પશ્ચિમ બંગાળ એજ્યુકેશન સ્કેમ (WBSSC)ના મામલામાં ED સતત કાર્યવાહી કરી રહ્યું છે. આ ક્રમમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ફરી એકવાર મમતા બેનર્જીની પાર્ટીના નેતા પાર્થ ચેટરજીની નજીકની સાથી અર્પિતા મુખર્જીના ઘર પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, રોકડ અને ઘરેણાંની સાથે EDને અર્પિતાના ફ્લેટમાંથી બે ટોય પણ મળ્યા હતા.
મીડિયા રિપોર્ટ અનુસાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કહ્યું છે કે બુધવારે અર્પિતા મુખર્જીના બેલઘરિયા ફ્લેટની સર્ચ દરમિયાન અધિકારીઓને બે ટોય મળ્યા હતા. તે ફ્લેટ અર્પિતાનો હતો તો શું તે ટોયનો ઉપયોગ કરતી હતી? કે પછી તે ફ્લેટનો ઉપયોગ અન્ય કોઈ કરતું હતું? તે હજુ સ્પષ્ટ નથી.
આ ટોય ક્યાંથી લાવવામાં આવ્યા હતા ? કોણે ખરીદ્યા હતા ? કિંમત કેટલી છે ? તે હજુ સ્પષ્ટ થયું નથી. પરંતુ માત્ર ટોય જ નહીં, એક સોના અને હીરાની વીંટી પણ મળી આવી છે જેના પર અંગ્રેજી અક્ષર ‘P’ લખેલું હતું. EDએ કહ્યું છે કે હાલમાં આ તમામ બાબતોની તપાસ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે બુધવારે 27 જુલાઈ 2022) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા અર્પિતા મુખર્જીના બીજા ફ્લેટ પર દરોડા પાડ્યા હતા. અહીંથી EDને લગભગ 28.90 કરોડ રૂપિયા રોકડા અને 5 કિલો સોનું મળ્યું. દરોડો ગુરુવારે 28 જુલાઈ 2022 સવારે 4 વાગ્યા સુધી ચાલ્યા હતા. આ રકમ અર્પિતા મુખર્જીના ફ્લેટના ટોયલેટમાં છુપાવીને રાખવામાં આવી હતી. આ રકમની ગણતરી કરવા માટે EDના અધિકારીઓને 3 નોટ કાઉન્ટીંગ મશીન લેવા પડ્યા હતા.
ન્યૂઝ એજન્સી એએનઆઈએ અહેવાલ આપ્યો હતો કે બેલઘરિયામાં અર્પિતા મુખર્જીના ઘરેથી લગભગ 29 કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે. 10 ટ્રન્કમાં ભરીને એજન્સી તેને સાથે લઈ ગઈ હતી. અર્પિતા મુખર્જીના ઘરેથી અત્યાર સુધીમાં કુલ 50 કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે. આ પહેલા 23 જુલાઈના રોજ EDએ અર્પિતાના અન્ય એક ઘરમાંથી 21 કરોડ રૂપિયાની રોકડ રિકવર કરી હતી. અર્પિતા મુખર્જી કહે છે કે પાર્થ ચેટર્જી તેના ઘરનો ઉપયોગ ‘મિની બેંક’ તરીકે કરતો હતો.
પશ્ચિમ બંગાળના ચર્ચિત શિક્ષા ભર્તી ઘોટાળાની જાંચ હવે મંત્રીઓ સુધી પહોંચી ચુકી છે. આ તપાસમાં પરિવર્તન નિદેશાલય (ED) એ શિક્ષક ભર્તી ઘોટાળાનાં સંબંધમાં રાજ્યમાં મંત્રી પાર્થ ચટર્જી અને નજીકની સહિયોગી અર્પિતા મુખર્જીના આવાસ પર છાપામારી કરવામાં આવી હતી. આ રેડમાં EDએ અર્પિતાના ઘરેથી 50 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે એને પાંચ કિલો સોનુ જપ્ત કર્યું છે. માનવામાં આવી રહ્યું છે કે અર્પિતા મમતા બેનર્જી સરકાર મંત્રી પાર્થ ચટર્જીની સહાયક છે.
મિડલ કલાસ પરિવારમાંથી આવતી અર્પિતાના પિતાનું નિધન બાદ તેની જગ્યાએ તેને નોકરી મળી હતી પણ અર્પિતાએ નોકરીનો સ્વીકાર કર્યો ન હતો. એક સમયેઅર્પિતાએ બિઝનેસમેન સાથે લગ્ન પણ કર્યા હતા પણ લગ્નના અમુક જ મહિનાઓમાં તે અલગ થઇ ગઇ હતી. કેમ કે અર્પિતા કોઈ બંધનમાં હેવા માંગતી ન હતી અને ઉડાણ ભરવા માટે મોડેલિંગ અને એક્ટિંગ દુનિયામાં એન્ટ્રી લીધી અને કલકત્તા શિફ્ટ થઇ ગઇ હતી.
કોલેજના દિવસોથી જ અર્પિતાએ મોડેલિંગની શરૂઆત કરી દીધી હતી અને તેણે પોતાની કારકિર્દીની શરૂઆત બંગાળી ફિલ્મો દ્વારા કરી હતી, શરૂઆતમાં તેની સુંદરતાને લીધે ફિલ્મોમાં તેને નાના મોટા રોલ મળવા લાગ્ય હતા.પણ સાચી શરૂઆત વર્ષ 2008માં થઇ હતી. ડાયરેક્ટર અનુપ સેન ગુપ્તાએ પોતાની આવનારી ફિલ્મ મામા ભગને માટે તેને અભિનેત્રી તરીકે પસંદ કરી હતી, જે વર્ષ 2010માં આવી હતી.
બંગાળીના સિવાય અર્પિતા ઉડિયા ફિલ્મોમાં પણ કામ કરતી હતી અને ઘણી ફિલ્મોમાં સાઈડ રોલ પણ કર્યો હતો. અને ધીમે ધીમે તેની શોહરત વધવા લાગી. વર્ષ 2010માં તેની મુલાકાત પાર્થ ચેટર્જી સાથે થઇ હતી, બંનેની મુલાકાત એક બાંગ્લા અભિનેત્રીએ કરાવી હતી ત્યાર બાદ બંને અવારનવાર એકબીજાને મળતા રહેતા હતા.
ઇડીના આધારે શિક્ષા ભર્તી ઘોટાલાની જાંચના દરમિયાન અર્પિતાની સલિપ્તતાની વાત સામે આવી છે. આ સિવાય તે ઘણીવાર પાર્થ મુખર્જીની સાથે રાજનીતિક આયોજનોમાં પણ જોવા મળી ચુકી છે.આ સિવાય તે પાર્થની સાથે કેમપેન કરતી પણ જોવા મળી હતી. એવું કહેવામાં આવ્યું છે કે દક્ષિણ કલકત્તાના લોકપ્રિય દુર્ગાપૂજા સમિતિના કાર્યક્રમોમાં બંનેની મુલાકાત થઇ હતી. જ્યા પાર્થ આ સમિતિનું સંચાલન કરે છે જ્યારે અર્પિતા પૂજામાં ઘણીવાર ભાગ લઇ ચુકી છે.
ઇડીએ કહ્યું કે,”તપાસના દરમિયાન ઇડીએ પાર્થ ચટર્જીની નજીકની સહિયોગી અર્પિતા મુખર્જીના આવાસ પરથી લગભગ 50 કરોડથી પણ વધારે રૂપિયાની રોકડ જપ્ત કરી છે”.ઇડીએ પોતાના મંતવ્યમાં આરોપ લગાવ્યો કે,”આ ધનથી સ્કૂલ સેવા આયોગ ઘોટાળા સાથે જોડાયેલો હોવાની શંકા છે” આ સિવાય અર્પિતાના આવાસ પરથી 20 થી પણ વધારે મોબાઈલ ફોન જપ્ત કર્યા છે, જેનો ઉદ્દેશ્ય અને ઉપીયોગની તપાસ કરવામાં આવી રહી છે.
અર્પિતાના ઘરેથી પહેલાથી જ નોટના બંડલ્સ મળ્યા હતા ને ફરીથી જાંચ કરવામાં આવી તો અર્પિતાના અન્ય ચાર ફ્લેટ્સની જાણકારી મળી અને ત્યારબાદ અર્પિતાની લગ્ઝરી ગાડીઓની જાણ થઇ છે. જો કે અર્પિતાના ડ્રાઇવરે પણ જણાવ્યું છે કે તેની પાસે ઘણી લગ્ઝરી ગાડીઓ છે, જો કે એમાંની અમુક મહિનોથી ગાયબ છે.ED આવનારા દિવસોમાં અન્ય જગ્યાઓ પર પણ છાપામારી કરી શકે તેમ છે.
પશ્ચિમ બંગાળના ચર્ચિત શિક્ષા ભર્તી ઘોટાળાની જાંચ હવે મંત્રીઓ સુધી પહોંચી ચુકી છે. આ તપાસમાં પરિવર્તન નિદેશાલય (ED) એ શિક્ષક ભર્તી ઘોટાળાનાં સંબંધમાં રાજ્યમાં મંત્રી પાર્થ ચટર્જી અને નજીકની સહિયોગી અર્પિતા મુખર્જીના આવાસ પર છાપામારી કરવામાં આવી હતી. આ રેડમાં EDએ અર્પિતાના ઘરેથી 20 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે જેમાં 2000 અને 500 રૂપિયાના બંડલ્સ હતા, માનવામાં આવી રહ્યું છે કે અર્પિતા મમતા બેનર્જી સરકાર મંત્રી પાર્થ ચટર્જીની સહાયક છે.એવામાં પાર્થ ચટર્જીના ઘરે પણ શુક્રવારથી છાપામારી ચાલી રહી છે આ વચ્ચે સવાલ એ છે કે આખરે આ અર્પિતા કોણ છે અને તે પાર્થ ચટર્જીની કરીબી કેવી રીતે બની.
ઇડી રેડના આધારે અર્પિતા પશ્ચિમ બંગાળના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી પાર્થ ચટર્જીની નજીકની સહિયોગી માનવામાં આવી રહી છે . તે વ્યવસાયથી એક અભિનેત્રી અને મૉડલ છે અને તે બાંગ્લા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર સાથે અમુક ફિલ્મોમાં સાઈડ રોલ કરી ચુકી છે.તેણે ઓડિશા ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ફિલ્મોમાં પણ કામ કર્યું છે, આ સિવાય તે તમિલ ફિલ્મોનો પણ હિસ્સો રહી ચુકી છે.
અર્પિતાએ જો કે ફિલ્લોમાં સાઈડ રોલ જ કર્યા છે. ઇડીના આધારે શિક્ષા ભર્તી ઘોટાલાની જાંચના દરમિયાન અર્પિતાની સલિપ્તતાની વાત સામે આવી છે. આ સિવાય તે ઘણીવાર પાર્થ મુખર્જીની સાથે રાજનીતિક આયોજનોમાં પણ જોવા મળી ચુકી છે.આ સિવાય તે પાર્થની સાથે કેમપેન કરતી પણ જોવા મળી હતી. એવું કહેવામાં આવ્યું છે કે દક્ષિણ કલકત્તાના લોકપ્રિય દુર્ગાપૂજા સમિતિના કાર્યક્રમોમાં બંનેની મુલાકાત થઇ હતી. જ્યા પાર્થ આ સમિતિનું સંચાલન કરે છે જ્યારે અર્પિતા પૂજામાં ઘણીવાર ભાગ લઇ ચુકી છે.
દુર્ગા પૂજાના સમયે રિલીઝ કરેલા પોસ્ટરમાં પાર્થ ચટર્જીનું નામ સંઘના અદ્યક્ષ તરીને લખવામાં આવ્યું હતું. છાપામારી બાદ ભાજપા નેતા અધીકારીએ 2019ની દુર્ગાપૂજાની તસવીરો શેર કરી છે, જેમાં સીએમ મમતા બનર્જી, પાર્થ ચટર્જી અને અર્પિતા મુખર્જી દેખાઈ રહ્યા છે. અધિકારીએ પોસ્ટ પર લખ્યું કે,” આ તો બસ ટ્રેલર છે, પિક્ચર હજી બાકી છે”.રિપોર્ટના આધારે અર્પિતા આગળના ઘણા વર્ષોથી કલકત્તાના એક આલીશાન ફ્લેટમાં રહે છે. ઇડીએ તેના ઘરે છાપામારી કરી જ્યાંથી 20 કરોડ રોકડ રકમ મળી આવી છે.
ઇડીએ કહ્યું કે,”તપાસના દરમિયાન ઇડીએ પાર્થ ચટર્જીની નજીકની સહિયોગી અર્પિતા મુખર્જીના આવાસ પરથી લગભગ 20 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે”.ઇડીએ પોતાના મંતવ્યમાં આરોપ લગાવ્યો કે,”આ ધનથી સ્કૂલ સેવા આયોગ ઘોટાળા સાથે જોડાયેલો હોવાની શંકા છે” આ સિવાય અર્પિતાના આવાસ પરથી 20 થી પણ વધારે મોબાઈલ ફોન જપ્ત કર્યા છે, જેનો ઉદ્દેશ્ય અને ઉપીયોગની તપાસ કરવામાં આવી રહી છે.
2 sex toys found too 😂🤣🤣 pic.twitter.com/gvkibze6Io
— Mohit Gulati 🇮🇳 (@desimojito) July 28, 2022