નાગપુરથી હૈદરાબાદ માટે ઉડાન ભરવા સમયે ગુરૂવારે રાત્રે એક ચાર્ટર પ્લેનનું આગળું ટાયર રન વે પર અલગ થઈ ગયું હતું. ત્યારબાદ એર એમ્બ્લુયન્સનું મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે.
એર એમ્બ્યુલન્સ જેટસર્વ એવિએશન તરફથી ઓપરેટ કરવામાં આવતું જા રે સી-90 એરક્રાફ્ટ VT-JIL નું આગલું ટાયર નાગપુરના રનવે 32 પર ઉડાન ભરતા સમયે વિમાનથી અલગ થઈ ગયું હતું.
સી -90 વિમાન નાગપુરથી હૈદરાબાદ જવાનું હતું. એયર એમ્બ્યુલન્સમાં કુલ 5 લોકો હાજર હતા, જેમાં 2 ક્રૂ મેમ્બર, એક ડોક્ટર અને એક દર્દીનો સમાવેશ થાય છે. પરંતુ તે એર એમ્બ્યુલન્સ નાગપુરથી ઉપડતાની સાથે જ તેમાં થોડી સમસ્યા ઊભી થઈ. એવું જાણવા મળ્યું હતું કે નાગપુર એરપોર્ટ ટેકઓફ માટે તૈયાર હતું ત્યારે એક પૈડુ જમીન પર પડી ગયુ.
મુંબઈ એરપોર્ટે નિવેદનમાં જણાવ્યું કે, છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના રનવે 27 પર સાવચેતીના પગલા ભરવામાં આવ્યા હતા જેથી વિમાનમાં આગ ન લાગી જાય. બધા યાત્રીકોને સુરક્ષિત કાઢી લેવામાં આવ્યા અને એરપોર્ટ પર અન્ય ફ્લાઇટની અવર-જવરના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
પરિસ્થિતિની ગંભીરતાને સમજીને, ફ્લાઇટમાં હાજર પાઇલટે સમજણ બતાવી પરિણામે, સમય જતાં તે ફ્લાઇટને સુરક્ષિત રીતે મુંબઇમાં ઉતરવા માટે બનાવવામાં આવી હતી.
A Jet Serve Aviation C-90 aircraft VT-JIL was operating an Ambulance flight from Nagpur with patient on board. While departing, a wheel separated & fell on ground. Aircraft landed in Mumbai. Crew confirmed they did a belly landing (no landing gear taken out), foam put on runway. pic.twitter.com/euUIyfQRp5
— ANI (@ANI) May 6, 2021