જીવનભર સ્વસ્થ રહેવું છે કે લાખો રૂપિયા હોસ્પિટલમાં ભરવા છે? જાણો સ્વસ્થ રહેવાની બેસ્ટ ટિપ્સ
સ્વસ્થ રહેવા માટે ડાયટ કરવું જરૂરી છે,. પરંતુ અમુક વસ્તુ ખાવાની સાચી રીત ખબર હોવી જોઈએ. ઘણા લોકો નથી જાણતા કે ઘણા એવા ફૂડ છે જે આખી રાત પાણીમાં પલાળીને સવારે ખાવાથી તાકત 2 ગણી વધે છે. તો શરીરને પણ ફાયદો થાય છે. આપણા વડીલો કહેતા હતા કે, કોઈ વસ્તુને આખી રાત પાણીમાં પલાળીને બીજા દિવસે ખાવાથી ફાયદેમંદ સાબિત થાય છે. અપને સૌ જાણીએ છીએ ઘણા એવા ફૂડ છે જે આપણા શરીરને સ્વસ્થ રાખવાની સાથે ઘણી બીમારીને દૂર કરે છે.
આવો જાણીએ કંઈ વસ્તુ રાતે પલાળીને ખાવાથી ફાયદો થાય છે.
1.બદામ

પલાળેલી બદામ ખાવાથી આંખની રોશની અને મગજ તેજ થાય છે. આ સાથે જ દરરોજ 3થી 5 પલાળેલી બદામનું સેવન કરવાથી કેન્સર જેવી ગંભીર બીમારી સામે રક્ષણ મેળવી શકાય છે.
2.વરિયાળી

વરિયાળીને પલાળીને ખાવાથી અથવા તેનું પાણી પીવાથી યુરિનની તકલીફથી બચી શકાય છે. આટલું જ નહીં પલાળેલી વરિયાળી ખાવાથી પાચન વ્યવસ્થિત થાય છે. વરિયાળી ખાવાથી આંખની રોશની તેજ થાય છે.
3.કિસમિસ

કિસમિસમાં મેગ્નેશિયમ, પોટેશિયન અને આયર્નનો ભંડાર છે. ઘણા ઓછા લોકો જાણે છે કે, કિસમિસને નિયમિત પલાળીને ખાવાથી કેન્સરની કોશિકાઓની વૃદ્ધિ નથી થતી. આસ આઠે જ સ્કિન પણ હેલ્ધી અને દાગા વગરની રહે છે. જો તમે એનિમિયા ને કિડનીની સમસ્યાથી ઝઝૂમતા હોય તો દરરોજ કિસમિસન ઉસેવન કરવાથી ઘણી બીમારીઓથી છુટકારો મેળવી શકાય છે. જે લોકોને બીપીની તકલીફ હોય તેને દરરોજ પલાળેલી કિસમિસનું સેવન કરવું જોઈએ.
4.અળસી

અળસીમાં ઓમેગા-3 ભરપૂર માત્રામાં હોય છે. અળસીને ફેટી એસિડનો એકમાત્ર શાકાહારી સ્ત્રોત માનવામાં આવે છે. નિયમિત રીતે અળસીને પલાળીને ખાવાથી શરીરમાંથી કોલેસ્ટરોલ ઘટે છે. જેના કારણે હાર્ટ અને શરીર બંને સ્વસ્થ રહે છે.
5.ખસખસ

લાડુ પર છાંટવામાં આવતી ખસખસ સ્વાસ્થ્ય માટે પણ ઘણી ફાયદાકારક છે. ખસખસમાં ફોલેટ, થિયામીન અને પેટોથેનિક એસિડ હોય ચછે. ખસખસમાં રહેલું વિટામિન બી આપણા મેટાબોલિઝ્મને વધારવામાં મદદ કરે છે. ખસખસનું સેવન કરવાથી વજન નિયંત્રણમાં રહે છે. ખસખસને પલાળીને ખાવાથી શરીરનુંફેટ નથી વધતું અને શરીર સ્વસ્થ રહીને બીમારી દૂર કરે છે.
6.ફણગાવેલા મગ

ફણગાવેલા મગમાં પ્રોટીન, ફાઈબર અને વિટામિન બી ભરપુર માત્રામાં હોય છે. ફળગાવેલા મગ ખાવાથી કબજિયાતટ અને ગેસન સમસ્યા નથી રહેતી. હાઈ બીપીના દર્દીઓએ ફણગાવેલા મગનું દરરોજ સેવન કરવું જોઈએ. ફણગાવેલા મગ આસાનીથી પછી જાય છે.
7.મેથી દાણા

મેથીના દાણામાં પણ ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. જે આપણા પેટમાં રહેલી ક્બ્જીયાતનર દૂર કરીને આંતરડાને સાફ કરે છે. આટલું જ નહીં મેથીના દાણાન ઉસેવન કરવાથી ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રહે છે. મેથીના દાણાને પલાળીને ખાવાથી મહિલાઓને પીરિયડ દરમિયાન જે દર્દ થાય છે તે પણ ઓછું થઇ જાય છે. મેથીનું નિયમિત સેવન કરવાથી કમરનો દુખાવો દૂર થાય છે.
8.અંજીર

દરરોજ 3થી 5 પલાળેલા અંજીર ખાવવાથી કબજિયાતની સમસ્યા દૂર થઇ જાય છે. અંજીરમાં ઓમેગા 3-6 ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે. જે હાર્ટ એટેકથી દૂર રાખે છે.આ સિવાય અંજીરમાં કેલ્શિયમ પણ હોય છે જે હાડકાને મજબૂત કરે છે.
Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.