વિદ્યા બાલને પ્રેગ્નેંસીને લઇને કહી દીધી ઘણી મોટી વાત, કહ્યુ- બાળક પેદા કરવાની મશીન…

70 વર્ષના નસરુદ્દીન શાહ સાથે શરમજનક ગંદા દ્રશ્યો આપનારી વિદ્યા બાલને કર્યો ધડાકો, જુઓ

ઇન્ડિયન સોસાયટીમાં લગ્નના લગભગ એક વર્ષ બાદ છોકરીઓને સૌથી વધારે પૂછવામાં આવતો સવાલ એ છે કે, ખુશખબરી કયારે સંભળાવીશ. સાસરે એન્ટ્રી થયા બાદથી જ માત્ર છોકરીઓ પર એક સારી પત્ની અને વહુ બનવાનો બોજ નાખી દેવામાં આવે છે તેમજ બાળક પેદા કરવાની ચાહત પણ લિસ્ટમાં સૌથી ટોપ પર હોય છે. જો કે, આ વાત માત્ર પરિવારવાળા સુધી સીમિત નથી રહેતી પરંતુ સંબંધીઓ અને આસપાસ પાડોશીઓ પણ આવા સવાલ કરવાથી ખચકાટ અનુભવતા નથી.

આવું જ કંઇક બોલિવુડ અભિનેત્રી વિદ્યા બાલન સાથે થયુ. જયારે તેણે તેનો ગુસ્સો જાહેર કરતા મા બનવાને લઇને મોટી વાત કહી દીધી. અભિનેત્રી તેની પ્રેગ્નેંસીની ખબરોથી તે સમયે પરેશાન થઇ ગઇ હતી જયારે તેને વારંવાર માતા બનવા પર સવાલ કરવામાં આવતો હતો. એવામાં તેણે તેના ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે, હું બાળક પેદા કરવાની મશીન નથી. એટલું જ નહિ, પોતાની વાતમાં વિદ્યા બાલને એ પળનો પણ ઉલ્લેખ કર્યો હતો કે કેવી રીતે લગ્ન બાદ મહિલાઓનું પૂરુ જીવન બદલાઇ જાય છે.

જણાવી દઇએ કે, વર્ષ 2017માં વિદ્યાની પ્રેગ્નેંસીની અફવાઓ ઉડી હતી. જયારે તે તેના પતિ સિદ્ધાર્થ રોય કપૂર સાથે ક્લિનીક બહાર સ્પોટ થઇ હતી. તયારે વિદ્યાએ કહ્યુ હતુ કે બાળક પેદા કરવાને લઇને આ પાગલપન શુ છે ? દુનિયાની આબાદી વધતી જઇ રહી છે, જો કેટલાક લોકોને બાળકો નહી થાય તો ખોટુ શુ છે ?

અભિનેત્રીએ તેની વાત આગળ જારી રાખતા પોતાના લગ્નજીવનના કેટલાક ઉદાહરણ આપ્યા. જેમાં સોસાયટીના પેટ્રીઆર્કલ વિચાર સ્પષ્ટ જોવા મળી રહ્યા હતા. તેણે કહ્યુ, મારા પડોશી અને સંબંધી અમારા લગ્ન બાદથી પેરેન્ટ્સ બનવાના સવાલ પૂછી રહ્યા છે. જે દિવસથી મારા લગ્ન થયા છે, મારા અંકલે વેડિંગ વેન્યુ પર કહ્યુ હતુ કે હવે જયારે પણ મળુ ત્યારે મને બે મહિ ત્રણ લોકો જોઇએ. મને એ વાત પર હસવુ આવ્યુ હતુ કારણ કે મેં અને સિદ્ધાર્થે ત્યાં સુધી હનીમુન ડેસ્ટિનેશન પ્લાન કર્યુ ન હતુ.

લગ્ન આમ તે બે લોકો વચ્ચે થાય છે પરંતુ સાસરાવાળા સાથે આ એક જવાબદારી ભરેલ સંબંધ બની જાય છે. વહુથી ઘણી અપેક્ષાઓ, નવા માહોલમાં એજસ્ટ થવુ અને ઘરને મેનેજ કરવા દરમિયાાન લાઇફમાં ઘણા બદલાવ આવે છે, જેનો સામનો માત્ર છોકરીને જ કરવો પડે છે. પરિવર્તનમાં કોઇ ખરાબી નથી પરંતુ વિચારોનો બોજ વહુ પર નાખવો એ બરાબર નથી.

વિદ્યાએ કહ્યુ કે, જે છોકરીઓ માટે કરિયર પણ પર્સનલ લાઇફ કરતા વધારે જરૂર હોય છે, લગ્ન બાદ તેમણે તેમની પ્રાથમિકતા બદલવી પડે છે. સમાજમાં દેખાડો કરવાનો રિવાજ ઘણો જૂનો છે. વહુના આવ્યા બાદ લગ્નમાં મળેલ સામાનથી લઇને વ્યવહાર અને કુકિંગ સ્કિલ્સને લઇને સાસરાવાળા સંબંધીઓ સામે પ્રશંસા કરતા થાકતા નથી. ભલે વહુ કોઇ વસ્તુમાં માહીર હોય કે ના હોય પરંતુ તેની પ્રશંસાનો ઢંઢેરો પૂરા મોહલ્લામાં કરવામાં આવે છે.

સમાજમાં ઇન્ડિપેંડેંટ વહુને પચાવવી આજે પણ મુશ્કેલ છે. કેટલાક ઘરોમાં જયાં વહુ તેના પહેરવેશથી લઇને મિત્રો સુધીની વસ્તુ પોતે ડિસાઇડ કરે છે તો સાસરાવાળાને તે વાત બિલકુલ સારી લાગતી નથી. ભલે પતિ સાથે આપી પણ દે. એક વહુ જયારે કામ પરથી પરત ફરે છે ત્યારે તેને જજ કરવામાં આવે છે. છોકરા મિત્ર હોવા પર તેના ચરિત્ર પર સવાલ કરવામાંં આવે છે. લગ્ન બાદ તરત માતા ન બનવાના નિર્ણય પર તેનામાં કમી શોધવામાં આવે છે. એવામાં જરૂરી છે કે, મહિલાઓ પોતે તેમના મહત્વના સમજે અને કોઇ દબાણને પોતાના જીવન પર હાવી ન થવા દે.

Shah Jina