સાઉથ સિનેમામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. લોકપ્રિય અભિનેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી યુ.વી.કૃષ્ણમ રાજુનું નિધન થયુ છે. 82 વર્ષની ઉંમરે તેમણે હૈદરાબાદમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી સાઉથ ઈન્ડસ્ટ્રીમાં મૌન છવાઈ ગયું છે. યુવી કૃષ્ણમ ટોલીવુડમાં ‘રિબેલ સ્ટાર’ તરીકે જાણીતા હતા. તે ‘બાહુબલી’ સ્ટાર પ્રભાસના કાકા હતા, જે હવે સાઉથ સિનેમા પર રાજ કરી રહ્યા છે. કોવિડના લક્ષણો સામે લડી રહેલા કૃષ્ણમે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમણે તેમની ફિલ્મો અને કાર્યોની લાંબી યાદગાર યાદી પાછળ છોડી દીધી છે. કૃષ્ણમ રાજુ લાંબા સમયથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.
મીડિયા અહેવાલ અનુસાર, 5 ઓગસ્ટના રોજ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોવિડ 19માંથી સાજા થયા બાદ તે ઘણી સમસ્યાઓ સામે લડી રહ્યા હતા. અભિનેતાની કિડની પણ ખરાબ રીતે પ્રભાવિત થઈ હતી. હોસ્પિટલમાં દાખલ થયા ત્યારથી જ તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર હતા. સાઉથ એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટીએ કૃષ્ણમ રાજુ સાથે પોતાની એક જૂની તસવીર શેર કરી અને ટ્વીટ કર્યું હતુ. અભિનેતા મનોજ મંચુએ કૃષ્ણમ રાજુની તસવીર શેર કરતા ટ્વીટ કર્યું, “આ સાચું ન હોઈ શકે. અમે બધા તમને ખૂબ જ યાદ કરીશું સર.
ફિલ્મ ઉદ્યોગ અને સમાજમાં તમારું યોગદાન. “હંમેશા અને હંમેશા રહેશે. ઓમ શાંતિ! અમે તમને હંમેશ માટે પ્રેમ કરીશું.” તેમણે વર્ષ 1966માં તેલુગુ ફિલ્મ ‘Chilaka Gorinka’થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. ફિલ્મોમાં તેમના શાનદાર કામ માટે તેમને ઘણા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અભિનયની સાથે કૃષ્ણમ રાજુ રાજકારણનો પણ એક ભાગ હતા. તેઓ બે વખત લોકસભાના સભ્ય હતા. તેમણે અટલ બિહારી વાજપેયી સરકારમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી તરીકે સેવા આપી હતી.
આટલા મોટા વ્યક્તિત્વના નિધનથી સૌ કોઇ દુઃખી છે અને તેમને ભીની આંખે યાદ કરી રહ્યા છે. રિબેલ સ્ટારનું રવિવારે વહેલી સવારે AIG હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર આજે એટલે કે સોમવારે બપોરે જ્યુબિલી હિલ્સ સ્થિત મહાપ્રસ્થાનમમાં કરવામાં આવશે. તેમના પાર્થિવ દેહને તેમના નિવાસ સ્થાને રાખવામાં આવ્યો છે, જ્યાં તેમને સોમવારે બપોર સુધી રાખવામાં આવશે જેથી તેમના ચાહકો અંતિમ શ્રદ્ધાંજલિ આપી શકે. તેમના ભત્રીજા અને અભિનેતા પ્રભાસ તેમના દિવંગત કાકાના ઘરે અંતિમ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અભિનેતાની ઘણી તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં તે તૂટી પડતા જોઈ શકાય છે. મેગાસ્ટાર ચિરંજીવી અને મહેશ બાબુ પણ પ્રભાસને સાંત્વના આપવા પહોંચ્યા હતા.પ્રભાસનો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે રડતો અને આંસુ લૂછતો જોવા મળી રહ્યો છે. તેના વીડિયો પર ઘણા ચાહકોએ હાર્ટબ્રેક અને રડતા ઇમોજીસ બનાવ્યા છે. આ સાથે પ્રભાસને મજબૂત રહેવા માટે લખવામાં આવ્યું છે. પોતાના હીરોને રડતો જોઈને ઘણા ચાહકો નારાજ છે. સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો વાયરલ થઈ છે જેમાં એક્ટર ચિરંજીવી પ્રભાસને સાંત્વના આપતા જોવા મળી રહ્યા છે.
.@alluarjun visited #Prabhas garu and his family to personally pay his condolences on the sudden demise of #KrishnamRaju garu. He recalled the rich contribution of the Rebel Star to the industry. pic.twitter.com/Crll13Pdwy
— Sarath Chandra Naidu (@imsarathchandra) September 11, 2022