હિંસા પર ઉતરી આવી શિવસેના, પૂણેમાં બાગી વિધાયક સાવંતના ઘરે તોડફોડ, મુબઇમાં ધારા 144 લાગુ, લાઈવ વીડિયો આવ્યા સામે

મહારાષ્ટ્રમાં રાજકીય ખેંચતાણ જારી છે. એકબાજુ ગુવાહાટીમાં બેસેલા એકનાથ શિંદે સરકાર વિરૂદ્ધ નિવેદનબાજી કરી રહ્યા છે તો સીએમ ઉદ્ધવ ઠાકરેએ પણ બગાવત કરવાવાળા વિધાયકો વિરૂદ્ધ સખ્ત એક્શનની ચેતવણી જારી કરી દીધી છે. શિવસેનાએ આજે રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક પણ બોલાવી હતી, તો બીજી બાજુ પાર્ટીના 16 વિધાયકોને અયોગ્ય ઠહેરાવવાને લઇને આજે નોટિસ પણ જારી થઇ શકે છે. આ વિરૂદ્ધ એકનાથ શિંદે ગ્રુપે પણ મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર નરહરિ જિરવાલ વિરૂદ્ધ મોરચો ખોલી દીધો છે.

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલના પાંચમા દિવસે શિવસેનાના કાર્યકરોએ પુણેમાં એકનાથ શિંદે જૂથના ધારાસભ્ય તાનાજી સાવંતના ઘર અને ઓફિસમાં તોડફોડ કરી હતી. શિવસેના સાંસદ સંજય રાઉતની ચેતવણીના કલાકો બાદ આ તોડફોડ કરવામાં આવી હતી. પુણેમાં હિંસાને જોતા મુંબઈમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. ત્યાં રાજ્યમાં સતત હિંસા પછી શિંદેએ કહ્યું છે કે ધારાસભ્યોની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે, જો તેમના પરિવારને કંઈ થશે તો તેના માટે ઉદ્ધવ અને આદિત્ય જવાબદાર રહેશે.

આ દરમિયાન રાજકીય હોબાળો જોતા ઉદ્ધવ ઠાકરે શિવસેના ભવન પહોંચ્યા હતા. ન્યૂઝ એજન્સી ANIએ આ ઘટનાનો વીડિયો જાહેર કર્યો છે, જેમાં શિવસૈનિક ઓફિસમાં ખરાબ રીતે તોડફોડ કરતા જોવા મળી રહ્યા છે. શિવસેનાના નેતા સંજય મોરેએ સીધી ધમકી આપતા કહ્યું કે, “અમારા પક્ષના કાર્યકર્તાએ તાનાજી સાવંતની ઓફિસમાં તોડફોડ કરી હતી. મુખ્ય ઉદ્ધવ ઠાકરેને હેરાન કરનારા તમામ રાષ્ટ્રવિરોધી અને બળવાખોર ધારાસભ્યોને આ પ્રકારની કાર્યવાહીનો સામનો કરવો પડશે. તેમની ઓફિસમાં પણ આ કાર્યવાહી કરવામાં આવશે.

કોઈને બક્ષવામાં નહીં આવે.” ત્યાં શિવસેનાના નેતા સંજય રાઉતે 38 ધારાસભ્યોના પરિવારના સભ્યોની સુરક્ષા પાછી ખેંચી લેવા અંગે ધમકીભર્યું નિવેદન આપ્યું હતું. એકનાથ શિંદેના પત્રનો જવાબ આપતા તેમણે કહ્યું, “તમે ધારાસભ્ય છો, તેથી તમને સુરક્ષા આપવામાં આવી છે. તમારા પરિવારના સભ્યોને સમાન સુરક્ષા આપી શકાય નહીં.” સંજય રાઉતે કહ્યું, “મહારાષ્ટ્રની બહાર તમે ગરુડ છો. પરંતુ લોકોની ધીરજ વધી ગઈ છે. નબળા પડી રહ્યા છે.

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન અને બળવાખોર ધારાસભ્ય દીપક કેસરકરે ખુલાસો કર્યો છે કે શિવસેનાના ધારાસભ્યોના સમર્થનથી એકનાથ શિંદેની છાવણી દ્વારા નવું જૂથ ‘શિવસેના બાલાસાહેબ’ બનાવવામાં આવ્યું છે. શિંદે જૂથનો દાવો છે કે તેને શિવસેનાના 40થી વધુ ધારાસભ્યો અને ઘણા વધુ અપક્ષોનું સમર્થન છે.

શિવસૈનિકો હજી શેરીઓમાં આવ્યા નથી. જો આવું થશે, તો શેરીઓમાં આગ લાગશે,” રાઉતે ભાજપના નેતાઓ તરફ ઈશારો કરીને કહ્યું કે બકરીની જેમ લોહી વહાવવાનું બંધ કરો. ધારાસભ્યોની સંખ્યાને લઈને તેમણે કહ્યું, “ગત રાત્રે શરદ પવારની હાજરીમાં મીટિંગ દરમિયાન, અમને 10 (બળવાખોર) ધારાસભ્યોનો ફોન આવ્યો. ગૃહના ફ્લોર પર આવો, અહીં ખબર પડશે કે કોણ મજબૂત છે.” મુંબઈ પોલીસે હાઈ એલર્ટ જાહેર કર્યું છે અને તમામ પોલીસ સ્ટેશનોને શહેરના તમામ રાજકીય કાર્યાલયોમાં સુરક્ષા સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.

આદેશ આપવામાં આવ્યો છે કે અધિકારી-સ્તરના પોલીસકર્મીઓ તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે દરેક રાજકીય કાર્યાલયની મુલાકાત લેશે. જણાવી દઇએ કે, ગુવાહાટીની રેડિસન બ્લુ હોટલમાં ધારાસભ્યોની બેઠક બાદ એકનાથ શિંદેએ 38 ધારાસભ્યોની યાદી જાહેર કરી છે. આ પહેલા શિંદેએ 23 જૂને શિવસેનાના 34 ધારાસભ્યોની યાદી જાહેર કરી હતી. શિંદેને મહારાષ્ટ્રમાં સરકારને તોડવા માટે શિવસેનાના માત્ર 37 ધારાસભ્યોની જરૂર છે.

Shah Jina