમાં નવો વળાંક આવ્યો. હાલમાં જ સમાચાર મળ્યા છે કે તેના નજીકના મિત્ર વિકાસ માલુની બીજી વાઇફે તેના પોતાના પતિ અને તેના સહયોગીઓ પર સતીશની હત્યા કરવાનો આરોપ લગાવ્યો. સાનવી માલુએ પોલીસ કમિશનર સંજય અરોરાને આ મામલે પત્ર લખીને મામલાની તપાસની માંગ કરી છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે,સાનવીએ દિલ્હી પોલીસ કમિશ્નરને પત્ર લખીને કહ્યું કે, તેના પતિએ 15 કરોડ રૂપિયા માટે સતીશ કૌશિકની હત્યા કરી નાખી. ખરેખર શું આ સાચું હશે? દાવો છે કે સતીશે લગભગ 3 વર્ષ પહેલા વિકાસને ઈન્વેસ્ટ કરવા માટે 15 કરોડ રૂપિયા આપ્યા હતા.

પછી સતીષને ન તો પૈસા પાછા આપવામાં આવ્યા કે ન તો તેને કોઈ ફાયદો આપવામાં આવ્યો. પૈસા પાછા માંગવા પર વિકાસે આ પ્રકારનું કાવતરું ઘડીને તેની હત્યા કરી છે. આ સમાચાર વાયરલ થતા જ ભારે હોબાળો મચી ગયો છે. હાલ આ મામલે કોઈ પોલીસ અધિકારી કંઈ પણ કહેવા તૈયાર નથી. હવે પોલીસ આ કેસની તપાસ કેવી રીતે કરશે તેના પર સૌની નજર છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સાનવીએ આરોપ લગાવ્યો કે જ્યારે મેં આ મામલે વિકાસને પૂછ્યું તો તેણે કહ્યું કે કોવીડ મહામારી સમયે તેઓના બધા જ પૈસા ડૂબી ગયા. હવે સતીશને પૈસા કોણ પરત કરશે. તેને ગમે તે રીતે રસ્તાથી હટાવી દેવાશે.

આ માટે વિદેશી યુવતીઓની વ્યવસ્થા કરવામાં આવશે અને તેને દવાઓનો ઓવરડોઝ આપવામાં આવશે. વધુમાં તેમને કહ્યું છે કે તેના હસબન્ડના અંડરવર્લ્ડ ફેમસ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધો છે. હવે હોળીના દિવસે વિકાસના ફાર્મ હાઉસમાં સતીશની તબિયત બગડવી અને હાર્ટએટેકથી તેનું મૃત્યુ આ બધું એક કાવતરું લાગે છે. તેથી દિલ્હી પોલીસે હવે આ સમગ્ર મામલાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કે અન્ય કોઈ એજન્સી પાસે કરાવવી જોઈએ.

સાનવીએ વધુમાં લખ્યું કે, બૉલીવુડ એક્ટરના ફાર્મહાઉસમાં બીમાર હતા તે સમયે બની શકે કે, વિકાસે તેમને ઝેર આપી દીધું હોય, જેથી 15 કરોડ પાછા આપવા ન પડે. આપને જણાવી દઈએ કે, સાનવી ગત વર્ષે જ પતિ વિકાસ માલૂ પર રેપનો આરોપ લગાવ્યો હતો.

YC