30 વર્ષ બાદ મીનમાં વક્રી થઈને આ 3 રાશિવાળાઓને બંપર ધનલાભ કરાવશે શનિ! પ્રમોશન મળશે, ધાર્યા કામ પાર પડશે

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં શનિને સૌથી મહત્વપૂર્ણ ગ્રહ તરીકે ગણવામાં આવે છે. જેને કર્મફળ દાતા, ન્યાયના દેવતાથી લઈને દંડનાયક જેવા નામોથી ઓળખવામાં આવે છે. આનું કારણ એ છે કે તે દરેક જાતકને તેના કર્મો અનુસાર ફળ પ્રદાન કરે છે. અહીં ઉલ્લેખનીય છે કે શની લગભગ અઢી વર્ષ પછી રાશિ પરિવર્તન કરે છે. આ સંદર્ભમાં શની ગુરુની રાશિ મીનમાં આશરે 30 વર્ષ બાદ પ્રવેશી ચૂક્યો છે. શનિના મીન રાશિમાં પ્રવેશથી કેટલીક રાશિના જાતકોને લાભ મળી રહ્યો છે જ્યારે અનેકના જીવનમાં મુશ્કેલીઓની શરૂઆત થઈ ગઈ છે. હવે આ શની વક્રી અવસ્થામાં આવશે. શનિના વક્રી થવાથી કેટલાક રાશિના જાતકોને મોટો ફાયદો થઈ શકે છે. આ રાશિઓને નોકરી-વ્યવસાયમાં લાભ મળી શકે છે. વૈદિક પંચાંગ અનુસાર કર્મફળના દાતા શની 13 જુલાઈના રોજ સવારે 9.36 કલાકે મીન રાશિમાં વક્રી થશે અને લગભગ 138 દિવસ વિપરીત દિશામાં ચાલશે. વક્રી શની કોને ફાયદો આપશે તે ભાગ્યશાળી રાશિઓ વિશે જાણો…

કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે શનિની વક્રી ચાલથી ઘણો લાભદાયક રહેશે. આ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં ખૂબ સફળતા પ્રાપ્ત થઈ શકે છે. લાંબા સમયથી અટવાયેલા કાર્યો ફરી એકવાર શરૂ થઈ શકે છે. રોકાણનો વિચાર કરતા હોવ તો આ સમયાવધિમાં કરી શકો છો. તેમાંથી નોંધપાત્ર લાભ મળી શકે છે. જીવનમાં આનંદ આવી શકે છે. કોર્ટ-કચેરીના કેસોમાં સારી સફળતા મેળવી શકશો. શારીરિક અને માનસિક રીતે મજબૂત બની શકશો. શેર બજારના માધ્યમથી તમને ખૂબ ફાયદો થઈ શકે છે.

મીન રાશિ
મીન રાશિના જાતકો માટે શનિની ઉલટી ચાલ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ રાશિના લગ્ન ભાવમાં શની વક્રી થશે. આ સ્થિતિમાં આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં અપાર સફળતાની સાથે ધન લાભ થઈ શકે છે. જીવનમાં લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ દૂર થઈ શકે છે. ધનલાભના ઉત્તમ યોગ છે. પરિવાર સાથે સારો સમય વિતાવશો. આધ્યાત્મિક બાબતો તરફ રુચિ વધશે. ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકો છો. આર્થિક સ્થિતિ સારી રહેશે. પરંતુ પ્રવાસમાં સારો એવો ખર્ચ થશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે.

કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે શનિની ઉલટી ચાલ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ રાશિના નવમા ભાવમાં શની રહેશે. આ સ્થિતિમાં આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મળી શકે છે. બંપર ધનલાભ થઈ શકે છે. જીવનમાં ખુશીઓનો પ્રવેશ થઈ શકે છે. ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે. નોકરી-વ્યવસાયમાં ભાગ્યોદય થઈ શકે છે. ધન-સંપત્તિના મામલામાં પણ તમને લાભ મળી શકે છે. આધ્યાત્મિક બાબતો તરફ રુચિ વધશે. કોર્ટ-કચેરીના કેસોમાં સફળતા મળી શકે છે. કામ સંબંધિત મુસાફરી કરી શકો છો. જે લાભદાયક રહી શકે છે. વિદેશથી પણ લાભ મળી શકે છે.

(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)

Shah Jina
error: Unable To Copy Protected Content!