આપણા શરીરની રચના જ ઈશ્વરે એ રીતે કરી છે કે જાણે બધું બરાબર રીતે ગોઠવાયું હોય. પરંતુ શું તમે જાણો છો કે આપણા શરીરના કેટલાક અંગો આપણા સ્વસ્થ હોવા તરફ પણ ઈશારો કરતા હોય છે. કેટલાક એવા સંકેતો શરીરમાંથી મળે છે જેના દ્વારા આપણને કઈ બીમારી છે તે પણ જાણી શકાય છે અને કઈ મોટું નુકશાન થતા પહેલા જ ડોક્ટરની સલાહ લઇ શકાય છે.

શરીરની આવી જ એક નિશાની આપણા હાથ અને પગમાં રહેલા નખ આપે છે. દરેક લોકોના નખમાં નીચેના ભાગ ઉપર એક અર્ધચન્દ્રની નિશાની હોય છે આ નિશાની તમારી સ્વસ્થતા વિશેની પણ જાણકારી આપે છે. ચાલો તમને જણાવીએ કેવી રીતે?

તમને જાણીને જવાઈ લાગશે કે ઘણા લોકોને આપણે જોયું હોય છે કે નખ નીકળી ગયા પછી બીજી નખ આવતો નથી તેની પાછળ પણ આ અર્ધચન્દ્ર જ રહેલો છે. નખની ઉપર રહેલો આ અર્ધચન્દ્ર એટલો નાજુક હોય છે કે એ ભાગમાં જો સહેજ વાગી પણ જાય તો પીડા થતી હોય છે. આપણા નખ દિવસેને દિવસે વધતા જાય છે પણ આ અર્ધચન્દ્રની નિશાની એટલી જ રહે છે. જો ભૂલથી પણ તમારા નખના એ ભાગમાં વાગી જાય અને એ નિશાની નીકળી જાય તો પછી ક્યારેય તમને નવો નખ આવતો જ નથી કારણે કે આર્ધચન્દ્ર જ નખનું મૂળ છે. જો નખ ઉખડતી વખતે એ ભાગ બચી ગયો હશે તો તમને નવો નખ આવી શકે છે.

ડોકટરોનું એવું માનવું છે કે બંને હાથમાં જો નખની અંદર આ અર્ધચન્દ્રની 8 નિશાનીઓ હોય તો વ્યક્તિ સંપૂર્ણ સ્વસ્થ છે. મોટાભાગે આંગળીઓની અંદર આ નિશાની બહુ ઓછી દેખાય છે પરંતુ અંગુઠાના નખમાં આ એકદમ ચોખ્ખી દેખાય છે.

જો નખની અંદર રહેલો આ અર્ધચંદ્ર એકદમ નાના કદનો હશે તો તમને પેટ સંબંધી તકલીફો રહેતી હશે. ઘણીવાર તમે કોઈ વૈદ્યને પોતાનો હાથ બતાવો છો ત્યારે તે તમારો હાથ જોઈને તમને આ વાત જણાવશે પરંતુ એમાં કોઈ મોટું લોજીક નથી. એ તમારા આ અર્ધચન્દ્રની નાની નિશાની જોઈને જ તમને પેટની તકલીફ છે એવું જણાવતા હોય છે.

જો તમારા નખમાં આ અર્ધચન્દ્ર સહેજ પણ ના દેખાતો હોય તો તમારામાં લોહની ઉણપ છે અથવા તો લોહી સંબંઘી કોઈ સમસ્યા પણ તમને છે.

જે વ્યક્તિના હાથમાં આ નિશાની એકદમ ચોખ્ખી દેખાઈ રહી છે તો તે વ્યક્તિ એકદમ ઉર્જાવાન અને ખુશમિજાજી હોય છે. જેને આ નિશાની વધુ સફેદ નથી દેખાઈ રહી એવા લોકો નિરાશાજનક હોય છે.

જો આ નિશાની સફેદના બદલે પીળા કે ભૂરા રંગની દેખાઈ રહી છે તો તમે ડાયાબિટિશની બીમારીનો ભોગ બનવા જઈ રહ્યા છો.

નખમાં રહેલો અર્ધચંદ્ર જો લાલ રંગનો હોય તો તમને હૃદય સંબંધી કોઈ બીમારી પણ થઇ શકે છે.

કદાચ કોઈ એવી વસ્તુ વધુ સમય સુધી હાથમાં નખની આસપાસ પકડી રાખવાના કારણે પણ આ અર્ધચન્દ્રનો રંગ બદલાતો હોય છે. પરંતુ જો તમને કાયમી આ રંગની નિશાની દેખાઈ રહી છે તો પોતે બીમારીનું નિવારણ શોધતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લઇ લેવી.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.