નવા વર્ષમાં સૂર્યના નક્ષત્ર પરિવર્તનથી બદલાઇ જશે આ રાશિના જાતકોનું નસીબ, છપ્પડફાડ ધનવર્ષા સાથે દરેક કાર્યમાં મળશે સફળતા..

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને તમામ નવ ગ્રહોના સ્વામી માનવામાં આવે છે. આ વર્ષે મકરસંક્રાંતિ પહેલા એટલે કે 11 જાન્યુઆરી 2025ના રોજ સૂર્ય નક્ષત્ર બદલાવા જઈ રહ્યો છે. તેના નક્ષત્રમાં આ પરિવર્તન દેશ, વિશ્વ, હવામાન સહિત તમામ રાશિઓ પર અસર કરશે. સૂર્ય અગ્નિ તત્વનો ગ્રહ છે, જે શાસક ગ્રહ છે એટલે કે આત્મા, જીવનશક્તિ, નેતૃત્વ, પ્રતિષ્ઠા, ઉર્જા, શક્તિ, આત્મસન્માન અને આત્મવિશ્વાસનું કારક ગ્રહ છે. આ કારણે જ કુંડળીમાં સૂર્યની સ્થિતિ વ્યક્તિના વ્યક્તિત્વ, સ્વાસ્થ્ય, કારકિર્દી અને સામાજિક પ્રતિષ્ઠા પર ઊંડી અસર કરે છે.

ઉત્તરાષાદ નક્ષત્રમાં સૂર્યનું પરિવર્તન

વર્ષ 2025માં 11 જાન્યુઆરી 2025ના રોજ સૂર્યદેવ પ્રથમ વખત નક્ષત્ર બદલશે અને આ પ્રથમ નક્ષત્ર ઉત્તરાષાદ છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્રની ગાણિતિક ગણતરી મુજબ, સૂર્ય 11 જાન્યુઆરી, 2025, શનિવારના રોજ સવારે 2:30 કલાકે ઉત્તરાષાદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. જ્યોતિષશાસ્ત્રમાં આ નક્ષત્રમાં સૂર્યના પ્રવેશનું વિશેષ મહત્વ છે. શુભ કાર્યોની શરૂઆત કરવા અને જીવનમાં નવી ઉર્જા સાથે પ્રગતિ કરવા માટે આ સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઉત્તરાષાદ નક્ષત્રને સંકલ્પ, અનુશાસન અને સફળતાનું પ્રતિક માનવામાં આવે છે. સૂર્યનું આ નક્ષત્ર સંક્રમણ આ રાશિના લોકોના જીવનમાં સફળતા, સમૃદ્ધિ અને ખુશીના દ્વાર ખોલશે. ચાલો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે ?

મેષ રાશિ

સૂર્ય ગોચર મેષ રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થશે. આ દરમિયાન સમાજમાં પ્રતિષ્ઠા વધશે. કરિયરમાં પ્રગતિ થશે. પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ યોગ બની રહ્યા છે. તમે આત્મનિર્ભર અને સકારાત્મક અનુભવશો. તમારા નિર્ણયોનું વર્ક પ્લેસ અને પરિવારમાં મહત્વ મળશે. વેપારીઓ માટે ખૂબ લાભદાયક છે. જૂના ઇન્વેસ્ટથી સારું રિટર્ન મળશે. ઘણી નાણાકીય યોજના શરૂ કરી શકો છો. સમાજ અને પરિવારમાં માન-સન્માન મળશે.

સિંહ રાશિ

સૂર્ય સિંહ રાશિના સ્વામી છે. આ ગોચર સિંહ રાશિના જાતકોને આર્થિક, શારીરિક અને માનસિક રૂપે લાભ આપશે. વેપારીઓને મોટા પ્રોજેક્ટ અને નવા કોન્ટ્રાક્ટ મળશે. લાંબા સમયથી ચાલતી સ્વાસ્થની સમસ્યામાંથી છુટકારો મળશે. આવક વધશે. પારિવારિક અને વૈવાહિક સંબંધો સુધરશે. માનસિક શાંતિ અને સકારાત્મક દ્રષ્ટિકોણ વિકસિત થશે.

ધન રાશિ

ધન રાશિના જાતકો માટે ઉત્તરાષાદ નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ શુભ અને નવી સિદ્ધિઓનો સમય લાવશે. ભાગ્યનો પૂરો સાથ મળશે. અટકેલા કામ પુરા થશે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. સામાજિક અને વ્યાવસાયિક જીવનમાં પ્રગતિની નવી તકો મળશે. પ્રમોશન અને પગાર વધારો થવાની સંભાવના છે. વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા લોકોને મોટી સફળતા મળશે. વિદેશ યાત્રા અને તીર્થયાત્રાની તકો છે. સંબંધો સુધરશે. પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે.

(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)

Twinkle