“પોલીસે નાસ્તો પણ ન કરવા દીધો અને ધરપકડ કરી લીધી” પોલીસ કસ્ટડીમાં અલ્લુ અર્જનનું પહેલું નિવેદન સામે આવ્યું

હૈદરાબાદના સંધ્યા થિયેટર કેસમાં સાઉથના સુપરસ્ટાર અને ‘પુષ્પા 2’ એક્ટર અલ્લુ અર્જુન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે અલ્લુ અર્જુનની ધરપકડ કરી છે. 4 ડિસેમ્બરે ફિલ્મના સ્ક્રીનિંગ દરમિયાન થિયેટરમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં 35 વર્ષની એક મહિલાનું મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા હતા. પોલીસે આ કેસમાં થિયેટર-માલિક સહિત ત્રણ લોકોની અટકાયત કરી હતી. અલ્લુ અર્જુને 11 ડિસેમ્બરે હાઇકોર્ટમાં પોતાના વિરુદ્ધ થયેલા કેસને રદ કરવા માટે અરજી કરી હતી.

પોલીસે સવારે નાસ્તો પણ કરવા દીધો નહિં

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હૈદરાબાદ પોલીસે અલ્લુ અર્જુનની વહેલી સવારે જ ધરપકડ કરી હતી. પોલીસે તેને સવારનો નાસ્તો પણ કરવા દીધો ન હતો. સીધા બેડરૂમમાંથી જ તેની ધરપકડ કરવામાં આવી હતી. તેને ચા પણ પીવા દીધી ન હતી. બાદમાં તેણે ઉભા ઉભા પોલીસ સામે જ ઝડપથી ચા પીને તાત્કાલિક પોલીસ વાનમાં બેસી ગયો હતો.

અલ્લુ અર્જુનને ગાંધી હોસ્પિટલ લઈ જવાયો

અલ્લુ અર્જુનને મેડિકલ ચેકઅપ માટે પોલીસ ગાંધી હોસ્પિટલ લઈ ગઈ હતી. અહીં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. બાદમાં તેને ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. ત્યાં હૈદરાબાદ નાસભાગમાં એક પ્રત્યક્ષદર્શીની સાક્ષીમાં નિવેદન નોંધ્યું હતું. સેન્ટ્રલ ઝોન ડીસીપીએ તેમનું નિવેદન નોંધ્યું છે.

સોમવાર સુધી રાહતની માગ

અલ્લુ અર્જુનના વકીલે કોર્ટમાં વિનંતી કરી છે કે તેમના ક્લાયન્ટના કેસમાં તાત્કાલિક સુનાવણી કરવામાં આવે અને સોમવાર સુધી ધરપકડમાંથી રાહત આપવામાં આવે. એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરે કહ્યું હતું કે પોલીસ સાથે વાતચીત કરીને બપોર સુધીમાં આ કેસમાં અપડેટ આપવામાં આવશે અને સુનાવણી સ્થગિત કરવામાં આવી હતી.

‘પુષ્પા’ના બૉડીગાર્ડની પણ ધરપકડ

અલ્લુ અર્જુન બાદ હવે તેના બૉડીગાર્ડની ધરપકડ કરવામાં આવી છે. હૈદરાબાદ સ્ટેમ્પેડ કેસમાં અલ્લુ અર્જુનનું નિવેદન નોંધવામાં આવ્યું છે. આ પછી તેને મેડિકલ ચેકઅપ માટે ઓસ્માનિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવશે.

પોલીસે ધરપકડની કરી પુષ્ટિ

હૈદરાબાદમાં ચિક્કડપલ્લીના એસીપી એલ. રમેશ કુમારે પુષ્ટિ કરી છે કે હૈદરાબાદ નાસભાગ કેસમાં અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ અલ્લુ અર્જુનના પિતા અલ્લુ અરવિંદ અને તેનો ભાઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે.

અલ્લુ અર્જુને અકસ્માત બાદ પીડિત પરિવારની મદદ પણ કરી હતી. તેણે આ અકસ્માત અંગે દુઃખ પણ વ્યક્ત કર્યું હતું અને પીડિત પરિવારને આર્થિક મદદ અને સારવારનું વચન આપ્યું હતું. અલ્લુ અર્જુને પરિવારને 25 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી.

અભિનેતા અલ્લુ અર્જુનને 14 દિવસની જેલ થયા બાદ પીડિતા નો પતિ કેસ પરત લેવા તૈયાર

Twinkle