બોલિવુડમાં વધુ એક કપલના થવા જઇ રહ્યા છે છૂટાછેડા, લગ્નના 24 વર્ષ બાદ થશે અલગ

ખાન પરિવારમાં વધુ એક કપલ લઇ રહ્યુ છે લગ્નના 24 વર્ષ બાદ છૂટાછેડા, જાણો કોણ છે એ..

બોલિવૂડની દુનિયામાં સંબંધો બનવા કે તૂટવા એ કોઈ મોટી વાત નથી. અહીં નાની નાની બાબતો પર સંબંધો તૂટી જાય છે. એવા અહેવાલ છે કે બોલિવૂડના દબંગ ખાન કહેવાતા સલમાન ખાનના ભાઈ સોહેલ ખાન છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. હાલમાં જ સોહેલ ખાન અને તેની પત્ની સીમા ખાન ફેમિલી કોર્ટની બહાર જોવા મળ્યા હતા. સોહેલ ખાનના છૂટાછેડાના સમાચારે સોશિયલ મીડિયા જગતને હચમચાવી દીધું છે. ચાહકો માની શકતા નથી કે સોહેલ ખાન અને સીમા ખાન અલગ થવા જઈ રહ્યા છે.

સોહેલ ખાન અને સીમા ખાનના લગ્નને 24 વર્ષ થયા છે. સોહેલ ખાન અને સીમા ખાનનો સંબંધ લગ્નના 24 વર્ષ બાદ તૂટવા જઈ રહ્યો છે. સોહેલ અને સીમાની તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. વાયરલ થઈ રહેલી તસવીરમાં સોહેલ ખાન ચહેરા પર માસ્ક પહેરેલો જોવા મળે છે. બીજી તસવીરમાં સીમા ખાન મીડિયાની અવગણના કરતી જોવા મળી રહી છે.અત્યાર સુધી એ વાત સામે આવી નથી કે કયા કારણે સોહેલ ખાન અને સીમા ખાનના સંબંધો તૂટવાની કગારે પહોંચ્યા.

ઘણી વખત સોહેલ ખાનનું નામ બોલિવૂડ એક્ટ્રેસ હુમા કુરેશી સાથે જોડાઈ ચૂક્યું છે. જોકે સોહેલ ખાને આ સમાચારને માત્ર અફવા ગણાવી હતી. ફેમિલી કોર્ટમાં છૂટાછેડા નોંધાવ્યા બાદ બંને પોતપોતાની કારમાં ઘરે જવા રવાના થયા હતા. જણાવી દઈએ કે સોહેલ ખાન અને સીમા ખાન વર્ષ 1998માં લગ્નના બંધનમાં બંધાયા હતા. તેમને બે બાળકો નિર્વાણ અને યોહાન છે. રિપોર્ટ્સ અનુસાર વર્ષ 2017માં સોહેલ અને સીમાના અલગ થવાની માહિતી સામે આવી હતી.

શો ‘ધ ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઈવ્સ’માં બતાવવામાં આવ્યું હતું કે સોહેલ અને સીમા અલગ રહે છે. આ શોથી સ્પષ્ટ થઈ ગયું હતું કે સીમા અને સોહેલ અલગ રહે છે. ઉલ્લેખનીય છે કે, સોહેલ ખાન સિવાય સલમાન ખાનના બીજા ભાઇ અરબાઝ ખાનના લગ્ન પણ 17 વર્ષ બાદ તૂટ્યા હતા. અરબાઝ ખાને મલાઇકા સાથે લગ્ન કર્યા હતા. જો કે, તેઓએ લગ્નના 17 વર્ષ બાદ પોતાના રસ્તા અલગ કરી લીધા હતા.

સોહેલ ખાન અને સીમા ખાને લવ મેરેજ કર્યા હતા. બંનેની લવ સ્ટોરી કોઈ ફિલ્મની સ્ટોરીથી ઓછી નથી. સીમા દિલ્હીની રહેવાસી છે. તે ફેશનની દુનિયામાં પોતાનું નામ બનાવવા માટે આવી હતી. અહેવાલો અનુસાર, બંનેની પહેલી મુલાકાત ચંકી પાંડેની સગાઈની પાર્ટીમાં થઈ હતી. સોહેલ પહેલી નજરમાં જ સીમાના પ્રેમમાં પડી ગયો હતો. આ પછી બંનેનો પ્રેમ ખૂબ જ મજબૂત બન્યો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ધર્મ અલગ હોવાના કારણે સોહેલ અને સીમાના લગ્નમાં ઘણી સમસ્યાઓ આવી હતી. જેના કારણે મધરાતે મૌલવીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને રાત્રે જ લગ્ન થઈ ગયા હતા. બંનેએ આર્ય સમાજ મંદિરમાં બીજા લગ્ન કર્યા. સીમાના માતા-પિતા આ લગ્નની વિરુદ્ધ હતા. ધર્મ અલગ હોવાને કારણે તેઓ ઈચ્છતો ન હતા કે બંને લગ્ન કરે. જો કે, આ કપલે કોઈની વાત ન માની અને એકબીજાનો હાથ પકડી લીધો.

Shah Jina