BREAKING : વલસાડની સિંગર વૈશાલીની હત્યા મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ખુલાસો

ગઈકાલે વલસાડની જાણીતી સિંગર વૈશાલી બલસારાની લાશ નદી કિનારે બંધ બલેનોમાંથી મળી આવી હતી. હવે આ ઘટનાની જાણ થતા વલસાડ જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી હતી. પોલીસને માહિતી મળતી હતી કે કારમાં કોઈ યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે.

જેથી પોલીસની ટિમ ત્યાં પહોંચી હતી અને કારમાં તપાસ કરતા એક યુવતીનો મૃતદેહ ગાડીની પાછળની સીટ પર મળી આવ્યો હતો. આ મેટરમાં લાશનું પોસ્ટમોર્ટમ કરતા જ સામે આવ્યું કે વલસાડની ફેમસ સિંગારને ગળે ટુંપો આપીને હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું. જેથી પારડી પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ પારડી પોલીસે હાથ ધરી હતી.

વલસાડ જિલ્લાના પારડીની પાર નદી પાસે આવેલી અવારું જગ્યાએથી સિંગર વૈશાલી બલસારાની લાશ મળી આવી હતી. જેથી વલસાડની પારડી પોલીસે લાશનો કબ્જો મેળવી તપાસ હાથ ધરી હતી. આજે સુરત ફોરેન્સિક PM કરાવવામાં આવ્યું હતું.

જેમાં પ્રાથમિક રિપોર્ટમાં ગળે ટુંપો દઈને હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું. પારડી પોલીસે હત્યાનો ગુનો નોંધી આ કેસમાં તપાસ હાથ ધરી છે. વૈશાલી બલસારાના પિયર પક્ષના સભ્યોની ફરિયાદ લેવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. પારડી પોલીસે FSLના પોસ્ટમોર્ટમના પ્રાયમરી રિપોર્ટના આધારે હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. વૈશાલીના તમામ મિત્રો અને પરિવારના સભ્યોના નિવેદન નોંધવાની પણ પોલીસે તજવીજ હાથ ધરી છે.

YC