તેને સજા અપાવજો, નહિ તો મારી આત્માને શાંતિ… ‘I Quit’ આ હતા વૈશાલી ઠક્કરના છેલ્લા શબ્દ, ડાયરીમાં છલકાયુ દર્દ

નહિ તો મારી આત્માને શાંતિ નહિ મળે, મોત પહેલા દર્દમાં હતી વૈશાલી ઠક્કર, મારી સાથે અઢી વર્ષથી…..

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ વૈશાલી ઠક્કર હવે આપણી વચ્ચે નથી રહી. 30 વર્ષની ઉંમરે અભિનેત્રીના મોતે બધાને ચોંકાવી દીધા છે. વૈશાલી તો બધાને છોડીને ચાલી ગઇ પણ પાછળ અનેક સવાલો છોડી ગઈ છે. જેમ કે, વૈશાલીએ આત્મહત્યા કેમ કરી, તેને કોણ પરેશાન કરતું હતું ? વૈશાલીએ પોતાની સુસાઈડ નોટમાં જે વ્યક્તિનો ઉલ્લેખ કર્યો છે તે કોણ છે? જેમ જેમ મોતનું રહસ્ય ઉકેલાઈ રહ્યું છે તેમ તેમ સવાલોના જવાબ મળી રહ્યા છે. વૈશાલીને આત્મહત્યા માટે મજબૂર કરનાર રાહુલ નામના વ્યક્તિનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ છે.

રાહુલ દ્વારા વૈશાલીને શારીરિક અને ભાવનાત્મક રીતે હેરાન કરવામાં આવતી હતી. પોલીસને મળેલી ડાયરીમાં વૈશાલી ઠક્કરે તેના માતા અને પિતાની માફી માંગી છે. લખ્યુ છે કે હું સારી દીકરી ન બની શકી. ડાયરીમાં રાહુલ અને એક દિશા નામની યુવતીનો પણ ઉલ્લેખ છે. ડાયરીના છેલ્લા શબ્દો છે ‘I Quit’. પોલીસના જણાવ્યા અનુસાર, વૈશાલીએ જે રીતે ડાયરીમાં વસ્તુઓ લખી છે તેના પરથી લાગે છે કે તે પણ ડિપ્રેશનમાં હતી. કેટલાક સમયથી તેને કામ પણ મળતું ન હતું. જો કે આ બાબતો હજુ તપાસનો વિષય છે,

જેથી પોલીસ હજુ સુધી કોઈ નક્કર તારણ પર પહોંચી શકી નથી. જો કે, ગુજ્જુરોક્સ સામે આવેલી વૈશાલીની આ સુસાઈડ નોટની પુષ્ટિ કરતુ નથી. વૈશાલીએ સુસાઈડ નોટમાં શું લખ્યું છે. I Quit માં. લવ યુ પપ્પા મમ્મી, મને અફસોસ છે કે હું સારી દીકરી ન બની શકી. મહેરબાની કરીને રાહુલ અને તેના પરિવારને સજા અપાવો. રાહુલ અને દિશાએ મને 2.5 વર્ષ સુધી માનસિક રીતે ત્રાસ આપ્યો હતો. નહીં તો મારા આત્માને શાંતિ નહીં મળે. તમને મારી કસમ છે. ખુશ રહો. હું તમને ખુબ જ પ્રેમ કરું છું. મિતેશને કહેજો મને માફ કરે. I Quit.

વૈશાલીએ તેના મોત માટે જેને જવાબદાર ગણાવ્યો છે તેનું નામ રાહુલ નવલાણી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાહુલ વૈશાલીનો પાડોશી છે. જે વ્યવસાયે વેપારી છે. વૈશાલીનું ઘર ઈન્દોરમાં છે. પોલીસના જણાવ્યા અનુસાર વૈશાલીએ રાહુલના કારણે જ જીવનનો અંત આણ્યો છે. વૈશાલી જલદી લગ્ન કરવાની હતી. આ દરમિયાન રાહુલ અભિનેત્રીને હેરાન કરતો હતો. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. વૈશાલીની સુસાઈડ નોટમાં લખવામાં આવ્યું છે કે,

“રાહુલે મિત્રતાનો લાભ લઈને છેતરપિંડી કરીને તેના ફોટા પાડ્યા હતા. તેણે આ ફોટા પહેલાના મંગેતરને મોકલ્યા હતા, જેના કારણે સગાઈ તૂટી ગઈ હતી. તે હજુ પણ વૈશાલીને ટોર્ચર કરતો હતો અને બ્લેકમેઇલ કરતો હતો. એવું કહેવામાં આવી રહ્યુ છે કે, વૈશાલી 20 ઓક્ટોબર 2022ના રોજ લગ્ન કરવા જઈ રહી હતી. લગ્નના થોડા જ દિવસો પહેલા વૈશાલીનું આત્મહત્યા જેવું મોટું પગલું ભરવું ચોંકાવનારું છે. વૈશાલીના આ નિર્ણયથી ટીવી જગતમાં ખળભળાટ મચી ગયો છે.

વૈશાલી ઠક્કર કો-સ્ટાર રોહન મેહરા

વૈશાલીએ પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈથી કરી હતી. આ પછી તે સસુરાલ સિમર કા, સુપર સિસ્ટર્સ, વિશ યા અમૃત, મનમોહિની 2, રક્ષાબંધન જેવા શોમાં જોવા મળી હતી. વૈશાલીને કરિયરમાં ઊંચે ઊડવું હતું. પરંતુ અફસોસ, તે પહેલા જ વૈશાલીએ પોતાનું જીવન સમાપ્ત કરી લીધું હતું.

Shah Jina