સુરેન્દ્રનગરમાં “છોરૂ કછોરૂ થાય પરંતુ માવતર કમાવતર ન થાય” એ કહેવત પડી ખોટી- સાવકી માતાએ 7 વર્ષના પુત્રની કરી હત્યા

સુરેન્દ્રનગરના ક્રુષ્ણનગર વિસ્તારમાં મમ્મીએ 7 વર્ષના પુત્રને આપ્યું હતું કમકમાટી ભર્યું મોત, જેણે જોયું એ રાડો પાડવા લાગ્યા

ગુજરાતમાંથી અનેકવાર હત્યાના ચકચારી બનાવો સામે આવતા હોય છે, જેમાં કેટલીક હત્યા પ્રેમ સંબંધમાં તો કેટલીક અવૈદ્ય સંબંધમાં કરવામાં આવતી હોય છે. તો ઘણીવાર અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી હોવાના કિસ્સા પણ સામે આવતા રહે છે. પરંતુ હાલમાં જે કિસ્સો હત્યાનો સામે આવ્યો છે તે “છોરૂ કછોરૂ થાય પરંતુ માવતર કમાવતર ન થાય” આ કહેવતને ખોટી પાડે છે. આવો ચકચારી કિસ્સો સુરેન્દ્રનગરમાંથી સામે આવ્યો છે. સુરેન્દ્રનગરના કૃષ્ણનગર વિસ્તારમાં ચારેક વર્ષ પહેલા સાવકી માતાએ પુત્રની હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી હતી.

આ ઘટનાને ચારેક વર્ષ પૂર્ણ થયા હોવા છત્તાં પણ પરિવાર ન્યાયની રાહ જોઇ રહ્યો છે. ત્યારે આરોપીને કડકમાં કડક સજા થાય તેવી પરિવારજનો માંગ કરી રહ્યા છે. 7 વર્ષના માસુમ બાળકની હત્યા કરનાર સાવકી માતાને સજા ન મળે ત્યાં સુધી પિતાએ બીજા લગ્ન ન કરવાના પણ શપથ લીધા છે. ગુજરાતીમાં કહેવત છે કે છોરૂ કછોરૂ થાય પરંતુ માવતર કમાવતર ન થાય પરંતુ સુરેન્દ્રનગરમાં આ કહેવત ખોટી સાબિત થઇ છે.

વર્ષ 2018માં આ ઘટના બની હતી. શાંતિલાલ પરમારના લગ્ન ડિમ્પલ નામની યુવતી સાથે થયા હતા. આ લગ્નથી તેમને એક ભદ્ર નામનો છોકરો હતો અને ડિંપલબેનનું બિમારીને કારણે અવસાન થયું હતુ. જેના પગલે બાળકને માતાની હુંફ અને પ્રેમ મળે તેને લઇને શાંતિલાલના પરિવારે બીજા લગ્ન કરાવ્યા હતા. તેમના બીજા લગ્ન અમદાવાદની જીનલ નામની યુવતી સાથે થયા હતાં. જીનલના આ પહેલા બે લગ્ન થયા હતા અને તેમાંથી એક લગ્નથી તેને એક દીકરી પણ છે.

શાંતિલાલ અને જીનલનું લગ્નજીવન થોડો સમય તો શાંતિ અને સુખીથી પસાર થયું પરંતુ ત્યારબાદ બાળકોને લઇને વારંવાર માથાકુટ થતી હતી. જેના કારણે 6 ફેબ્રુઆરીના રોજ જીનલ ભદ્રને હોમવર્ક કરાવવા ઘરના ઉપરના રૂમમાં લઇ ગઇ અને અચાનક નીચે આવી. જે બાદ તેણે કહ્યુ કે, ભદ્ર દિવાલ ટપીને ક્યાંક ચાલ્યો ગયો છે. જો કે મોડી સાંજસુધી તેનો પત્તો ન લાગતા અંતે શાંતિલાલે શોધખોળ હાથ ધરી હતી અને જે બાદ રાત્રે લગભગ 10 વાગ્યા આસપાસ તેની લાશ મળી આવી હતી.

ભદ્રની લાશ ઘરના ઉપરના માળે આવેલા રૂમમાં રહેલી સુટકેશમાંથી મળી આવતા પરિવારજનો પર તો જાણે કે આભ તુટી પડ્યું હતુ. ભદ્રના મોત અંગે સાવકી માતા જીનલની પુછપરછ કરતા તેણે ભદ્રને મોંઢા પર ડુચો દઇ કપડા વડે હાથપગ બાંધી દઇ સુટકેશમાં પુરી દીધો હોવાની કબુલાત કરી હતી. આ મામલે ભદ્રની સાવકી માતાની પુછપરછ હાથ ધરી હતી.

તેણે કબૂલ્યુ હતુ કે તેણે ભદ્રને મોંઢા પર ડુચો દઇ કપડા વડે હાથપગ બાંધી દઇ સુટકેશમાં પુરી દીધો હતો. આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી અને જે બાદ સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને આરોપીની ધરપકડ કરી હતી. આ ઘટનાને ચાર વર્ષ પૂર્ણ થયા છે છત્તાં પણ ભદ્રની હત્યા કરનાર આરોપી જીનલને કડલ સજા થાય તેવી આશામાં આજે પણ પરિવારજનો ન્યાયની રાહ જોઇ રહ્યા છે.

Shah Jina