આપણો દેશ એક ધાર્મિક દેશ છે એને મંદિરો અને ધાર્મિક સ્થાનોમાં આપણા સૌની એક મોટી આસ્થા રહેલી છે, આપણે જયારે પણ મંદિરમાં દર્શન કરવા માટે જઈએ છીએ ત્યારે પહેલા જ મંદિરનમાં પગથિયાં ઉપર માથું ટેકવીએ છીએ અને પછી જ આગળ વધીએ છીએ, પરંતુ ઘણા લોકો આ રોતે માથું ટેકવવા પાછળનું રહસ્ય નહીં જાણતા હોઈએ આજે આપણે મંદિરમાં માથું કેમ ટેકવામાં આવે છે.

મંદિરમાં જયારે પણ આપણે પ્રવેશ કરીએ છીએ ત્યારે આપણે સૌ પ્રથમ મંદિરના પગથિયાંને પગે લાગીએ છીએ અને પછી આગળ વધીને મંદિરમાં રહેલો ઘંટ વગાડીએ છીએ, અને પછી આપણે ઈશ્વરના દર્શન કરીએ છીએ, આપણને આ બે બાબતોની હજુ પણ ખબર નહીં હોય.

જે મંદિરમાં ઘંટડી વાગતી હોય છે એ મંદીરને જાગૃત દેવ મંદિર કહેવામાં આવે છે. મંદિરના પ્રવેશદ્વાર ઉપર ઘટાડી વગાડવાના કારણે ભગવાનના આશીર્વાદ મળે છે, અને ધનની પણ પ્રાપ્તિ થાય છે. આ પ્રથા પ્રાચીન સમયથી ચાલી આવી છે. ભગવાનમાં વિશ્વાસ રાખનાર દરેક વ્યક્તિ આ પ્રથાનું પાલન કરતા આવી રહ્યા છે.

મંદિરમાં પ્રવેશતા જ આપણે પગથિયાં ઉપર આપણે માથું ટેકાવીએ છીએ તેની પાછળ પણ એક રહસ્ય છે. મંદિરની પૂજા કરવાની શરૂઆત મંદિરના પગથિયાં દ્વારા જ થાય છે. મંદિરના પગથિયાંએ આપણે પગે લાગીએ છીએ એટલે આપણે સીધા જ ઈશ્વરના ચરણોમાં પ્રણામ કરીએ છીએ. આ પરંપરા પણ વર્ષોથી ચાલી આવી છે જેના કારણે જ પણે મંદિરમાં પ્રવેશતા જ આપણે માથું ટેકવીએ છીએ.