વૈશાલીના બે મહિના લગ્ન હતા અને ગળાફાંસો ખાતા પહેલા મિત્રને કહ્યું હતું આવું, વાંચીને ફેન્સને લાગશે ધ્રાસ્કો

30 વર્ષની હિરોઈનની આત્મહત્યા મેટરમાં નવો ખુલાસો, પાક્કી દોસ્તને ફોન કરીને કહ્યું કે…

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક ખુબ જ દુઃખદ ખબર સામે આવે છે. 30 વર્ષીય ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કરે આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે, આ ઘટના બાદ તેના પરિવાર અને નજીકના મિત્રોમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે, ત્યારે આ મામલામાં એક પછી એક નવા ખુલાસો પણ સામે આવી રહ્યા છે. વૈશાલીની આત્મહત્યા કરવાનું કારણ સામે આવ્યું તો બધા ચોંકી ગયા. આ દરમિયાન, દરેક વ્યક્તિ અભિનેત્રીના અંગત જીવન વિશે જાણવાનો પ્રયાસ કરી રહી છે.

તાજેતરમાં એવા અહેવાલો આવ્યા હતા કે વૈશાલી આ વર્ષે લગ્નના બંધનમાં બંધાવાની છે. જેની માહિતી અભિનેત્રીના નજીકના મિત્ર વિકાસ સેઠી અને તેની પત્ની જાહ્નવીએ શેર કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જાહ્નવીએ ઘટનાના એક દિવસ પહેલા જ વૈશાલી સાથે વાત કરી હતી. આ સાથે જ વૈશાલી ઠક્કરની આત્મહત્યા બાદ પોલીસને મળેલી સુસાઈડ નોટમાં અનેક ખુલાસા થયા છે. અભિનેત્રીના ઘરેથી તપાસ દરમિયાન પોલીસે નોટની સાથે એક અંગત ડાયરી પણ મળી આવી છે. જેમાં અનેક રહસ્યો છુપાયેલા હતા.

તમને જણાવી દઈએ કે પોલીસના જણાવ્યા અનુસાર, સુસાઈડ નોટમાં અભિનેત્રીએ તેના પૂર્વ બોયફ્રેન્ડનો ઉલ્લેખ કરતા લખ્યું છે કે તે તેને હેરાન કરતો હતો. આ દરમિયાન અભિનેત્રીના નિધન બાદ તેના નજીકના મિત્ર અને અભિનેતા વિકાસ સેઠી અને તેની પત્ની જાહ્નવીએ પણ તેના વિશે મોટો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું છે કે તે લગ્ન કરવા જઈ રહી હતી. આત્મહત્યાના એક દિવસ પહેલા જ તેણે વૈશાલી સાથે ફોન પર વાત કરી હતી. જાહ્નવીએ જણાવ્યું કે વૈશાલીએ તેને આર્થિક મદદ માટે ફોન કર્યો હતો.

જાહ્નવીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે વૈશાલીએ તેને કહ્યું હતું કે તે દિવાળી પછી તેના લગ્નની ખરીદી માટે મુંબઈ આવવાની છે. તેણે જાહ્નવી અને વિકાસ સાથે રહેવાનો પ્લાન બનાવ્યો હતો. આ પછી જાહ્નવીએ જણાવ્યું કે વૈશાલીએ કહ્યું હતું કે અમે ફરવા જઈશું અને બાળકોને પણ લઈ જઈશું. આટલું જ નહીં, તે જેની સાથે લગ્ન કરવા જઈ રહી હતી તે મિતેશે મને 5 મહિના પહેલા આ અંગે જણાવ્યું હતું. જ્યારે મેં તેમની સાથે વિડિયો કૉલ પર વાતચીત કરી ત્યારે પણ તેઓ ખૂબ જ સમજદાર અને સ્વીટ લાગ્યા.

આગળ, વિકાસ સેઠીએ જણાવ્યું કે જાન્હવી આ વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કરવાની યોજના બનાવી રહી હતી. બંને પરિવાર જલ્દી જ લગ્નની તારીખ નક્કી કરવાના હતા. શુક્રવારે જ્યારે મેં વૈશાલી સાથે વાત કરી તો તેણે કહ્યું હતું કે બધું બરાબર ચાલી રહ્યું છે. તેણીએ એમ પણ કહ્યું હતું કે તે અમારી સાથે ખરીદી કરવા જશે અને પછી એક પાર્ટીનું આયોજન કરશે. તેથી જ તેમના મોતના સમાચારે અમને હચમચાવી દીધા છે. જ્યારે આ સમાચાર આવ્યા ત્યારે મને લાગ્યું કે તે નકલી છે. પછી જાહ્નવીને વૈશાલીને ફોન કરવા કહ્યું. પરંતુ, વૈશાલીનો ફોન ઉપડ્યો ન હતો.

Niraj Patel