મકરસંક્રાંતિ દેશના મુખ્ય તહેવારોમાંથી એક છે. આ દિવસે સ્નાન અને દાન કરવાનું વિશેષ મહત્વ હોય છે. આ દિવસે સૂર્ય પૂજા પણ કરવામાં આવે છે. મકરસંક્રાંતિથી સૂર્ય દેવ મકર રાશિમાં ગોચર કરે છે. ગ્રહોના રાજા સૂર્ય મકરસંક્રાંતિના શુભ દિવસે પોતાની રાશિ બદલી નાખશે. આ વર્ષે 14 જાન્યુઆરી 2025ને મંગળવારના રોજ સવારે 09:03 કલાકે સૂર્ય મકર રાશિમાં ગોચર કરશે. આ મકરસંક્રાંતિના તહેરવાર પર કેટલીક રાશિના લોકો માટે ગોલ્ડન પિરિયડ શરૂ થશે. આ રાશિના લોકોનું ભાગ્ય પણ સૂર્યની જેમ ચમકવા લાગશે. આ રાશિના લોકોને ધન લાભથી લઈને લગ્ન નક્કી થવા સહિતના સારા સમાચાર મળી શકે છે. જાણો એ ભાગ્યશાળી રાશિઓ કઈ છે ?
સિંહ રાશિ
સિંહ રાશિનો સ્વામી ગ્રહ સૂર્ય છે. આ રાશિને ગ્રહોના રાજાની પ્રિય રાશિમાંની એક ગણવામાં આવે છે. સૂર્યના ગોચરથી સિંહ રાશિના લોકોને લાભ થશે. નોકરી કરતા લોકોની નેતૃત્વ ક્ષમતા વધશે. આત્મવિશ્વાસ પ્રબળ થશે. વેપારીઓને મહેનતનું ફળ મળશે. મકરસંક્રાંતિના દિવસે સૂર્યદેવની વિશેષ કૃપાથી સિંગલ લોકોને તેના જીવનસાથી મળી શકે છે.
કર્ક રાશિ
કર્ક રાશિના લોકો માટે પણ મકરસંક્રાંતિથી સારો સમય શરૂ થશે. ઘણા સમયની અધૂરી ઈચ્છા પૂરી થઈ શકે છે. સૂર્યદેવની વિશેષ કૃપાથી જીવનમાં પ્રેમનું આગમન થશે. લગ્નજીવન સુખદ રહેશે. નોકરી કરતા લોકોને ઇચ્છિત કંપનીમાં કામ મળી શકે છે. વેપારીઓને સફળતા મળશે. વિદેશ પ્રવાસ પણ થઈ શકે છે.
મકર રાશિ
મકરસંક્રાંતિ પર સૂર્યનું ગોચર શુભ રહેશે. વેપારમાં સકારાત્મક પરિવર્તનના યોગ બની રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે સમય સારો. લવ લાઇફમાં ખુશીઓનું આગમન થશે. વિવાહ યોગ્ય લોકો માટે લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. યુવા વર્ગ મિત્રો સાથે વિદેશ ફરવા જઈ શકે છે. વિવાહિત કપલના જીવનમાં મજબૂતી આવશે.
(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)