શનિદેવના આશિર્વાદ મેળવવા કરો આ મંત્રનો જાપ
આજે વર્ષ 2021 ના ઓક્ટોબર મહિનાનો ત્રીજો અને અશ્વિન(આસો) મહિનાનો છેલ્લો શનિવાર છે. માન્યતા મુજબ શનિવાર શનિદેવનો દિવસ છે. શાસ્ત્રોમાં શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવ્યા છે. જ્યારે ગુસ્સે થાય છે, ત્યારે તેઓ રાજાને રંક બનાવી દે છે, અને જ્યારે તેઓ ખુશ થાય છે, ત્યારે તેઓ ભક્તો પર આશીર્વાદ વરસાવે છે. શનિદેવને પ્રસન્ન કરવા સહેલા નથી. પરંતુ સાચી ભક્તિ અને શુદ્ધ હૃદયથી કરવામાં આવેલા કામથી શનિદેવ પ્રસન્ન થાય છે. આજે અમે તમને કેટલાક એવા ઉપાયો જણાવી રહ્યા છીએ જેના દ્વારા તમે શનિદેવને પ્રસન્ન કરી શકો છો. જો શનિદેવ પ્રસન્ન થાય તો તમારા જીવનમાં દરેક દુ:ખનો અંત આવશે.
શનિવારે આ મંત્રોનો જાપ કરવાથી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે.
- શનિદેવનો તાંત્રિક મંત્ર – ઓમ પ્રાં પ્રીં પ્રૌં સા: શનાયે નમ:।
- શનિદેવનો વૈદિક મંત્ર – ઓમ શન્નો દેવીરભિષ્ટદાપો ભવન્તુપીતયે
- શનિદેવનો ગાયત્રી મંત્ર – ઓમ ભગભવાય વિધ્મહૈ મૃત્યુરૂાય ધીમહિ તન્નો શનિ: પ્રચોદયાત.
શનિદેવની કૃપા મેળવવાના ઉપાય
- શનિવારે તેલના બનેલા ભોજનથી ભિખારીને જમાડવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.
- સાંજે, તમારા ઘરમાં કાળા ગુગળનો ધૂપ બાળવો.
- ભિખારીને કાળા અડદનું દાન કરો.
- કાળા અડદને પાણીમાં વિસર્જન કરો.
- શનિવારે સુંદરકાંડનો પાઠ શ્રેષ્ઠ પરિણામ આપે છે.
- કીડીઓને ગોરજ મુહૂર્તમાં તિલ ચૌલી મૂકો.
- શનિવારે અડદ, તલ, તેલ, ગોળના લાડુ બનાવો અને જ્યાં હળ ન ચાલ્યું હોય ત્યા દાટી દો.
- શનિવારે રાત્રે, રક્ત ચંદનછી ‘ઓમ હ્વવી’ ભોજપત્ર પર લખીને નિત્ય પૂજા કરવાથી અપાર વિદ્યા અને બુદ્ધિ મળે છે.
- શનિવારે કાળા કૂતરા, કાળી ગાયને રોટલી અને કાળા પક્ષીને અનાજ આપવાથી જીવનની અડચણો દૂર થાય છે.
- શનિવારે 11 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરો. એવું માનવામાં આવે છે કે હમુમાનજી પ્રસન્ન થવાથી શનિદેવ પોતે પ્રસન્ન છે અને તમામ સમસ્યાઓ દૂર કરે છે.
- જો શનિની કૃપાને કારણે નોકરીમાં સમસ્યા હોય તો શનિવારે ઉપવાસ કરવાથી લાભ થાય છે. સતત 7 શનિવારે ઉપવાસ કરવાથી તમામ અવરોધો દૂર થાય છે.