હત્યારા ફેનિલે ગ્રીષ્માના મોટા પપ્પા અને ભાઈને ચાકુ માર્યા બાદ માંગી હતી બાઈકની ચાવી, બીજા પણ ઘણા ખુલાસા કર્યા ભાઈ ધ્રુવ વેકરીયાએ, જુઓ

સુરતમાં  બનેલી ઘટનાના પડઘા આજે આખા ગુજરાત સાથે દેશભરમાં પડી રહ્યા છે. આજે માસુમ ગ્રીષ્માના ઘરે શોકનો માહોલ ફરી વળ્યો છે. તેના માતા-પિતા અને પરિવારજનો આ સમયે દીકરીના અણધાર્યા મોતથી ખુબ જ આહત છે અને તેમના રડી રડીને હાલ પણ બેહાલ થઇ રહ્યા છે. ત્યારે ઘણા મીડિયા દ્વારા તેમના ઘરની મુલાકાત લેવામાં આવી રહી છે અને એક પછી એક બાબતો સામે આવી રહી છે.

એક મીડિયા ચેનલ સાથેની વાતચીતમાં ગ્રીષ્માના પિતા દ્વારા જલ્દી આ કેસમાં ન્યાય મળે તેવી મંગની કરવામાં આવી રહી છે. તે સાથે જ  તેમને સરકાર ઉપર પૂરો વિશ્વાસ હોવાની વાત પણ જણાવી છે અને કહ્યું છે કે સરકાર અને પોલીસ હાલમાં તેમના સાથમાં છે અને તેમને વિશ્વાસ છે કે તેમને જલ્દી જ ન્યાય મળશે.

આ ઉપરાંત ગ્રીષ્માના પિતાએ જણાવ્યું કે કોઈપણ છોકરો જો છોકરીની છેડતી કરે તો છોકરી તેના પિતાને આ વાત કહી શકે અને કાયદામાં પણ એવી સજા હોય કે તેને પાંચ-છ મહિના નહિ પરંતુ જો તે છોકરાની ઉંમર 18 વર્ષની હોય તો તે યુવકને પણ 18 વર્ષની સજા થાય, જેના કારણે જે છોકરીની છેડતી તેને કરી છે તે તેના જીવનમાં સેટ થઇ શકે. નહિ તો જેલમાંથી છૂટ્યા બાદ તે મોટું પગલું પણ ભરી શકે છે.

આ બબાતે મીડિયાએ ગ્રીષ્માના ભાઈ ધ્રુવ સાથે પણ વાત કરી હતી. ધ્રુવ આ ઘટનાનો સાક્ષી હતો, તેને પોતાની આંખે આ ઘટનાને જોઈ હતી. ત્યારે ધ્રુવે પણ જણાવ્યું હતું કે ફેનિલ સોસાયટીની બહાર આવ્યો હતો અને તે અને તેના મોટા પપ્પા બંને તેને સમજાવવા માટે ગયા હતા. પરંતુ ફેનિલે મોટા પપ્પાને પેટમાં છરો મારી દીધો. તે બીજી વખત હુમલો કરવા જતો હતો તો મેં તેનો હાથ પકડી લીધો અને મને પણ હાથમાં છરો વાગ્યો હતો.

ધ્રુવે આગળ જણાવ્યું કે મોટા પપ્પા ત્યાંથી જ્યાં બીજા લોકો ઉભા હતા તેમની પાસે જતા રહ્યા, મેં એક હાથે તેને પકડી રાખ્યો હતો, ચાકુ પણ તેની પાસેથી લઇ લીધું. પણ મારા એક હાથમાં વાગેલું હોવના કારણે તે ભાગી ગયો અને મોટા પપ્પાને મારવા માટે જતો હતો પણ ત્યાં વધુ લોકો હોવાથી તે મારી પાસે આવ્યો અને બાઈકની ચાવી માંગવા લાગ્યો ભાગવા માટે પણ મેં ના આપી.

મને પણ ફેનિલે માથામાં માર્યું અને અમારી વચ્ચે ઝપાઝપી પણ થઇ. તેને એ સમયે ચાવી લઇ લીધી હશે. મને અને મોટા બાપુજીને વાગેલું જોઈને બહેન અને મમ્મી ઘરની બહાર બેઠા હતા તે ગેટ પાસે આવ્યા. તો બેનને જોઈને પકડી લીધી. તો મીડિયા રિપોર્ટર દ્વારા ધ્રુવને પૂછવામાં આવ્યું કે ઘટના સમયે સોસાયટીમાં પણ બીજા લોકો હાજર હતા તો કોઈ બચાવવા કેમ ના આવ્યું ?

આ સવાલના જવાબમાં ધ્રુવે કહ્યું કે, “તેની પાસે ધારદાર હથિયાર હતું. કોઈ જરા પણ આગળ જાય તો તે ફેરવી દે એની બીક હતી જેના કારણે કોઈ આગળ નહોતા આવ્યા અને મોટાભાગની લેડીઝ હતી અને તેમને મારી નાખે એટલે કોઈ આગળ ના આવ્યા.” આ ઉપરાંત પોતાનો અફસોસ વ્યક્ત ધ્રુવે કહ્યું કે “મને મારી બહેને જવાની ના પાડી હતી, છતાં પણ હું ગયો !”

Niraj Patel