ઉર્ફી જાવેદને નથી ઇસ્લામમાં વિશ્વાસ, વાંચી રહી છે ભગવદ્દ ગીતા, કહ્યું: “મુસ્લિમ છોકરા સાથે લગ્ન નહીં કરું”

મુસ્લિમ યુવક જોડે નિકાહ નહીં કરે ઉર્ફી જાવેદ, કુરાન છોડીને વાંચી રહી છે ભગવદ્દ ગીતા, કારણ જાણીને તમે પણ હેરાન રહી જશો

પોતાના અતરંગી પહેરવેશનાં કારણે ચર્ચામાં આવેલી અભિનેત્રી ઉર્ફી જાવેદ આજે સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી રહી છે. રોજ-બરોજ તે પોતાની અવનવી ફેશન સ્ટાઇલથી લોકોને દીવાના બનાવે છે, તો ઘણીવાર તે એવા કપડાં પણ પહેરે છે જેના કારણે તેને ટ્રોલિંગનો પણ સામનો કરવો પડે છે. પરંતુ હાલ ઉર્ફી જાવેદ તેના કપડાને લઈને નહિ પરંતુ એક ખાસ કારણે ચર્ચામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Urrfii (@urf7i)

બિગ બોસ ઓટીટી ફેમ ઉર્ફી જાવેદે તેના લગ્નના પ્લાનિંગનો ખુલાસો કર્યો છે. તેને કહ્યું કે તે કેવા માણસથી પોતાને ખુશ જુએ છે. તેણે તેના બોલ્ડ લુક અને સિઝલિંગ તસવીરો માટે સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ પર પણ પ્રતિક્રિયા આપી છે. તે કહે છે કે તે ક્યારેય મુસ્લિમ પુરુષ સાથે લગ્ન કરશે નહીં. કારણ કે મુસ્લિમ પુરુષો ઇચ્છે કે તેના ઘરની સ્ત્રીઓ ચોક્કસ રીતે વર્તે. તેણે એમ પણ કહ્યું કે તેને ટ્રોલ કરનારાઓમાં મોટાભાગના મુસ્લિમ યુઝર્સ છે.

 

View this post on Instagram

 

A post shared by Urrfii (@urf7i)

ઉર્ફી જાવેદે કહ્યું, “હું એક મુસ્લિમ છોકરી છું. મને જે અભદ્ર ટિપ્પણીઓ મળે છે તેમાંથી મોટાભાગની મુસ્લિમ લોકોની છે. તે કહે છે કે હું ઇસ્લામની છબીને બદનામ કરી રહી છું. તેઓ મને ધિક્કારે છે કારણ કે મુસ્લિમ પુરુષો ઈચ્છે છે કે તેમની સ્ત્રીઓ ચોક્કસ રીતે વર્તે. તેઓ સમુદાયની તમામ મહિલાઓને નિયંત્રિત કરવા માંગે છે, આ કારણે હું ઇસ્લામમાં માનતો નથી.”

 

View this post on Instagram

 

A post shared by Urrfii (@urf7i)

ઉર્ફી જાવેદ ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે,  “મને ટ્રોલ કરવાનું કારણ એ છે કે હું એ પ્રકારનો વ્યવહાર નથી કરતી જે તે મને પોતાના ધર્મ અનુરૂપ કરવાની આશા રાખે છે.” લગ્ન કરવાને લઈને તેને કહ્યું કે, “હું ક્યારેય મુસ્લિમ છોકરા સાથે લગ્ન નહિ કરું. હું ઇસ્લામમાં વિશ્વાસ નથી કરતી અને હું કોઈ પણ ધર્મનું પાલન નથી કરતી. એટલા માટે મને ચિંતા નથી કે હું કોને પ્રેમ કરું છું. આપણે જેની સાથે ઇચ્છીએ તેની સાથે લગ્ન કરી શકીએ.”

 

View this post on Instagram

 

A post shared by Urrfii (@urf7i)

જ્યારે ઉર્ફી જાવેદને ધર્મ વિશેના તેના વિચારો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેને કહ્યું, કે “મારા પિતા ખૂબ જ રૂઢિચુસ્ત વ્યક્તિ હતા. જ્યારે હું 17 વર્ષની હતી, ત્યારે તેમને મને અને મારા ભાઈ-બહેનોને અમારી માતા પાસે છોડી દીધા. મારી માતા ખૂબ જ ધાર્મિક મહિલા છે, પરંતુ તેમણે ક્યારેય તેમનો ધર્મ અમારા પર લાદ્યો નથી. મારા ભાઈઓ અને બહેનો ઈસ્લામનું પાલન કરે છે અને હું નથી કરતી, પરંતુ તેઓ ક્યારેય મારા પર દબાણ કરતા નથી. આમ જ હોવું જોઈએ. તમે તમારી પત્ની અને બાળકો પર તમારો ધર્મ લાદી શકતા નથી. તે હૃદયમાંથી આવવું જોઈએ, નહીં તો ન તો તમે ખુશ થશો અને ન તો અલ્લાહ.”

 

View this post on Instagram

 

A post shared by Urrfii (@urf7i)

ઉર્ફી જાવેદ હાલમાં ભગવદ ગીતા વાંચી રહી છે. તેને કહ્યું, “હું અત્યારે ભગવદ ગીતા વાંચી રહી છું. હું ફક્ત તે ધર્મ (હિન્દુ ધર્મ) વિશે વધુ જાણવા માંગુ છું. મને તેના તાર્કિક ભાગમાં વધુ રસ છે. હું ઉગ્રવાદને ધિક્કારું છું, તેથી હું પવિત્ર પુસ્તકમાંથી સારો ભાગ કાઢવા માંગુ છું.”

Niraj Patel