BREAKING: બોલીવૂડના મોટા પ્રોડ્યુસરનુ થયું નિધન, મૃત્યુનું કારણ સાંભળીને આખી ઇન્ડસ્ટ્રી હચમચી ઉઠી

બોલીવુડના જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર અબ્દુલ ગફ્ફાર નડિયાદવાલાનું આજે સવારે અવસાન થયું છે. ફિલ્મ તેઓ બોલીવુડમાં ગફ્ફાર ભાઈ તેમજ એજી નડિયાદવાલાના નામે જાણીતા હતા. તેઓ ફિરોઝ નડિયાદવાલાના પિતા છે જ્યારે જાણીતા પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલાના અંકલ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અબ્દુલ ગફ્ફાર નડિયાદવાલાનું હાર્ટ અટેકના કારણે નિધન થયું છે.

તેઓની મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેઓ લગભગ 90 વર્ષના હતા અને ડાયાબિટીસ તેમજ અસ્થમા જેવા રોગથી પીડિત હતા. બૉલીવુડ અભિનેતા અજય દેવગણે ફિલ્મ પ્રોડ્યુસર અબ્દુલ ગફ્ફાર નડિયાદવાલાના નિધન અંગેની પોસ્ટ કરતા લખ્યું કે, ફિલ્મ સિનેમા ના સુવર્ણ સમય દરમિયાન મારા પિતા અને ફિલ્મ પ્રોડ્યુસર અબ્દુલ ગફ્ફાર નડિયાદવાલા એકસાથે કામ કરી ચૂક્યા છે.

એજી નડિયાદવાલા સાહેબ નડિયાદવાલાને મારા તરફથી દિલાસો. તેમણે મુંબઈ અને ગુજરાતમાં સ્ટુડિયો બનાવ્યા હતા. જીવનનો 50 વર્ષ કરતા પણ વધારે સમય ફિલ્મ પ્રોડ્યુસરના વ્યવસાયમાં આપ્યો હતો. તેઓના 3 દીકરા ફિરોઝ, હાફિઝ અને મુશ્તાક નડિયાદવાલા હોવાનું જાણવા મળે છે. તેઓ 92 વર્ષના હતા અને ઘણી બીમારીઓનો સામનો કરી રહ્યા હતા.

તમને જણાવી દઈએ કે તેઓ વર્ષ 1950થી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ભાગ હતા. પ્રોડ્યુસર તરીકેની તેઓની પહેલી ફિલ્મ જુઠા સચ હતી કે જેમાં ધર્મેન્દ્ર અને રેખા લીડ રોલમાં હતા. બાકી તેમણે પ્રોડ્યુસ કરેલી અન્ય ફિલ્મો લહુ કે દો રંગ, આ ગલે લગ જા, શંકર શંભુ, વતન કે રખવાલે, સોને પે સુહાગા વગેરે છે. આ સિવાય એજી નડિયાદવાલાએ પ્રોડ્યુસ કરેલી અન્ય કોમેડી ફિલ્મો હેરાફેરી, આવારા પાગલ દીવાના, વેલકમ છે. વધુમાં 1965માં આવેલી મહાભારત આધારિત ફિલ્મ પણ પ્રોડ્યુસ કરી હતી કે જેમાં પ્રદીપ કુમાર અને દારા સિંહ મુખ્ય રોલમાં હતા.

YC