વલસાડમાં પ્રેમીએ જેની સાથે જીવવા-મરવાની કસમો ખાધી તેને જ ઉતારી મોતને ઘાટ, પરિવારનું હૈયાફાટ રુદન

વલસાડમાં સોશિયલ મીડિયામાં વધારે એક્ટિવ રહેતી પાયલ અને ગુડ્ડુ પટેલ વચ્ચે પ્રેમ સંબંધ પાંગર્યો પછી પ્રેમીએ પ્રેમિકાના ઘરમાં ઘૂસીને હત્યા કરી, માસુમ પરિવારે વ્હાલસોયી દીકરી ગુમાવી

હાલમાં જ વલસાડમાંથી હત્યાનો ચકચારી કિસ્સો સામે આવ્યો હતો. જેમાં એક યુવતિની હત્યા તેના પ્રેમી દ્વારા નિપજાવવામાં આવી હતી. આ ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવ્યા બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને છેલ્લા આ સંબંધનો હત્યા અને આત્મહત્યાથી કરુણ અંત આવ્યો હતો.ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર, વલસાડના રોણવેલ ગામે રહેતી પાયલ પટેલ અને નાની સરોણ ગામમાં રહેતો સ્મિત પટેલ સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને ત્યારબાદ બંને વચ્ચે ધીરે ધીરે મિત્રતા થઇ હતી, જે બાદ પ્રેમ પાંગર્યો હતો. (તમામ તસવીરો સૌજન્ય : ન્યુઝ 18 ગુજરાતી)

ત્યારે 22 તારીખના રોજ જ્યારે પાયલનો પરિવાર વલસાડ સામાજિક પ્રસંગ અર્થે ગયો હતો ત્યારે પાયલ ઘરે એકલી હતી અને આ વાતની જાણ સ્મિતને થતા તે તેના ઘરે આવ્યો હતો.આ દરમિયાન બંને વચ્ચે કોઇ કારણસર ઝઘડો થતા સ્મિતે પાયલનું ગળુ દબાવી તેની હત્યા કરી નાખી હતી અને તે બાદ ફરાર થઇ ગયો હતો. પાયલ ઘરે એકલી હોવાને કારણે તેના કાકી ચેક કરવા જતા હતા અને ત્યારે દરવાજો બંધ હતો અને પાછળના દરવાજેથી તેમણે જોયુ તો પાયલ પલંગ પર મૃત હાલતમાં મળી આવી હતી.

તપાસમાં ખબર પડી કે તેનું ગળુ દબાવી હત્યા કરવામાં આવી છે. આ ઘટનાની જાણ પાયલના કાકીએ તેના માતા-પિતા અને ગામના કેટલાક અગ્રણીઓને કરી હતી.જે બાદ સ્મિતે હત્યા કરી હોવાની આશંકા વલસાડ રૂરલ પોલિસ સામે વ્યક્ત કરી હતી. પોલિસે તપાસ કરતા સ્મિત મળી આવ્યો ન હતો અને તે બાદ તેનુ બાઇક અને મોબાઇલ તળાવ કિનારે મળી આવ્યા હતા.

જે બાદ પોલિસે તરવૈયાએની મદદ લીધી હતી અને સ્મિતની શોધખોળ હાથ ધરી હતી. મોડી રાત સુધી શોધખોળ બાદ પણ તેની લાશ મળી આવી ન હતી. જે બાદ ગઇકાલના રોજ એટલે કે 23 તારીખના રોજ સવારે તેની લાશ મળી આવી હતી. હાલ તો પોલિસે લાશનો કબ્જો મેળવી પીએમ અર્થે મોકલી આપી છે.પોલિસે મૃતક સ્મિત વિરૂદ્ધ હત્યા અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ મામલે વલસાડ પોલિસ હાલ તપાસ કરી રહી છે અને હાલ તો એ વાત પર ધ્યાન આપવામાં આવી રહ્યુ છે કે સાથે જીવવા મરવાના વાયદા કરનાર પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી પોતે કેમ આત્મહત્યા કરી લીધી. પરિવારે પોતાની વ્હાલસોયી દીકરી ગુમાવી છે જેને કારણે તેઓ પર તો દુખોનો પહાડ તૂટ પડ્યો છે અને પરિવારના આંસુ તો રોકાઇ જ રહ્યા નથી. પોતાની દીકરીને યાદ કરી મા-બાપની તો રડી રડીને હાલત ખરાબ છે.વલસાડ પોલિસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

Shah Jina