ફેબ્રુઆરીમાં શનિ અસ્ત થઈ ભારે કહેર વરસાવશે, શનિદેવ ગુસ્સે થઈ આ રાશિના જાતકોની વધારશે મુશ્કેલી, સાવધાન રહેજો!

જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને કર્મ ફળના દાતા કહેવાય છે. શનિદેવ વ્યક્તિને તેના સારા કર્મોનું સારું ફળ અને ખરાબ કર્મોનું ખરાબ ફળ આપે છે. શનિદેવને ન્યાયાધીશ પણ કહેવાય છે. જો શનિદેવ ગુસ્સે થાય છે તો તેમનો ક્રોધ વિનાશક બની જાય છે. વર્ષ 2025 માં શનિ અસ્ત થવા જઈ રહ્યા છે. જ્યારે કોઈ ગ્રહો અસ્ત થાય છે તો તેની શક્તિ ઘટી જાય છે. શનિ અસ્ત થશે તેનો અર્થ છે કે તે પોતાની સંપૂર્ણ શક્તિમાં નહિ હોય. જેથી કેટલીક રાશિના જાતકોને મુશ્કેલીઓ આવી શકે છે. અને આ રાશિઓને આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે.

શનિ ક્યારે થશે અસ્ત ?

જ્યારે કોઈ ગ્રહ સૂર્યની ખૂબ નજીક આવે છે, ત્યારે તે સૂર્યના તેજને કારણે અસ્ત થઈ જાય છે. 12 ફેબ્રુઆરીથી, સૂર્ય કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે, જ્યાં શનિ પહેલાથી જ હાજર છે. સૂર્ય 14 માર્ચ સુધી કુંભ રાશિમાં રહેશે. સૂર્ય શનિની નજીક હોવાથી, શનિ 28 ફેબ્રુઆરી 2025 થી 9 એપ્રિલ 2025 સુધી અસ્ત રહેશે. શનિ કુલ 40 દિવસ સુધી અસ્ત રહેશે. ત્યારે આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ, સ્વાસ્થ્ય, પરિવાર વગેરે પર નકારાત્મક અસર કરશે. તેથી, આ લોકોએ ખૂબ સાવધાન રહેવું પડશે.

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે શનિ અસ્ત પરિવારમાં કલેશ કરાવશે. તમારી છબી ખરડાઈ શકે છે. બોલતી વખતે ખૂબ કાળજી રાખો. ખૂબ જ સમજી-વિચારીને રોકાણ કરો. નહીંતર નુકસાન થઈ શકે છે.

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો માટે પણ શનિ પ્રતિકૂળ પરિણામો આપશે. આ લોકોને તેમના કરિયરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ સમય દરમિયાન કાળજી રાખો. ઓફિસ પોલિટિક્સનો શિકાર બની શકો છો. આર્થિક નુકસાન થઈ શકે છે. પ્રિયજનો વચ્ચે મતભેદ થઈ શકે છે.

સિંહ રાશિ

સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે અને તે તેના દુશ્મન ગ્રહ શનિની નજીક હશે. તેથી, શનિ અસ્તની સિંહ રાશિના જાતકો પર નકારાત્મક અસર થશે. વ્યવસાયમાં મુશ્કેલીઓ આવી શકે છે. જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે. નાણાંકીય નુકસાન થવાની શક્યતા છે.

મકર રાશિ

મકર રાશિનો સ્વામી શનિ છે અને શનિ અસ્ત આ રાશિના લોકો માટે તણાવ અને નુકસાનનું કારણ બનશે. નાણાંકીય સમસ્યાઓ રહેશે. જે શબ્દો બોલો છો તેનાથી નુકસાન થશે. લોકો ગુસ્સે થઈ શકે છે.

(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)

Twinkle