રોજ ખેતરમાં રાત્રે પ્રેમી તેની પ્રેમિકાને મળવા માટે જતો હતો, પ્રેમિકાના પિતાને ખબર પડતા કર્યું એવું કે સાંભળીને હચમચી ઉઠશો

ગુજરાતમાં પણ હત્યા અને લૂંટના બનાવો સામે આવવા લાગ્યા છે, ઘણા લોકો અંગત અદાવતમાં એકબીજાને મોતને ઘાટ ઉતારી દેતા હોય છે, ત્યારે ઘણા લોકોને પ્રેમ પ્રસંગોમાં પણ નારાજગીના કારણે મોતને ભેટવું પડે છે. આવો જ એક મામલો હાલ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ટીંટોઈ ગામમાંથી સામે આવ્યો છે. જ્યાં એક એક યુવકની ખુબ જ બેરહમીથી હત્યા કરી દેવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર 24  ઓગસ્ટના રોજ ટીંટોઈ ગામની સીમમાં એક અવાવરૂ કુવામાંથી એક યુવકની લાશ મળી આવી હતી. આ મામલે પોલીસે મૃતદેહનો કબ્જો લઈ પીએમ માટે મોકલી આપ્યો હતો, જેમાં શરીર પર ઈજાના નિશાન મળી આવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.

પોલીસે એફએસએલ અને ડોગ સ્કવોડની મદદથી તપાસ હાથ ધરી હત્યાના બનાવના સ્થળને શોધી હત્યાનો ભેદ ઉકેલી કાડ્યો છે. જેમાં હત્યા પાછળ પ્રેમ પ્રકરણ સામે આવ્યું છે. સમગ્ર મામલાને જોઈએ તો ટીંટોઈ ગામમાં રહેતા બળવંતસિંહ બારીયાની દીકરીને ગામના જ શૈલેન્દ્ર બારીયા સાથે પ્રેમ સંબંધ ચાલતો હતો. બંને પ્રેમી પંખીડા અવાર નવાર ગામના ભુપેન્દ્રસિંહ બારીયા અને ભારતસિંહ બારીયાના ખેતરમાં મુલાકાત કરતા હતા. જેની જાણ ખેતર માલિકોને થઈ ગઈ હતી.

જેમના ખેતરોમાં આ બંને પ્રેમી પંખીડા મળતા હતા તે બંને ખેતર માલિક યુવતીના પિતાના મિત્ર હતા, જેના કારણે તેમણે યુવતીના પિતાને આ વાતની જાણ કરી પ્રેમી યુવકની હત્યા કરવાનું કાવતરું રચી નાખ્યું. યુવતીના પિતા બળવંતસિંહ બારીયા અને તેમના બે મિત્ર ભુપેન્દ્રસિંહ બારીયા તથા ભારતસિંહ બારીયાએ જે જગ્યા પર પ્રેમી પંખીડા મળતા હતા તે સ્થળે તારનીવાડમાં કરંટ મુકી દીધો.

જેના બાદ જયારે પ્રેમી યુવક તેની પ્રેમિકાને મળવા માટે ખેતરમાં આવ્યો અને જેવો જ તે તારની વાડને અડ્યો તેવો જ તે કરંટથી બળી ગયો અને તેનું મોત નિપજ્યું. જેના બાદ યુવકની લાશને ખેતરથી 1 કિમી દુર એક અવાવરૂ કુવામાં નાખી દીધી હતી. ત્યારે પોલીસે આ સમગ્ર મામલાનો પર્દાફાશ કરી લીધો છે.

પોલીસે મુખ્ય આરોપી પિતા બળવંતસિંહ બારીયા, મદદગાર ખેતર માલિક ભુપેન્દ્રસિંહ બારીયા તથા ભારતસિંહ બારીયાની ધરપકડ કરી તેમની વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જીવ ગુમાવનાર મૃતક યુવકને પ્રેમ સંબંધ હોવાથી પિતાએ દીકરીના પ્રેમીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. સમાજમાં બદનામીના ડરને લઈ પિતાએ પોતાના બે મિત્રો સાથે મળી દીકરીના પ્રેમીને કરંટ આપી મોતને ઘાટ ઉતારી દીધો, ત્યારબાદ લાશને અવાવરૂ કુવામાં નાખી દીધી હતી.

Niraj Patel