ભારત-ચીની સૈનિકો વચ્ચે સોમવારે રાત્રે લદ્દાખની ગલવાન ઘાટી હિંસક અથડામણમાં 20 સૈનિકો માર્યા ગયા હતા. જે પૈકી સૌથું વધુ 13 શહીદો બિહારના બે અલગ અલગ રેજિમેન્ટના છે. એક શહીદ 12 બિહાર રેજિમેન્ટનો અને બાકીનો 16 બિહાર રેજિમેન્ટનો છે. શહીદ કમાન્ડિંગ ઓફિસર કર્નલ સંતોષ બાબુ પણ 16 બિહાર રેજિમેન્ટના હતા.

પટણામાં હવાલદાર સુનીલ કુમારની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા. દેશનાં 20 સ્થળોથી આવી તસ્વીરો આવી છે. દરેક જગ્યાએ ‘ભારત માતા કી જય શહીદ અમર રહે. ચીની સામાનનો બહિષ્કર કરો’ નારા લાગ્યા હતા.
Maner: People in large numbers attend the last rites of Havaldar Sunil Kumar who lost his life in the violent face-off with China in #GalwanValley.#Bihar #Patna pic.twitter.com/rK7QvgBnEQ
— ANI (@ANI) June 18, 2020
ગલવાન ઘાટીમાં શહીદ થયેલા પશ્ચિમ બંગાળના બીરભૂમના સિપાહી રાજેશ ઓરાંગે વોટ્સએપ પર અંતિમ મેસેજ ચીની સામાનના બહિષ્કારનો મોકલ્યો હતો. આ મેસેજ તેણે ગામના પોતાના કેટલાક મિત્રોને મોકલ્યો હતો.

કર્નલ સંતોષ 18 મહિના પહેલા લદ્દાખમાં ભારતીય સીમા સુરક્ષામાં તૈનાત થયા હતા. કમાન્ડિંગ ઓફિસર હતા. તેલંગણાના સુર્યાપેટના રહેવાસી હતા. તેની માતાએ જણાવ્યું હતું કે, હું દુઃખી છું કારણકે મેં મારો એકનો એક દીકરો ખોઈ દીધો હતો. પરંતુ તેને દેશ માટે કુરબાની તેથી મને ગૌરવ છે.
26 વર્ષીય શહીદ કુંદન ઓઝા 17 દિવસ પહેલા પિતા બન્યો હતો, પરંતુ તે તેની પુત્રીનો ચહેરો પણ જોઈ શક્યો ન હતો. તેના પિતા રવિશંકર ઓઝા ખેડૂત છે. કુંદનને 2011 માં બિહાર રેજિમેન્ટ કટિહારમાં ભરતી થયો હતો. તેમના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતા.

મધ્ય પ્રદેશના રેવામાં રહેતા દિપકસિંઘનું પણ ચીન સરહદ પર હિંસક અથડામણમાં મોત થયું હતું. મંગળવારે મોડી રાત્રે સેનાના અધિકારીઓએ ફોન પર દિપકની શહાદતની જાણ પિતાને કરી હતી. દિપક 21 વર્ષનો હતો. 8 મહિના પહેલા લગ્ન કર્યાં છે. તેનો મૃતદેહ ગુરુવારે રેવા અને ત્યારબાદ મંગાવાણ વિસ્તારના ફેરહદા ગામે લાવવામાં આવશે.

છત્તીસગઢના જવાન ગણેશ કુંજમનું પણ અવસાન થયું. કાંકરના કુરુટોલા ગામનો રહેવાસી ગણેશ એક મહિના પહેલા ચીનની સરહદ પર મુકાયો હતો. હિંસક અથડામણમાં ગણેશ ખરાબ રીતે ઘાયલ થયો હતો. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. પરંતુ તે બચાવી શકી નહીં.

ગ્લવન ઘાટીમાં થયેલા ચીની સૈનિકો સાથેની હિંસક ઝડપમાં ભારતીય સેનાના 20 જવાનો શહીદ થઇ ગયા, અને આ ઝડપમાં ચીનના 40 સૈનિકોના મારવાની અને ઘાયલ થવાની ખબર છે. ચીન સાથે થયેલી આ ઝડપની અંદર તેલંગાણા નિવાસી કર્નલ સંતોષ બાબુ પણ શહીદ થઇ ગયા હતા.
શહીદ થયેલા કર્નલ બાબુની મત મંજૂલાએ કહ્યું કે તેમને પોતાના દીકરાને ખોવાણું દુઃખ તો છે, પરંતુ દેશ માટેના તેના સર્વોચ્ચ બલિદાન માટે ગર્વ પણ છે. તો બીજી તરફ કર્નલ બાબુએ તેના પિતાના દેશ સેવાના સપનાને પણ સાકાર કર્યું છે. તેમના પિતા પોતે જ સેનામાં ભરતી થઈને દેશની સેવા કરવા મંગતા હતા.શહીદના પિતા બી. ઉપેન્દ્રએ જણાવ્યું હતું કે: “હું પોતે જ સેનામાં જવા માંગતો હતો, પરંતુ એવું ના થઇ શક્યું અને મારે બેંકમાં નોકરી કરવી પડી,
એટલા માટે મેં સંબંધીઓના ના કહેવા છતાં પણ મારા દીકરાને સેનામાં મોકલ્યો.” શહીદ કર્નલ સંતોષ બાબુ બિહારી રેજીમેન્ટના છે અને તે ભારતીય ટુકડીનું નૈતૃત્વ કરતા હતા.”
Author: GujjuRocks Team