Expired દવા ખાવાથી તમારા શરીરમાં તેની શું અસર થાય? જાણો નહીતો ક્યારેક ભરાઈ જશો: ઘણીવાર આપણને રાત્રે માથું દુખવાની સમસ્યા થઇ હોય અથવા તો વોમિટ કે પેટના દુખાવાની સમસ્યા થતી હોય છે ત્યારે આપણે ઘરમાં રહેલા દવાના ડબ્બાને ખોલીએ છીએ અને અંદરથી આપણને જે તકલીફ થઇ છે તેની દવા કાઢીને ખાતા હોઈએ છીએ. પરંતુ ખાતા પહેલા આપણે એ દવા પાછળ રહેલી તારીખ પણ અચૂક જોતા હોઈએ છીએ. જો એ દવા એક્સપાયર થઇ ગઈ હોય તો આપણે તેને ખાતા નથી અને બીજો કોઈ ગરગથ્થુ ઉપાય કરી લઈએ છીએ. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે એક્સપાયરી ડેટ વાળી દવા ખાવી સ્વાસ્થ્ય માટે કેટલી હાનિકારક છે.
ઘણા લોકો એવા પણ હોય છે જે દવાઓની એક્સપાયરી ડેટ જોતા નથી અને દવા ખાતા હોય છે ઘણા લોકોને તેના રિએક્શન થવાની પણ સમસ્યા રહે છે તો ઘણા લોકો દવા લીધા પછી પણ તેમને જે તકલીફ માટે દવા લીધી હોય તે તકલીફ પણ ઓછી નથી થતી.

ત્યારે ઘણીવાર મનમાં પ્રશ્ન થાય કે શું દવા તેની એક્સપાયરી ડેટ પછી ખરેખર ખરાબ થઇ જતી હશે? જયારે આપણે કોઈપણ દવા ખરીદીએ ત્યારે તેના પર બે તારીખ લખેલી હોય છે. એક તેની બનાવટની અને બીજી તેનો અસર સમાપ્ત થવાની એટલે કે એક્સપાયરી ડેટ. બનાવટની તારીખ લખવાનું તો સમજ્યા કે એ તારીખથી દવા વપરાશમાં લઇ શકાય છે પરંતુ એક્સપાયરી ડેટ સુધી જ તેની અસર રહેતી હશે? અમેરિકામાં એક સંશોધન પ્રમાણે જો દવાને યોગ્ય રીતે સાચવવામાં આવે તો પણ એક્સપાયરી ડેટ પછી પણ તેબી 90% અસર જળવાઈ રહે છે. પરંતુ કેટલીક દવાઓ એવી પણ હોય છે જે તેની એક્સપાયરી ડેટ પછી ક્યારેય ઉપયોગમાં લેવી ના જોઈએ તે શરીર માટે નુકશાનકારક સાબિત થતી હોય છે.

એક કાયદા અંતર્ગત દવા બનાવતી કંપનીએ પોતાની દવા ઉપર તેના ઉત્પાદનની અને તેના વપરાશની મુદતની નિશ્ચિત તારીખ લખવામાં આવે જે અંતર્ગત ડોક્ટર પણ તમને ક્યારેય એક્સપાયરી ડેટ વાળી દવા વપરાશ કરવાની સલાહ નહિ આપે. પરંતુ જો તમે દવાનો સંગ્રહ યોગ્ય રીતે કર્યો હશે તો તમે તે દવાને એક્સપાયર થયા પછી પણ થોડા સમય માટે વાપરી શકો છો કારણ કે તેમાં 90% અસર રહેલી હોય છે.

પરંતુ કેટલીક બીમારીઓની દવાઓ એક્સપાયર થયા પછી ક્યારેય ના વાપરવી જોઈએ જેમાં સ્ટ્રોકની દવા, હૃદય રોગ, આઈ ડ્રોપ, એન્ટી-એંજિનલ, નાઇટ્રોગ્લિસરીન, ગર્ભનિરોધક ગોળીઓ, ઇન્સ્યુલિન અને કેટલાક જીવન રક્ષક ટીકા પણ તેની એક્સપાયરી ડેટ પુરી થયા પછી પણ ક્યારેય ના ઉપયોગમાં લેવી જોઈએ. આ સિવાય પણ વધારે ડોઝ વાળી દવા તેમજ કોઈ ગંભીર બીમારી માટે વપરાતી દવા પણ ક્યારેય ના વાપરવી જોઈએ.
એક્સપાયરી ડેટ વાળી દવા જો વાપરવી છે તો આ બાબતોનું વધુ ધ્યાન રાખવું:
એક્સપાયરી ડેટ વાળી દવા ત્યારે જ વપરાશમાં લેવી જયારે તે તેના અસલ રુપરંગમાં હોય, જેમ કે તે જે સમયે વપરાશમાં લેતા હોય તેવી જ તેની તારીખ વીત્યા પછી પણ હોય. તૂટી ગયેલી અને ટુકડા થઇ ગઈ ગયેલી ટેબલેટ, રંગ બદલાયેલી ટેબલેટ, ફિક્કા પડી ગયેલા ઇન્જેક્શન, નરમ થઇ ગયેલી કેપ્સૂલોનો વપરાશ ના કરવો જોઈએ. એવી કોઈ દવાનો વપરાશ ના કરવો જોઈએ જેને જોઈને તમને શંકા જાય.

દવાના વપરાશની તારીખ વીતી ગયા પછી તેને ઉપયોગમાં લેવી એ કેટલી હાનિકારક સાબિત થાય છે તે તો આપણે કેવા પ્રકારની દવા લીધી છે તેના પરથી જ નક્કી થાય છે પરંતુ એકવાત નોંધનીય છે કે જો શક્ય હોય ત્યાં સુધી એક્સપાયરી ડેટ બાદની દવાઓનો વપરાશ ના કરવો જોઈએ. ડોક્ટરની યોગ્ય સલાહના આધારે જ કોઈપણ દવા વાપરવી જોઈએ.
Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.