દેશમાં દરરોજ બળાત્કારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. હાલમાં જ હૈદરાબાદમાં યુવતી પર બળાત્કાર કરીને જીવતી સળગાવી દીધી હતી. આ ઘટનાની શાહી હજુ સુધી સુકાઈ નથી ત્યાં ઉન્નાવમાં દુષ્કર્મની પીડિતાને જીવતી સળગાવી દેવામાં આવતા ગત રાતે તેને અંતિમ શ્વાસ લીધા હતા.
ઉન્નાવ પીડિતાનું ગત રાતે દિલ્લીની સફદરગંજ હોસ્પિટલમાં 11.40 કલાકે નિધન થયું હતું. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, કાલ રાતે 8 વાગ્યે તેની હાલત અચાનક જ ખરાબ થઇ હતી. ડોકટરોની મહેનત પણ કામે લાગી ના હતી અને રાતે 11.40 કલાકે હાર્ટ એટેક આવતા નિધન થયું હતું.

ડોક્ટરોએ જણવ્યું હતું કે, જયારે તે ભાનમાં હતી ત્યારે સતત એજ રટણ કરતી હતી કે મારે જીવવું છે, મારે નથી મરવું. મર્યા પહેલા પોલીસ અને તેના પરિવાર સામે ત તેને છેલ્લું નિવેદન આપ્યું હતું કે તે આરોપીને ફાંસી પર લટકેલા જોવા માંગે છે.
પીડીતાએ તેના ભાઈને કહ્યું હતું કે, હું મરવા નથી માંગતી. પીડીતાએ તેના ભાઈને કહ્યું હતું કે, તે ગુનેગારોને ના છોડે. આ બાદ તે કંઈ જ બોલી શકી ના હતી.
Brother of Unnao rape victim(who passed away during treatment in Delhi last night following a cardiac arrest): I have nothing really to say. My sister is no more with us, my only demand is that the five accused deserve death and nothing less. pic.twitter.com/AkcZngOLHz
— ANI UP (@ANINewsUP) December 7, 2019
પીડિતાના મોત બાદ હાલ તો સમગ્ર પરિવાર આઘાતમાં ગરકાવ થઇ ગયો છે. પીડિતાની માતાએ એક મીડિયાનેર આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મારી દીકરી સાથે એ લોકોએ કોઈ જ કસર નથી છોડી. અમારી દીકરીનો જીવ જતા અમારું તો બધું લૂંટાઈ ગયું છે, પરંતુ હવે અમારે જીવન બદલામાં જીવ જ જોઈએ છે.

પીડિતાની બહેને કહ્યું હતું કે, મારી બહેન જ અમારા માટે સર્વસ્વ અને પરિવાર માટે પ્રેરણાદાયિક હતી. મારી બેનના મૃત્યુ બાદ અમે ચૂપ નહીં બેસીએ. મારી લડાઈ ત્યાં સુધી ચાલુ રહેશે જાય સુધી મારી બહેનન ન્યાય અને આરોપીને સજા નહીં મળે. હું મારી બહેનના હત્યારાને નહીં છોડું પછી ભલે મને પણ જીવતી સળગાવી દે.
Delhi: Visuals from outside Safdarjung Hospital where Unnao rape victim died due to a cardiac arrest, earlier tonight. She was set ablaze in Bihar area of Unnao on December 5 and was later airlifted to Delhi, to be admitted here at the hospital. pic.twitter.com/I2qMo5EGWm
— ANI (@ANI) December 6, 2019
આ ઘટનામાં પીડિતાએ જણાવ્યું હતું કે, તેના ઘર નજીક હતી ત્યારે હરિશંકર ત્રિવેદી, રામ કિશોર ત્રિવેદી, ઉમેશ બાજપાઈ, શિવમ ત્રિવેદી અને શુભમ ત્રિવેદીએ તેના પર હુમલો કરીને તેને પેટ્રોલ છાંટી સળગાવી દીધી હતી. પીડિતાને સારવાર અર્થે લખનૌની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી બાદમાં ગંભીર હાલતમાં તંત્રએ તેને એરલીફ્ટ કરી નવી દિલ્હી ખાતે સફદરજંગ હોસ્પિટલમાં ખસેડી હતી.
જણાવી દઈએ કે, ડિસેમ્બર 2018માં આ યુવતી પર શિવમ અને શુભમ ત્રિવેદીએ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. યુવતી ગુરુવારના રોજ કેસની સુનાવણી માટે રાયબરેલી કોર્ટ જઈ રહી હતી ત્યારે સવારે 4 વાગ્યે આ ઘટના ઘટી હતી.
Uttar Pradesh Chief Minister Yogi Adityanath has expressed grief over death of Unnao rape victim. CM has said all accused have been arrested and the case will be taken to fast-track court (file pic) pic.twitter.com/1rJsodMsVL
— ANI UP (@ANINewsUP) December 7, 2019
આ મામલે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લડવામાં આવશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.