આ રાશિઓને હવે શનિની સાડાસાતીથી મળશે છૂટકારો- શરૂ થશે સારા દિવસો

ન્યાયના દેવતા શનિ દર અઢી વર્ષે પોતાની રાશિ બદલે છે, જેની અસર પ્રભાવ દરેક રાશિના જાતકો પર પડે છે. અમુક રાશિના જાતકો પર શનિની સાડાસાતી શરૂ થાય છે તો અમુક પરથી પૂરી. હાલ શનિ તેમની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બિરાજમાન છે અને આ રાશિમાં રહીને સાડાસાતીના બીજા ચરણમાં આ રાશિના જાતકોની પરેશાની વધારે છે. 29 માર્ચ 2025 સુધી શનિ કુંભ રાશિમાં રહેશે અને આ પછી મીન રાશિમાં જશે.

મીનમાં પ્રવેશતા જ કુંભ રાશિના જાતકો પરથી સાડાસાતીનું બીજું ચરણ પૂરું થશે અને ત્રીજા ચરણની શરૂઆત થશે. શનિનું ત્રીજુ ચરણ શરૂ થાય થોડી રાહત આપે છે, જેને કારણે અમુક જાતકોને લાભ પણ આપે છે. જો કે શનિ કુંભ રાશિના દાતા છે એટલે તેમના પ્રત્યે દયાળુ રહે છે. 29 માર્ચ 2025થી કુંભ રાશિવાળા જાતકો પરથી શનિની સાડાસાતીનું બીજું ચરણ પૂરું થશે અને 3 જૂન 2027એ ત્રીજું ચરણ પણ પૂરું થશે. આ પછીથી કુંભ રાશિના જાતકોને શનિના પ્રકોપથી છૂટકરો મળશે.

જ્યારે શનિની સાડાસાતી ચાલતી હોય ત્યારે તેમણે રાજી કરવા કોઈ નિર્બળ, વૃદ્ધ, અબળા સ્ત્રી અને ગરીબને પરેશાન કે તેમનું શોષણ ન કરવું. આ ઉપરાંત શનિવારે માંસ કે દારૂનું સેવન ન કરવું. શનિવારે શનિ દેવને તેલ ચઢાવવું અને પીપળાના વૃક્ષ નીચે દીવો કરવો. આ સિવાય તમે ગરીબોની સેવા કરો અને શક્ય હોય તો દાન પણ કરો. શિવ શનિદેવના આરાધ્ય દેવ છે એટલે તેમની પૂજા કરો, ગંગાજળ ચઢાવો. પરિસ્થિતિ પ્રમાણે શનિવારે જરૂરિયાતમંદને કાળા ધાબળા, ચામડાના ચપ્પલ, કાળા કપડાં અને શક્ય હોય તો રૂપિયાની મદદ કરો.

(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)

Shah Jina
error: Unable To Copy Protected Content!