ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દમદાર ખેલાડી એવા સૌરવ ગાંગુલીના ચાહકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. અચાનક જ સૌરવની તબિયત ખરાબ થઇ જવાને લીધે તેને કલકત્તા વુડલૈંડ્સ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે.

મળેલી જાણકારીના આધારે સૌરવને હૃદયને લગતી સમસ્યા થઇ ગઈ હતી જેને લીધે તેને ભરતી કરવામાં આવ્યા હતા.
BCCI president and former India captain Sourav Ganguly rushed to hospital folowing chest pain: hospital sources
— Press Trust of India (@PTI_News) January 2, 2021
રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે સૌરવ પોતાના ઘરના જીમમાં વર્કઆઉટ કરી રહ્યા હતા અને જ્યારે તે બહાર આવ્યા ત્યારે તેને અચાનક જ ચક્કર આવવા લાગ્યા અને હૃદયમાં દુઃખાવો પણ થવા લાગ્યો હતો અને તરત જ દાખલ કવામાં આવ્યા હતા.
He felt dizzy when he was in the gym and he went to Woodlands to get the Tests done. That’s when it came to light that there was a cardiac issue and the hospital has now created a 3 member board with Dr. Saroj Mondal who will perform the procedure. @SGanguly99 get well soon.
— Boria Majumdar (@BoriaMajumdar) January 2, 2021
સૌરવના મિત્ર બોરિયા મજમુદારે ટ્વીટ દ્વારા આ જાણકારી આપી છે અને કહ્યું કે હોસ્પિટલમાં જાંચ કરવા પછી માલુમ પડ્યું કે તેને હૃદયનો હુમલો આવ્યો હતો. હાલ સૌરવની હાલતમાં ઘણો સુધારો છે. હજી સુધી તેના પરિવાર તરફથી આ બાબતને લીધે કોઈ નિવેદન સામે આવ્યું નથી.